SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ અને પરિવારે તેમના જીવનનું આજીવન સંભારણું ‘સંસ્મરણો સરદારનાં : દાંડીયાત્રાનાં' પુસ્તક ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારીને હસ્તે, ગુજરાતી વેપારી મહામંડળ હોલમાં તા. ૨૬ ઑગસ્ટે વિશાળ પરિવાર અને અગ્રણી નાગરિકો વચ્ચે, વિમોચન કરી તેમના જીવનમાંથી ભાવિ પેઢીને શીખ લેવા ભલામણ કરી હતી. કપિલકાકાને ઈશ્વરદત્ત કુશાગ્ર બુદ્ધિ, આભિજાત્ય નાગર જ્ઞાતિની સંસ્કારિતા અને જીવનની યુવાનીમાં જ સરદાર અને ગાંધીના સંપર્કમાં આવવાની તક મળતાં રાષ્ટ્રભાવના ખીલી ઊઠી હતી. આ દિવસોનાં મધુર સંસ્મરણો તેઓ લખી ગયા હતા. આ સંસ્મરણોને સુચારુ રીતે સચિત્ર ઢબે સંપાદન કરી તેમના સુપુત્ર દિગંત દવે (જેઓ પોતે પણ એક સારા પત્રકાર છે) પ્રકાશિત કરાવ્યા છે. તેમનાં બીજાં બે સંસ્મરણાત્મક પ્રકાશનો-સરદારશ્રીના તથા અમદાવાદ શહેર અને નાગરી આલમને લગતાં ૧૯૯૩ના વર્ષમાં પ્રગટ કર્યાં હતાં. ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચ પ્રસંગે તેઓ જ એક માત્ર ફોટોગ્રાફર હતા. તેમની સરદાર અને ગાંધીજીની અમૂલ્ય તસવીરો ગુજરાતના ઇતિહાસની અમૂલ્ય સામગ્રીરૂપ હતી. આવું સુંદર પુસ્તક સમાજને આપવા બદલ શ્રી દિગંત દવે તેમજ દિવ્યાંગ દવે ખરેખર અભિનંદનને પાત્ર છે. ૧૩. આત્માર્થી શિવાકાકા (તા. ૨૬-૪-૧૯૯૬) શિવાકાકા એટલે શિવાભાઈ જેઠાભાઈ પટેલ, પણ એમની ઉંમર અને આત્મીયતાથી આશ્રમવાસીઓમાં સૌના શિવાકાકા જ બની ગયા હતા. એક જમાનામાં અમે ધનુષતકલી અને પેટી રેટિયા પર કાંતતા, ત્યારે અમે કહેતા : અમને કલ્યાણ કપાસની પૂણી આપો. આ કલ્યાણ કપાસના જનક શિવાકાકા એ તો બહુ પાછળથી જાણવા મળ્યું. તેમનું આખું જીવન કપાસ સંશોધનમાં ગાળ્યું તેથી કહેતા–કપાસનો છોડ મારા કુટુંબીજન જેવો બની ગયો છે. પાછળથી તેમણે ‘કપાસશાસ્ત્ર' નામે એક બૃહત ગ્રંથ તૈયાર કર્યો. તેની સંશોધિત આવૃત્તિ ૧૯૮૦માં છપાતી હતી, ત્યારે એક દિવસ તેઓ મને મળવા આવ્યા અને કહે : લેખક તરીકે મારે જે ફાઈનલ પ્રફ જોવાનાં છે, તે તમને સોંપવા આવ્યો છું.' મેં એ કામ સહર્ષ સ્વીકાર્યું અને એ બદલ તેમણે આભાર માનતી ગ્રંથમાં નોંધ લખી. Jain Education International પથપ્રદર્શક '૯૬માં તેઓ ગુજરી ગયા. આટલા લાંબા વર્ષોની તેમની સ્નેહગાંઠ ન તૂટી. અવાર-નવાર મળવાનું થાય ત્યારે તેમના પ્રયોગો, તેમના લેખો, તેમનાં સંશોધનો વિશે વાત કરે. હું નવજીવનમાં હતો ત્યારે તેમના જીવનના પ્રસંગો લખતા સૂચવતો. તેમણે લખ્યા અને મને બધી ફાઈલ સોંપી ગયા. મેં શક્ય તેટલી તેમાં મદદ કરી. પાછળથી તે ‘એક ડગલું બસ થાય' નામે પ્રગટ થઈ. એમાં એમના પુરુષાર્થી-આત્માર્થી જીવનની કિંબ જોવા મળે છે. એમના જીવનની ઝીણવટ, નીતિમત્તા, સત્યપરાયણતા, નીડરતા, ચોક્સાઈ અને તર્કપૂર્ણ રીતે વાત મૂકવાની અનોખી ઢબ અમ સૌના ઉપર ઊંડી છાપ પાડતાં. એક સરકારી અધિકારીમાંથી તેઓ આત્માર્થી આશ્રમવાસી બન્યા. એટલી હદે તેમણે પોતાના જીવનને ઉચ્ચગામી બનાવ્યું. જુગતરામભાઈની એક સુંદર નાની કૃતિ ‘ઇશોપનિષદ' તેમણે શિવાભાઈને અર્પણ કરી છે. ઇશોપનિષદનો ધ્યેયમંત્ર-‘ત્યાગીને ભોગવો’નું જીવંત દૃષ્ટાંત શિવાકાકા હતા. જ્યારે તેમની આત્મકથા પ્રગટ કરવા માટે મને સોંપી ગયા, પછી અમે ખર્ચનો વિચાર કર્યો. ત્યારે તેમણે મને એક નિખાલસ પત્ર લખ્યો : તેમાં તેમની વર્તમાન આવક પેન્શન અને બેન્ક બેલેન્સની વિગત લખી હતી. પોતાના બંને પુત્રો ડૉ. દિનુભાઈ અને નરેન્દ્રભાઈ-પિતાની ઇચ્છાપૂર્તિ માટે પૂરતા સાધન સંપન્ન હોવા છતાં તેમણે સ્વૈચ્છિક મૂડીથી, સંક્ષિપ્ત કરાવીને એ પ્રગટ કરી. ૧૪. પત્રકાર શ્રી વાસુદેવ મહેતા (અવસાન ૯ માર્ચ, ૧૯૯૭) ઘણી વખત પત્રકારને પોતાનો ધર્મ સ્વાનુભવમાં ખેંચી જઈ એની પોતાની કલ્પના ન હોય તેવું લખવાની ફરજ પાડે છે. પીઢ પત્રકાર વાસુદેવભાઈ આટલા ઓચિંતા ચાલ્યા જશે એવી તો કલ્પના પણ કેમ થઈ શકે? આજે આ લખું છું ત્યારે તાજા તેમના બેસણામાં સૌને મળીને આવું છું. સ્વામીનારાયણ વાડીમાં ખાસ્સો લોક દરબાર ભરાયો છે–જેમાં સામાન્યજનથી માંડી મુખ્યમંત્રી શંકરસિંહજી અને સમાજના બધા વર્ગના લોકો પોતાના આ લાડીલા પત્રકારને શ્રદ્ધાંજલિ આપવા, ભગ્ન હૃદયે છતાં ઉલસિત મને એકઠા થયા હતા. બહેનો અધિક જોવા મળતી તે વિશિષ્ટતા ગણાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy