SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સાથે બધા વિભાગોમાં ફર્યો. તેઓ ત્યારે આ સંસ્થાના પ્રમુખ હતા, તેમની દૃષ્ટિ સમજવાની તક મળી, અને આરોગ્ય અંગેનું તેમનું ચિંતન પણ જાણવા મળ્યું. માંદગીમાંથી આરામ કરી રહ્યા હતા. બપોરે કાર્યક્રમ પૂરો થયે ફરી એકાદ કલાક મેં તેમના સાંનિધ્યમાં ગાળ્યો અને તેમના જીવનના અનુભવો સાંભળ્યા. જે તેઓ બહુ ઉત્સુકતા અને આનંદથી સમજાવતા હતા. મેં પંડિતજીને પૂછ્યું : “આપને સૌથી પહેલું કરવા જેવું કાર્ય અત્યારે શું લાગે છે?' તેમણે કહ્યું : શિક્ષણમાં સુધારો.... ત્યાર પછી તેમણે આર્યસમાજની ગુરુકુલ શિક્ષણ પદ્ધતિનું વિગતે સદૃષ્ટાંત વર્ણન કર્યું. જે શિક્ષણ તનની સુખાકારી નથી આપતું, મનની શાંતિ નથી આપતું, કોઈ વિશિષ્ટ આવડત કેળવી, આજીવિકાનું સાધન નથી આપવું એને શિક્ષણ કેમ કહેવાય? આ તેમનો આક્રોશ હતો. જેઓ પોતાના શરીર કે દેહની સંભાળ ન રાખી શકતા હોય તે બીજાને શું મદદરૂપ થવાના હતા? શુકદેવજી જેમ પવિત્ર-નિર્મળ તન-મને રહ્યા, જીવન આખું, અકિંચન રહી દેશસેવાર્થે, તેમાંયે રુગ્ણસેવામાં ગાળ્યું. ૮૦ વર્ષ સુધી તેમના ખડતલ શરીરે સ્વયંસેવકની જેમ પૂરો સાથ આપ્યો. ૧૯. સ્વામી પરમાનંદપુરી (તા. ૧૧-૨-૧૯૯૯) પરમાનંદપુરી એટલે પૂર્વાશ્રમના કવિ પુંજલ. યુવાનીમાં અનેક નામી-અનામી-સાધુ-બાવાઓના અખાડામાં અને મંડળોમાં સાચા સાધુની શોધમાં ઘૂમ્યા. એમનો પૈતૃક વ્યવસાય બારોટપદાનો. પોતાના યજમાનોને જ્ઞાન-સત્સંગ-મનોરંજન આદિ કરાવી પોતાની આજીવિકા પ્રાપ્ત કરવી, પરંતુ તેમને એમાં યાચકતાની ગંધ આવતાં એને તિલાંજલિ આપી. દરજીકામ શીખ્યા, વેપાર કર્યો, પણ જીવ ન ઠર્યો. સાધુ બાવાઓની જમાતમાં ભળી ગયા. દેશભરમાં ભ્રમણ કર્યું. કાશીમાં પણ થોડો વખત રહ્યા. ક્યાંય શાંતિ ન મળી. ગુજરાતમાં મુનિ સંતબાલજીના સંપર્કમાં આવ્યા અને એમણે ગોપલકોની સુધારણામાં શ્રી સુરાભાઈના સાથીદાર બની મહત્ત્વનું યોગદાન આપ્યું. એમણે જોયું કે સુધારાનો પ્રારંભ શિક્ષણથી જ સાચો થઈ શકે તેથી, ધંધુકા, નવસારી, બાવળા, વિરમગામ જેવા મહત્ત્વનાં મથકોમાં ગોપાલક છાત્રાલયોમાં પ્રત્યક્ષ ગૃહપતિપદ શોભાવી, વત્સલ Jain Education International ૧૩૯ પિતારૂપ બની, આજની નવી પેઢીના અનેક ગોપાલ યુવકોના સંસ્કાર પિતા બન્યા. એમના બે કાવ્યસંગ્રહ પ્રગટ થયા છે. પૂર્વાશ્રમમાં તેમને હાસ્ય નટ તરીકે, માર્મિક વાર્તાકાર તરીકે, અચ્છા ભનિક તરીકે, શીઘ્રકવિ તરીકે, ગોપાલકોના વિશ્વાસુ સંધિકાર તરીકે, કુટુંબ વત્સલ અને સ્વદેશ વત્સલ તરીકે સાંભળ્યા છે, અનુભવ્યા છે. તેમના વિશેનો ગ્રંથ ‘સેવામૂર્તિ પરમાનંદપુરજી' સંપાદનલેખન કરવાનું આ સેવકને હાથે ૧૯૯૦માં થયું હતું. સમાજમાં જે જાતિઓ પછાત તરીકે, પદ દલિત કે અસ્પૃશ્ય તરીકે, આદિવાસી તરીકે, ઓળખાઈ અપમાનો સહેતી હોય, તેઓને સંસ્કારી દુનિયામાં ભેળવવા, તેમના કામની નોંધ સમાજ સમક્ષ રજૂ કરવી—એને નઈ તાલીમના ક્ષેત્રની એક ઊજળી કડી માની એ ગ્રંથનું અમે સંપાદન કરેલ છે. ૨૦. શુકદેવ ભચેચ (તા. ૩૦-૩-૧૯૯૯) સન્મિત્ર શુકદેવ, ભચેચ ફોટો જર્નાલિસ્ટ હતા. ઊગતી યુવાનીમાં નિર્ણય કર્યો કે ગુલામીરૂપ નોકરી નથી કરવી, અને અમદાવાદના રાયપુર ચકલામાં પોતાનો સ્ટુડિયો નાખ્યો. શુકદેવભાઈમાં કલા અને સંસ્કારિતાનું સુંદર મિશ્રણ હતું તેમાં સાહિત્યનું રસાયણ ભળતાં-અડધી સદીની મહત્ત્વની ઘટનાઓને તેમણે પોતાની આંખે કેમેરામાં મઢી. અનેક પારિતોષિકો મેળવ્યાં, ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' અને અન્ય સામયિકોને પોતાની સેવાઓ આપી. શહેરના એક અગ્રણી નાગરિકનું બહુમાન પામ્યા. અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં તેમની કલા છબિનો એક વિભાગ છે. ભૈરવનાથ માર્ગ ઉપર તેમના નામનો મ્યુનિસિપાલિટીએ ચોક જાહેર કર્યો છે. ૨૧. માતૃહૃદયી મદાલસાબહેન નારાયણ (તા. ૪-૧૦-૧૯૯૯) મદાલસાબહેન એટલે બાપુના પાંચમા પુત્ર જમનાલાલ બજાજનાં ઔરસપુત્રી અને વિનોબાનાં માનસપુત્રી. એમના જીવનમાં જમનાલાલજીની વ્યવહાર નિપુણતા અને વિનોબાનો વિ-રાગ સ્પષ્ટ જણાઈ આવે છે. તેમના પતિ શ્રીમનજી જ્યારે ગુજરાતના રાજ્યપાલ હતા. ત્યારે મદાલસાબહેને ગુજરાતની રચનાત્મક સંસ્થાઓમાં સવિશેષ રસ લીધેલો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy