SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ માનવમાત્ર મોક્ષનો અધિકારી છે. માનવ શરીર મોક્ષપ્રાપ્તિ અર્થે જ મળ્યું છે. આવી જેનામાં દઢતા આવી જાય તેને કર્મો નડતાં નથી. તે ક્રિયા કરતાં કરતાં જ શાંત થઈ જાય છે. ભાઈ બલવંતભાઈનું પણ એવું જ બન્યું. ૧૭. સર્વામિત્ર ચીમનલાલ જે. શાહ (તા. ૨૫-૮-૧૯૯૮) ચીમનલાલભાઈ વ્યવસાયે વેપારી વૈશ્ય, છતાં વૃત્તિએ વૈશ્ય નહીં, વૈષ્ણવ હતા. પરપીડા જાણનાર અને તેમાં સહાયભૂત થનાર હતા. તેમણે પોતાના જીવનની ખુશબૂ-ગમતાંનો કરીએ ગુલાલ જીવનભર ઊડાડ્યા કર્યો. એ નામે અનિયતકાલીન પત્રિકા શરૂ કરી મોકલતા. પોતાને જે રુચે અને અમારે વાંચવા યોગ્ય હોય તેવી સામગ્રી સદા મોકલતા રહેતા. દેશમાં હોય કે વિદેશમાં–જીવનસ્કૃતિનું સ્મરણ સદા તાજું રાખે. પ્રત્યેક અંક આંખની તકલીફને કારણે પોતાથી વાંચી ન શકાય ત્યારે મંજૂલાબહેન અથવા તો કોઈની મદદ લઈને સાંભળે. અને પોતાની જાડી સ્કેચ પેનથી, મોટા અક્ષરે પહોંચ કે પ્રતિભાવ લખે. કેટલાક મિત્રો સ્વભાવે જ ગુલાબી હોય. છે. ગુલાબને જેમ શોધવા જવાની જરૂર નથી પડતી, તેની સુગંધ જ તેના પ્રત્યે આપણને ખેંચી જાય છે. ચીમનલાલભાઈના પત્રો જેને જેને મળતા હશે તે તેમના બે પુષ્પની પ્રતીક સમી ગુલછડી જોઈ શકશે. પ્રત્યેક પત્રમાં મિત્રતા, હાસ્ય કે સ્વાથ્ય અંગેની મનોહર કૂપન કે કાર્ડ અચૂક હોય જ! મારો અને તેમનો સંબંધ જોડનાર સ્વ. મિત્ર બહાદુરશાહ પંડિત. તેમનું એક સુંદર પુસ્તક “હું માનવી માનવ થાઉં તો ઘણું” (કુમાર ચંદ્રક વિજેતા) તેમણે ચીમનલાલભાઈને અર્પણ કરેલ અને તેમની ઉદાર સહાયની વાત કરેલી. તેઓ મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી હતા, અને “પ્રબુદ્ધજીવન’ પત્રિકાના પ્રકાશક હતા. મુંબઈમાં પર્યુષણ પર્વ નિમિત્તે જાહેર વ્યાખ્યાનમાળા યોજાતી હોય છે. આ વખતની વ્યાખ્યાનમાળાની પત્રિકા પણ તેમણે મને મોકલી હતી. ચીમનલાલભાઈ સાથે કયારેય પ્રત્યક્ષ મૈત્રી કેળવવાની તક હું ન મેળવી શક્યો. જ્યારે અમે એકમેકથી વધુ નજીક આવતા થયા, ત્યારે તેમના પ્રવાસો બંધ થઈ ગયા. પણ તેથી શું? તેમણે શબ્દયાત્રા અને પત્રયાત્રા ચાલુ રાખી અમારી મૈત્રીવેલને સદા પ્રેરક અને પ્રફુલ્લિત રાખી. પથપ્રદર્શક ૧૯૮૫માં જ્યારે તેમના મિત્રોએ તેમનું જાહેર સન્માન કર્યું. ત્યારે જે સન્માનપત્ર આપેલ, તેને એક “સ્નેહ સંભારણું ગણાવ્યું હતું. તેમાં એક વાક્ય આવે છે : “તમારા પરિચયમાં આવવું એટલે કે એક મધમધતી પુષ્પવાટિકામાં પ્રવેશ કરવો. ગુલાબના પુષ્પ જેવું જ તમારું વ્યક્તિત્વ છે એમ કહેવામાં અતિશયોક્તિ થતી નથી. પ્રસન્ન સુકુમારતા, લુબ્ધક આકાર સૌષ્ઠવ, મનહર અને મુલાયમ મહેંક, ઈન્દ્રધનુષી રંગોની ઝાંયઆવું બધું જ મહદ્અ લ્પ અંશમાં તમારા વ્યક્તિત્વ સાથે વણાઈ ગયું છે.' જીવનમાં કેવી કેવી કસોટીઓ આવતી હોય છે? જ્યારે અમારા જેવા દૂર બેઠેલા મિત્રોની આ સ્થિતિ હોય ત્યારે બહેન મંજુલાબહેન અને તેમના પરિવારની શી સ્થિતિ હશે? એમના સમગ્ર જીવનમાંથી અમને સદા સંતોષની મહેંક મળતી રહી છે. તેઓ મુંબઈ જેવા મહાનગરમાં રહેવા છતાં પરિતોષ–સંતોષના ઘરમાં જાણે રહેતા હતા. તેમના સરનામામાં નિવાસસ્થાન ‘સુદામા' એ જાણે એમના જીવનનું પ્રતીક બની રહ્યું! જે લોકો સંતોષને સુખના પાયા તરીકે ગણે છે, બધી જાતની એષણાઓથી મનને ખેંચી લે છે તેને માટે વસુધૈવ કુટુમ્બકમનો આદર્શ સહજ બની જતો હોય છે. ૧૮. પંડિત મેધાવત રવિશંકર વ્યાસ | (તા. ૨૪-૧-૧૯૯૯) પૂ. રવિશંકર મહારાજ આંખની ઇસ્પિતાલ ચિખોદરાથી મુ. બહેન ભાનુબહેન (ડૉ. રમણીકભાઈનાં પત્ની) લખે છે : પૂ. પંડિતજી આણંદ હૉસ્પિટલમાં ૧૫ દિવસ રહ્યા. અને ૨૪૧-૧૯૯૯ એ દેવલોક પામ્યા. આજે બોચાસણમાં પ્રાર્થના સભા રાખી છે. ઉંમર હતી એટલે હાર્ટ વિક થઈ ગયેલ હતું. પ્રભુના ધામમાં ગયા. પંડિત મેધાવ્રતજી એટલે પૂ. રવિશંકર મહારાજના જયેષ્ઠ પુત્ર. પિતાએ ઘસાઈને ઊજળા થવાની અનુપમ દેણ આપી, તેને પંડિતજીએ સવાઈ કરી બતાવી. જીવનભર આરોગ્ય સેવા, વિશેષે નેત્રયજ્ઞોમાં, ચિખોદરા આંખની ઇસ્પિતાલ તેમજ બોચાસણમાં રહીને પ્રત્યક્ષ માનવસેવા કરી. ગયા વર્ષે પૂ. મહારાજનો જન્મદિન ચિખોદરામાં ઉજવાયેલ ત્યારે જતાંવેંત મેં મુ. રમણીકભાઈને કહ્યું : “મારે સંસ્થા દર્શન કરવું છે.' પંડિતજી કહે : “ચાલો હું તમને લઈ જાઉં છું.' તેમની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy