SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ રિહાનાબહેન એક માત્ર છોકરી! ૭00 વિદ્યાર્થીઓની હાઈસ્કૂલમાં એક માત્ર છોકરી! આવી હતી અબ્બાસ સાહેબની પણ હિંમત. એમનાં બા વડોદરાના કેમ્પથી રોજ ગાડીમાં મોગલવાડમાં જાય. તેમની સાથે તેમના ભાઈ અને એક આયા પણ હોય. મુસ્લિમ લત્તામાં આવીને–બાલમંદિરની જેમ ત્યાંની છોકરીઓને બોલાવી હાથપગ ધોવા, માથું ઓળવું, કંઈક ગીત ગાવાં, રમત ગમત કરાવતાં અને પછી તો બાળાઓની માતાઓ આવે તેથી, બહેનોનું ટોળું ભેગું થઈ જતું. અને તે બધાં સિલાઈ, ભરતગૂંથણ, ગીતો વગેરે શીખતાં. એક ન્યાયમૂર્તિનાં પત્ની તદ્દન સામાન્ય વસ્તીમાં આવી બધાની સાથે હળેમળે, અને એમની દીકરીઓને ભણાવવા સમજાવે, એમાં એમની કોમ પ્રત્યેની આત્મીયતા કરતાં સવિશેષપણે કેળવણી અને રાષ્ટ્રીયતાની પરિપૂર્ણ ભાવના હતી. તેઓ રહેતાં હતાં કેમ્પ વિસ્તારમાં પણ શહેરમાં આવેલું તેમનું મકાન તેમણે કન્યાઓની શાળા માટે આપી દીધું. રેહાનાબહેન કહેતાં કે આ રીતે વડોદરામાં મારા અખાજાનની મુસ્લિમ સ્ત્રી કેળવણીની ભાવના કંઈક અંશે ફળી અને વડોદરામાં સૌથી પહેલી ઊર્દૂ કન્યા શાળા શરૂ થવામાં તેમનાં અમ્માજાન નિમિત્ત બન્યાં. બીજી તરફ એમના અબ્બાજાન પણ બાળકોને કેળવવામાં ખૂબ રસ લેતા. તેઓ સ્થાનિક શાળાની મુલાકાતે જતા તો બધી શિસ્ત તોડીને બાળકો એમને ઘેરી વળતા ત્યારે અબ્બાસસાહેબ કોઈને ખભે હાથ મૂકતા તો કોઈને પીઠ પર ધબ્બો મારતા, ક્યારેક કોઈને ગાલે હળવી ચૂંટી ખણી લેતા કેમ કમ્બખ્તો? શું ચાલે છે? રેહાનાબહેન કહે છે, કમ્બખ્ત એમનો ખાસ શબ્દપ્રયોગ હતો. ડાહ્યા બન્યા કે નહીં બરાબર અભ્યાસ કરો છો? રમવા જાઓ છો? શું રમો છો? કોણ જીત્યું? શાબાશ જેવા શબ્દોથી તેમને પોરસાવતા. બાળકોને રમવાની તે હંમેશા પ્રેરણા આપતા. જાઓ, નાચો, કૂદો, ખેલો. પછી પોતાનો અનુભવ વર્ણવતાં કહે : જ્યારે હું વિલાયત અગિયાર વર્ષની ઉંમરે ભણવા ગયો ત્યારે મારું શરીર સાવ સૂકલકડી હતું. દૂબળો, પાતળો, મુડદાલ ટટ્ટુ! પણ મને ત્યાં કોણ બેઠે બેઠે બેં બેં કરવા દે ત્યાં કોણ બેસવા દે? કાન પકડીને ખેંચી લાવે અને કહે, ચાલો, રમવા ચાલો. એ વખતે તો હું મુડદાલ જેવો હતો પણ પછી તાલીમ લઈને સરદાર બની ગયો! પથપ્રદર્શક અબ્બાસસાહેબ ખેલવીર અને જીવનવીર હતા શ્રી આવાં માતાપિતાને ત્યાં ૨૬ જાન્યુઆરી, ૧૯૦૧ના રોજ અમદાવાદમાં રેહાનાબહેનનો જન્મ થયો. બચપણથી શરીરનો બાંધો નબળો એટલે માંદાં ને માંદા રહે. કોઈની સાથે હળભળે નહીં. ઘરમાં જ પડ્યાં રહે! પણ એમને મહાન માતાપિતા મળ્યાં હતાં. એટલે કેળવણી શું છે, સંસ્કાર શું છે, સામાજિક વહેવાર વર્તન કેવાં હોય આ બધું પોતાના સંતાનોને વારસાગત મળ્યું. અબ્બાસ સાહેબના બે મહાન આત્મભોગ અને ત્યાગથી ગુજરાત જાણીતું છે. ૧૯૧૯માં જલિયાંવાલા બાગના હત્યાકાંડ અંગે કોંગ્રેસે જે તપાસ સમિતિ નીમી તેમાં અબ્બાસસાહેબ પણ એક સભ્ય હતા. એ તપાસ દરમિયાન એમને એવા હત્યાચારો અને વિતક કથાઓ સાંભળવા મળી કે ત્યારપછી તેમણે નક્કી કરી નાખ્યું કે હવે પછીની મારી જિંદગી દેશની સેવા સમર્પણતામાં ગાળીશ. દાંડીકૂચનો ઇતિહાસ તો જાણીતો છે કે, ગાંધીજીએ દાંડી પહોંચ્યા પછી મીઠાના અગરો ઉપર ધાડ પાડી મીઠાનો કાયદો તોડવાની યોજના મૂકેલી. પણ તેઓ આ કામ કરે એ પહેલાં તેમની ધરપકડ થઈ. પરંતુ એ પહેલાં તેઓ ગોઠવી ગયેલ કે મારી ધરપકડ થાય તો મારા પછી આ સત્યાગ્રહના સેનાની અબ્બાસસાહેબ રહેશે. એમની આગેવાની નીચે ધરાસણાના અગરો ઉપર જ્યારે લૂંટ કરવા ટુકડી ગઈ ત્યારે તે સૌને બહુ માર અને પછી જેલની સજા થઈ. અબ્બાસસાહેબ પણ તેમાંના એક. રિહાનાબહેનની તાલીમ અંગ્રેજી મિશ્રિત ઊર્દૂમાં થઈ. માતૃભાષા ગુજરાતી પણ તેઓ ન પૂરી ગુજરાતી જાણે કે હિંદી. વડોદરાના વાતાવરણમાં મરાઠીનું ચલણ હતું. એ બધું ધીમે ધીમે એમણે શીખી લીધું. તેમના જીવનમાં સાત આઠ વર્ષની વયે બહુ મોટો પલટો આવે છે. તેઓ હિંદુ કે મુસલમાન કે ઇસાઈ કોઈની વચ્ચે કશોય ભેદ જાણતાં નહોતાં. રેહાનાબહેનમાં સંગીતના સંસ્કાર જાણે જન્મજાત હતા. તેઓ કહેતાં કે એમના કુટુંબમાં જન્મ પછીનું એમનું રડવું પણ બધાંને સંગીતમય લાગેલું અને બે વર્ષની ઉંમરે તો ગીત, કવિતા-સંગીતમય રીતે ગાતાં. ગાંધી બાપુને ઘણી વખત ભજનો સંભળાવતાં. આશ્રમની Jain Education Intemational tior Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy