SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પત્રકારનો ધર્મ ગૂંગળાતા પ્રજા અવાજને, સાચી રીતે રજૂ કરી, એને યોગ્ય વળાંક આપી ઘડવો પડતો હોય છે, આવી પડનાર આપત્તિ સામે અણનમ ટકી રહેવાનું બળ પૂરું પાડવું, અને તે પણ કેવળ કલમના જોરે-એ તો જે લખનાર હોય તેને જ ખ્યાલ આવે! છેલ્લા છ દાયકાથી એકધારું અમદાવાદની નાગરિકતાના ઘડતરમાં તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. એ રીતે તેઓ લોકસેવક સાથે લોકનેતા પણ હતા. તેથી જ વર્તમાન પત્રકારોમાં તેઓ શિરટોચના સરદાર હતા. અને આજનો શ્રદ્ધાંજલિ પ્રેમ તેનો જ દ્યોતક હતો. કોઈપણ પ્રશ્નને સમજવો અને પ્રજા સમજી શકે એવી ભાષામાં સમજાવવો એ તેમનું ગુરુકાર્ય રહ્યું હતું. કોઈની પણ શેહશરમ, દબાણ કે લોભલાલચ તેમની પવિત્ર લેખિનીને ભ્રષ્ટ કરવાની હિંમત કરી શકતું નહોતું. તેઓ ગીતાબોધ્યા ‘સ્વધર્મ’– ના તેમજ પોતાના અંતરદેવતાને હંમેશા વફાદાર રહેતા. ગાંધી વિચાર દર્શનના ઊંડા અભ્યાસી, મર્મજ્ઞ છતાં બાપુ ભક્તિ ઘેલા નહોતા, પ્રસંગ પડ્યે તેઓ ગાંધી સેવકોને પણ ટપાર્યા કરતા. સમસ્યાઓની અજબ-ગજબની ભુલ–ભુલામણી વચ્ચેથી પણ નાગદમનમાં કૃષ્ણે જેમ જમનાના જળમાંથી દડો શોધી નાગણો અને ગોવાળિયાઓને પણ પ્રસન્ન કરે છે તેમ એમના જીવનમાં પણ પ્રજા અને પ્રતિપક્ષની પ્રીતિ મેળવી લેવાના ઘણાં દૃષ્ટાંતો મળી આવે. એનું મુખ્ય કારણ તેઓ લખાણો કેવળ બૌદ્ધિક સિદ્ધાંતથી નહીં, પણ જાત અનુભવના એરણે કસીને પાડતા એમાં દેખાય છે. ૧૫. સત્સંગપ્રેમી મધુરીબહેન ખરે (તા. ૨-૧-૧૯૯૭) મધુરીબહેનના ભજન કે મંગલ ધૂનથી સભાસંમેલનનો પ્રારંભ થાય, ત્યારે વાતાવરણમાં એક અનુપમ રમ્યતા છવાઈ જતી. સેંકડોની સંખ્યામાં લોકોને તેમણે આવા કાર્યક્રમોમાં હિરવાણી સંભળાવી. અખંડ નામસ્મરણમાં ‘રઘુપતિ રાધવ’ કે રાજા રામ રામ રામ' જે ભાવથી તે ઝિલાવે, એ ઝીલનારના હૃદયમાં ઊંડું આસ્થા બીજ બની રહે. જાન્યુઆરીની બીજી તારીખે ૭૮ વર્ષની વયે તેમનું દેહાવસાન થયું. ગુજરાતમાં પિતા–પુત્રીની આ અનુપમ ભક્તિ સંગીતની બેલડી હતી. (પિતા નારાયણ મોખેશ્વર ખરે, આશ્રમ ભજનાવલિના યોજક) ભાઈ નારાયણ દેસાઈ તેમના વિશે નોંધે છે : ‘વૈષ્ણવજન' ગુજરાતી મટી રાષ્ટ્રીય ભજન બની ગયું. Jain Education International ૧૩૦ મધુરીબહેને આશ્રમ ભજનાવલીને સ્વરલિપિ આપી. કોઈ પણ સંગીતપ્રેમી સારુ એને પંડિત ખરેએ આપેલ મૂળસ્વરમાં ઢાળવાની સગવડ કરી આપી. આજે દેશના કૂડીબંધ આકાશવાણી કેન્દ્રો પરથી આ સ્વર ગૂંજે છે, તેમાં પંડિતજી અને મધુરીબહેનનો ફાળો ઓછો નથી. આશ્રમમાં જવાનું થાય ત્યારે તેમને ટહૂકો કરવાનું મન થતું. નડિયાદ ગયાં ત્યારે પ્રસંગોપાત મળવાનું બનતું; નહીં તો પત્રપ્રસાદી મળી રહેતી. હવે એ મીઠો સૂર અને મીઠો આવકાર કાયમ માટે ગુમાવ્યાનો મનમાં રંજ રહ્યા કરે છે. ૧૬. શ્રી બલવંતરાય નૌ. ખંડેરિયા (અવસાન : ૨૫-૮-૧૯૯૮, પૂના) જીવનસ્મૃતિના પરમચાહક, પ્રોત્સાહક અને લેખક મંડળના સભ્ય ભાઈ બલવંતભાઈએ પોતાના ગુરુદેવ સંતબાલજીની જયંતી પ્રસંગે (બળેવ) તેમની ભાવછાયામાં જ સમાધિ મરણ મેળવ્યું. તેઓ બહુશ્રુત, મિત્રપ્રેમી અને ચિંતક હતા. વર્તમાન પ્રવાહોના અચ્છા અભ્યાસુ હતા. પુસ્તકપ્રેમી એથી પુસ્તકખરીદી લેખકોને પ્રોત્સાહન દેનાર પણ હતા. મુનિશ્રી સાથેની ડાયરી ‘શ્રી સદ્ગુરુ સંગે : વિશ્વને પંથે’ પ્રગટ કરાવવા તેઓ અહીં રહ્યા તે દરમિયાન અમારે વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા થતી. એ પહેલાં તેમણે પોતાના વિશાળ ગ્રંથસંગ્રહને (પુસ્તકાલયને) યોગ્ય સ્થાનોએ વિતરણ કરવા માંડ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં બાપુના કેટલાક સાથીઓ હતા તેમાં મોહનભાઈ પણ એક હતા. તે એમના કુટુંબના વડીલ. વાંકાનેરથી ધંધાર્થે આફ્રિકા સ્થિર થયા. ૧૯૫૪ થી દેશમાં પૂના વસી ધંધો વિકસાવ્યો અને છેલ્લા એક વર્ષથી તેનો સંકેલો કરી રહ્યા હતા દર વર્ષે ઋતુ અનુકૂળતા પ્રમાણે તેઓ વિરમગામ તાલુકાના ઊકરડી ગામે મહિનો—બે માસ રહેવા જતા અને પોતાની વિશ્વમયતાની ભાવનાને જીવંત કરતા. અમારા વૃંદમાં તેઓ ઓછાબોલા પણ ઝાઝા કરવૈયા હતા. શાંત-મૂંગા બળરૂપે સૌને મિત્રભાવે પ્રેરણા આપતા. તેમના પત્રોમાં વિશિષ્ટ પ્રકારની પ્રૌઢી અને પ્રવાહ રહેતાં તેથી ફરી ફરી વાચવા ગમતા. તેમના સ્વભાવમાં એક મધુર મૃદુતા અને ગુણજ્ઞતા હતાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy