SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ તેમને હસ્તે જીવનસ્મૃતિનું એક પ્રકાશન યાદ આવે છે મને' પુસ્તકનું વિમોચન અમદાવાદના જલારામ મંદિર ખાતે યોજાયું હતું. બે એક વખત તેઓ પોતે પણ અમારે ત્યાં આવીને પુસ્તક પ્રસાદી આપી ગયેલ. નટુભાઈ બહુ સારા શિક્ષક, આચાર્ય અને અભ્યાસુ નાગરિક હતા. તેથી તેમણે મોટી ઉંમરના વયસ્કો માટે પોતાના વતન મગોડીમાં આશ્રમ જેવું બનાવ્યું હતું. સ્વામી સચ્ચિદાનંદજીની નિશ્રામાં ૧૧મી ઓગષ્ટે એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન રખાયેલ ત્યારે તેમના સહસાથીઓએ જે શ્રદ્ધાંજલિ આપી તેમાં તેમને સર્વનો મિત્ર, મદદગાર અને પ્રેમભૂખ્યો માનવી તરીકે વર્ણવ્યા હતા. તેમના ફાઉન્ડેશનના ઉત્તરાધિકારીઓ તેમની લીમડાની મીઠાશ સમાજમાં મહેંકાવતા રહેશે એવી જરૂર આશા રાખી શકાય. ૨૯. અનુબહેન ઠક્કર (અવસાન : ૧૩-૧૨-૨૦૦૧) ગુજરાતમાં અદનામાં અદની પ્રજામાં એકરૂપ અને એક પ્રાણ થઈ, જેમણે પોતાની સાધનાનો મંત્ર પીડિતનાં દુ:ખ નિવારવાને” બનાવ્યો, એવાં અનુબહેન, જેમણે એમને પ્રત્યક્ષ સેવાકાર્ય કરતાં જોયાં-તેમણે ગુજરાતનાં ‘મધર ટેરેસા'થી નવાજ્યાં. ઘર આંગણે, ગુજરાત અને દેશવિદેશે જેમની કીર્તિ પતાકાઓ સેવાના ભૂષણરૂપ સન્માન, એવોર્ડોથી સત્કાર્યાં અને જીવનના છેલ્લા શ્વાસ સુધી ગુજરાતને કેન્સરમુક્ત કરવાની ઉચ્ચ ભાવના સેવતાં સેવતાં જે ૧૩મી ડિસેમ્બરે બ્રહ્મલોકવાસી થયાં તેવાં અનુબહેનને કયા શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપીશું? હજુ તો બે માસ પહેલાં જ મળેલા તેમના છેલ્લા પત્રમાં તેમણે પોતાની આશા આ પ્રમાણે વ્યક્ત કરી છે : ‘કેન્સર મુક્ત સમાજ એ મારું સ્વપ્ન છે.' વડોદરાથી ત્રીસેક કિલોમીટર દૂર ગોરજ ગામની સીમમાં, દેવ નદીના પવિત્ર કાંઠે તેમણે ૧૯૭૮માં મુનિ સેવા આશ્રમની સ્થાપના કરી. આ પહેલાં ૧૯૫૮ થી ૧૯૭૬ સુધી સાણંદના ‘ઋષિ બાલમંદિર'માં પાછામાં પાછાં, નીચામાં નીચાં ભંગી બાળકોની, સ્વામી જ્ઞાનચંદ્રજીની છાયામાં માતૃભાવે સેવા કરી. તેમનાં દિલ-દર્દ અનુભવતાં એમણે અનુભવ્યું કે આ દેશમાં રામકૃષ્ણ મિશનની પરંપરાનાં સંપૂર્ણ ત્યાગી-સાધુ-સાધ્વીઓ જેટલાં મળશે, તેમની સેવાઓ ઓછી જ પડવાની છે. સાણંદમાં ૧૯૬૫માં તેમણે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. બ્રહ્મની ચર્યા અર્થે Jain Education International ૧૪૩ જીવન જાહેર કર્યું અને જીવનસમર્પિતતાના પ્રતીક તરીકે ભગવી કંથા ધારણ કરી. તેમ છાં ય એમણે બીજા સાધુઓ નામ બદલે છે તેમ નામ ન બદલ્યું. પોતાનું મૂળ નામ-અનસૂયા-અસૂયાકોઈના પ્રત્યે દ્વેષ, મત્સર કે ઇર્ષ્યા નહીં. પણ લોકહૈયે અનુબહેન ચડેલું તે જ નામે જીવનનો સઘળો વ્યવહાર ચલાવ્યો. છેલ્લા બે વર્ષ પર તેમણે મંદબુદ્ધિની બાળાઓ અને બાળકોનો પ્રશ્ન લીધેલો. એનો કંઈક ઉકેલ આવ્યો. તેમણે મુનિ સેવા આશ્રમમાં જે–જે પ્રવૃત્તિઓ ઉપાડી તે બધી ભગવ૫રાયણ હતી તેથી પ્રત્યેકની પાછળ મંદિર શબ્દ જોડી પોતાની સમર્પણતાને સહેજ પણ વિસરવા ન દેતાં. બાલમંદિર, કુમાર મંદિર, ગોસેવા મંદિર વગેરે. તેમ જ્યારે કેન્સરની મોટી ઇસ્પિતાલની બાથ ભીડી ત્યારે તેને નામ આપ્યું ‘કૈલાસ કેન્સર હૉસ્પિટલ". તેમણે જોયું કે આપણા ભારત દેશમાં દર વર્ષે કેન્સરના સાત લાખ નવા દર્દીઓ નોંધાય છે. આ ગતિએ જો રોગ આગળ વધશે તો થોડા વર્ષોમાં બમણી સંખ્યા થઈ જશે. એને કોઈ પણ હિસાબે નાથવો જ જોઈએ. ગુજરાતમાં, તેમના આશ્રમમાં કૈલાસ કેન્સરની મોટામાં મોટી ઇસ્પિતાલ બની રહે જ્યાં સામાન્ય માણસ પણ સારવાર લઈ શકે એવી એમની ઝંખના હતી. આ ઝંખના લઈને તેઓ દાનની ઝોળી લઈ દેશ-વિદેશ ફર્યાં! પણ કેન્સરના ક્રૂર પંજામાંથી પોતે પણ છટકી શક્યાં નહીં. આવી બ્રહ્મવાદિની ભગિનીને-જ્ઞાન અને સેવારૂપી ભક્તિનાં બે ફૂલથી જ શ્રદ્ધાંજલિ આપી શકાય. તેઓ જીવનસ્મૃતિ પરિવારમાં આજીવન સભ્ય હતાં. અમારાં વત્સલ ભગિની હતાં. તેમના જવાથી સમગ્ર ગુજરાત જ નહીં,· સમગ્ર માનવજાત રાંક બની છે. ૩૦. પુરુષોત્તમ ગણેશ માવળંકર (દેહ વિલય : ૧૪ માર્ચ, ૨૦૦૨) જાન્યુઆરી માસના અંકમાં પ્રાસંગિક નોંધમાં–શ્રી માવળંકરનો વિદ્યા વૈભવ'–અમે આપી ચૂક્યા છીએ. તેમની દિનચર્યા વિશે પણ લખ્યું હતું–સવારના સાત વાગ્યાથી પ્રારંભાતી આ ગણેશપુત્રની દિનચર્યા વિષ્ણુસહસ્ર અને ગીતામાંથી જોમ મેળવી, ચિત્તનું ઊધ્ધિકરણ કરી પૂરી કરે છે. આવી દિનચર્યાનો છેલ્લો અંત ૧૪મી માર્ચને ગુરુવારે સૂર્યના અસ્તાચલ સાથે જ આવ્યો! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy