SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પ્રાર્થનામાં ગાતાં, ગુરુદેવ વિઠાકુરને તેમનો કંઠ ઘણો ગમતો. પરંતુ તેઓ કેવળ ગાતાં એટલું જ નહીં તેઓ સુંદર વાંસળી વગાડી જાણતાં. વાંસળીમાં ગીત ગાતાં. તેઓ જ્યારે વાંસળી વગાડે કે ભજન શરૂ કરે તેની સાથે આંખો બીડાઈ અંતરમાં ઊંડાં ઊતરી જાય. કૃષ્ણમય થઈ જાય અને કૃષ્ણનો ફોટો સદા તેમની પાસે જ રહેતો. કુરાનની આયાતો અને ગીતાના શ્લોક લઈ બંનેની તુલના સરખાપણું સમજાવે. ઈશ્વર જુદો છે જ નહીં, ગીતામાં ભગવાને જ્ઞાન, ભક્તિ અને કર્મનો મહિમા સમજાવ્યો છે. રેહાનાબહેન ભક્તિ માર્ગનાં ઉપાસક હતાં. તેઓ સમજાવતાં કે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ભક્તિનો સંસ્કાર જેમ જેમ આપણામાં ખીલતો જાય છે તેમ તેમ દુન્યવી સ્થૂળ વાસનાઓ ખરી જાય છે અને નિરંજન, નિરાકાર પ્રભુનું દર્શન આપણે કરી શકીએ છીએ. આ દેશના અનેક સંતોએ ભક્તિનો માર્ગ બતાવ્યો તેનું પહેલું પગલું જીવન શુદ્ધિથી શરૂ થાય છે. તેઓ કહેતાં કે ૨૧ થી ૩૦ના ગાળા દરમિયાન તેમના હૃદયમાં કૃષ્ણભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનાં પૂર પણ ચડી આવતાં. દેશ ગુલામ છે તેથી તેની મુક્તિ માટે કરી છૂટવું તે પ્રાસંગિક, પણ કૃષ્ણથી સહેજ પણ જુદા ન પડવું એ તો જાણે કે જીવનવ્રત હતું. સમર્પણતા હતી. તેમનામાં દિવસે દિવસે ખીલતો જતો તીવ્ર વૈરાગ્ય તેમના માતાપિતાને પણ દુ:ખી કરી મૂકતો. કેટલીય વખત ઉગ્ર ચર્ચા કરતાં. તેમના અમ્માજાન ઊંચી જાતનાં વસ્ત્રો, આભૂષણો ખરીદી લાવતાં તે તેઓ સ્વીકારતાં નહીં ત્યારે તેમનાં અમ્માને ખૂબ દુ:ખ થતું. ઘરેણાં છોડ્યાં, કીમતી વસ્ત્રો છોડ્યાં, કેવળ ખાદી, શુદ્ધ ખાદી ધારણ કરી. મહારાજા સયાજીરાવે તેમના સુવર્ણ મહોત્સવ પ્રસંગે રેહાનાબહેનને બોલાવીને સૂચવ્યું : ‘તમે અને બીજી છોકરીઓ મળીને એક સરસ કાર્યક્રમ બનાવો.' એમણે આ સહર્ષ સ્વીકારી લીધું. સંગીત, અભિનય, નાટક વગેરેની પૂરી તૈયારી કરી. તેઓ કૃષ્ણ બન્યાં અને વિના વાંસળીએ કંઠની હલકથી બંસી વગાડતાં હોય એવું ગીત ગાયું. તેઓએ અવિવાહિત રહી કૃષ્ણમય અને પ્રસંગ પડ્યે પ્રજાની સેવામાં રત રહી પોતાનું આયખું પૂરું કર્યું અને શ્રીકૃષ્ણ શરણમ્ મમ, શ્રીકૃષ્ણ શરણમ્ મમ અંતરનાદ સાથે તા. ૧૭મી મે, ૧૯૭૫ના દિલ્હીના નિવાસસ્થાને તેમનો આત્મા મામેક શરણં વ્રજાનો આદેશ આપનાર શ્રીકૃષ્ણમાં લીન થઈ ગયો! Jain Education International ૧૪ ૩૮. મણિબાના પ્રબોધન અને પુરુષાર્થકાળની પ્રેમલસ્મૃતિ મણિબા એટલે નિષ્કામ સેવાનો એક અખંડ મહાયજ્ઞ. મણિબા એટલે સક્રિય સેવાવ્રતધારી, છતાં પ્રતિભાવંત પ્રેમમૂર્તિ! મણિબા એટલે શહેરી જીવનમાં શ્વાસ લેતાં, છતાં ભારતના પછાતમાં પછાત આદિવાસી-વનવાસી-કાંઠાવાસીના જીવનને, પ્રત્યેક શ્વસન સાથે આત્મીય ભાવે સ્મરતાં કરુણામય માતા. તેઓ પોતે મુંબઈની આલિશાન મહેલાતમાં રહેવા છતાં તેમના હૃદયના પ્રત્યેક ખૂણે-કોઈ ધરમપુરનો આદિવાસી કે ડાંગનો ડાંગી કે ઓરિસ્સાનો ઉડિયા શ્વસતો જ હોય! મણિબા એટલે સન ૧૯૦૫ થી ૨૦૦૦ સુધીના કાળના વિશાળ પટ ઉપર પોતાની અમીટ પ્રેમપગલીઓ પાડી જનાર જીવનયાત્રી. આટલી વિશાળ યાત્રા દરમિયાન સેંકડો સાથીઓ, કોડીબંધ રાષ્ટ્રીય સંસ્થાઓ અને વિશાળ પરિવારના વડલાને નાતે, તેમને ભાગે જે ઘડતરની ફરજ આવી, તેમાં સતત સાવધ અને સજગપણે તેમણે બજાવેલી ફરજોની ગાથાને તો કોઈ અનુભવી જીવનમરમી ચરિત્ર લેખનકાર જ ન્યાય આપી શકે. તેમના જીવનચરિત્ર અંગે તેમજ તેમના ગૌરવગ્રંથ અંગે બે-ચાર પ્રયત્ન થયેલા, પરંતુ તે બધાને તેમણે જ પ્રેમથી શાંત પાડી દીધા હતા. જેમના પરિવારમાં સ્વામી આનંદ અને ગોકુળભાઈ ભટ્ટ જેવા બહુશ્રુત વિદ્વાનો અને અર્થતિ જાણતા હોય તેમને પણ પ્રોત્સાહન આપ્યું નથી, ત્યાં અમારા જેવા સામાન્ય સેવકનું શું ગજું? બાપુના અવસાન પછીના વિયોગ દુઃખથી જ આ કથાનો પ્રારંભ થાય છે. બાપુની ભસ્મ વિસર્જનનો પ્રસંગ હતો. “સાત વાગ્યે બહેનોએ ભસ્મની પાલખી ઉપાડી અને તેની પહેલી વિધિ બહેનોના હાથથી થઈ. અમારા દુઃખનો અંત ન હતો છતાં ભગવાને સોંપેલા કાર્યમાં પાછા ન પડવું એવી બાપુની આશિષ હતી.'' અને પછી પોતે જ રડતા હૃદયે બધાંને હિંમત અને આશ્વાસન આપતાં રહે છે. બાપુએ જ્યારે વિલે-પારલાના ખાદી મંદિર આશ્રમનો પાયો નાખ્યો ત્યારે તેની પાછળના ઉદ્ગારો એ મણિબાનું મુખ્ય પ્રેરક બળ હતું અથવા તો કહો કે બાપુએ ચિંધેલું મુખ્ય કામ હતું. બાપુ કહે છે : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy