SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ અભેદબુદ્ધિએ પહોંચ્યાં હતાં. હતાં તો ગૃહિણી પણ પ્રકૃતિ માતાને ખોળે ઊછરી ‘સ્વકીય' અને ‘પરકીય’ વચ્ચેની ભેદરેખા સાવ પાતળી કરતાં જતાં હતાં. તેનું ઉત્તમ દૃષ્ટાંત પોતાના દીકરા દીકરીઓ હિંદુ પરિવારોમાં કુલવધૂનાં માન આબરુ પામ્યાં એ છે. લગ્ન કરીને આશ્રમની ઇમામ મંઝિલે પોંખાયાં ત્યારનો તેમનો ચહેરો મને બરાબર યાદ છે. વિનય લજ્જા છતાં આતિથ્યની આત્મીયતા. એ વારસો તેમણે જીવનભર જાળવ્યો, ઉજાળ્યો. ધર્મભૂલ્યા ઝનૂનીઓને હાથે કેવું સહન કર્યું તે સાંભળતાં અમારી આંખોમાં અશ્રુ આવી ગયાં હતાં. તરવડાથી ભાઈ સલીમભાઈ લખે છે : એક કલી આયી થી, ખુશ્બ લે કે, કુછ દમ કે લિયે, વહ ગઈ અબ તો, કાંટો કી રફતાર હૈ સાકી!' બહેન ગઈ! સુવાસ મહેક્યા કરે છે, અને એમના જીવનનું એ જ મિશન હતું! તેમના અવસાન પછી ભાઈ વહીદભાઈ અને દીકરીઓ સાથે નિરાંતે થોડી પળો ગાળવાની મળી હતી. ભાઈ સલીમભાઈ લખે છે તેમ પરિવારે એમના મૃત્યુના મલાજાને ઉજાળ્યો હતો. હિંદુઓમાં રાધા, અને મુસ્લિમોમાં લયલા–એક ચિરપરિચિત નામ–પોતાનું જીવન મિશન માનવજાત આગળ ગાયાં જ કરશે! ૧૧. શ્રી કૃણાલ ગીતાબહેન જૈન મુંબઈ સર્વોદય મંડળનો હોનહાર યુવક, મહારાષ્ટ્રના રાણેગણસિદ્ધિના અનન્ય સેવક, અણ્ણા હજારેનો પ્રીતિપાત્ર, જૈન સમાજનાં સંમેલનોમાં સ્વયંસેવક બની નેતૃત્વ પૂરું પાડતો, નાની ઉંમરમાં અનેક બૌદ્ધિક કલાઓ વિકસાવી હેરત પમાડતો, બહેન ગીતા જૈનનો એકનો એક સુપુત્ર અકસ્માતે ચાલ્યો જતાં એમના અનેક સાથી મિત્રો તેની સ્મૃતિ તાજી કરતાં ગળગળા થઈ જતા. એનો ખાલીપો પુરાય એમ જ નહોતો. મુલુન્ડની (મુંબઈ) નગરપાલિકાને ધન્યવાદ છે કે એક અગ્રગણ્ય ચોકને કૃણાલની સ્મૃતિ સાથે જોડી–જેનું જીવન સમાજ અર્થે સર્જાયું હતું તે સમાજે તેનું સંભારણું જીવંત રાખવા ૧૦મી માર્ચે ‘કૃણાલ જૈન ચોક’ના નામાભિમાન કરાવી ઊગતી પેઢીને સમાજસેવાના કાર્ય પ્રત્યે આકર્ષિત કરી છે. યોજકો ખરેખર ધન્યવાદને પાત્ર છે. Jain Education Intemational ૧૩૫ ૧૨. કપિલપ્રસાદ દવે (તા. ૬ જૂન, ૧૯૯૬) જીવનસ્મૃતિનો પ્રથમ અંક રથયાત્રાદિન-૨૧મી જૂન ૧૯૯૩ના રોજ પ્રગટ થયો હતો. જીવનસ્મૃતિનો પ્રથમ અંક પ્રગટ કર્યો-જાણીતા ચિંતક પીઢ પત્રકાર વાસુદેવ મહેતાને હસ્તે તેનું વિમોચન થયું અને એવા જ અજોડ પત્રકાર કપિલપ્રસાદ મ. દવે (જીવનસ્મૃતિ સભ્ય પરિવારના સૌથી વયોવૃદ્ધ–૯૪ વર્ષ)ને તે અર્પણ કર્યો. આ ત્રણ વર્ષના ગાળા દરમિયાન એક પિતાના હેતથી એમણે મને પ્રોત્સાહિત કર્યો છે. માંદગી કે પ્રવાસને બાદ કરતાં છેક નવા વાડજથી મણિનગર (૧૭ કિ. મીટરનું અંતર) લાકડીને સહારે એકાકી જ આવે. અને ન અવાય ત્યારે તેમની પત્ર પ્રસાદી અચૂક મોકલે. તેઓ ઠ્ઠી જૂને અક્ષરવાસી થયા. તેમની અપાર માનવતા, અસાધારણ સ્મરણશક્તિ ને અદમ્ય ઉત્સાહ-આશા છતાં જીવન પ્રત્યે અનાસક્ત, એક યોગી જેવું કર્તૃત્વ-તેથી પોતે જીવનનાં ૧૧૧ વર્ષ પૂરાં કરશે, આમ મને તાજું કરાવતા. પરંતુ ઈશ્વરની ગતિ ન્યારી છે, તેમની યોજનામાં કાપ મૂકીને ૯૬ મે વર્ષે જ તેમને બોલાવી લીધા! છેક અંતિમ દિવસો સુધી આંખ અને હાથમા ચાલ્યાં ત્યાં સુધી તેઓ અમને લખતા રહ્યા : * આપને ત્યાં ‘ટાઈમ્સ' આવતું હશે ૬ઠ્ઠીના ટાઈમ્સમાં મારી બે તસવીરો સાથે ઘણી બધી વાત તેમાં આવી હતી. આખું પાનું જણાઈ આવતું હતું. (૧૦-૪-૯૬) લખું છું. તબિયત બગડે, પણ મારી ફરજ તો ન જ ચૂકું...... મેની ૧૩મીએ અવસાન પૂર્વેના આગલા શુક્રવારે હું તેમને મળવા ઇસ્પિતાલમાં ગયો હતો. બેશુદ્ધ અવસ્થામાં હતા. મારું નામ સાંભળી આંખ ઉઘાડી. મારો હાથ તેમના હાથમાં લીધો. અને શબ્દો ઉચ્ચાર્યા : ‘હું જીવતો છું.’ મેં કહ્યું : ‘તમે જીવતા જ છો, તમારા જેવાને મૃત્યુ મારી જ ન શકે.' શ્રી કપિલપ્રસાદ દવેની જન્મશતાબ્દી શ્રી કપિલપ્રસાદ દવે આજીવન લોકસેવક, પીઢ પત્રકાર અને સ્વાતંત્ર્યસેનાની રહ્યા. તેમનો જન્મ ૩-૭-૧૯૦૦માં થયેલ. તે રીતે તેમની જન્મશતાબ્દી ઉજવણીના ભાગ તરીકે તેમના પુત્રો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy