SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ એમના પરમ મિત્ર બાબુભાઈ જ. પટેલ કહે છે : ‘વિનોબાજીનો રંગ એવો લાગ્યો કે લુંગી અને દાઢી પણ સ્વીકારી. ગીતા પ્રવચનો લગભગ ૫00 વખત વાંચી જઈને રેકર્ડ કર્યો.' શ્રી ગોરા કહે છે : નમ્રતામાં એમની ઊંચાઈને આંબે તેવી પ્રતિભા મેં હજી ભાળી નથી. નમ્રતાને માનવી બનવાનું મન થયું અને એ ધીરભાઈ થઈ. શ્રી પુ. ગ. માવળંકર લખે છે : ધીરુભાઈ એટલે એક શુદ્ધ અને સુરેખ વ્યક્તિત્વ ધરાવતા સદાબહાર પ્રસન્ન જીવ, અધ્યાત્મ તરફનું એમનું વલણ આખર સુધી અકબંધ રહ્યું. અત્યંત ચિકાટી, અપાર સુજનશીલતા, અનોખી સ્વભાવજન્ય સમજણ ધરાવનાર ધીરુભાઈ એક પ્રેમાળ સગૃહસ્થ હતા., એમના ચિકિત્સક ડો. રમેશ કાપડિયા લખે છે : તેમના જેવા દરદી મળવા મુશ્કેલ. સૂચનાનું અક્ષરશઃ પાલન કરે....ઘણી વાર એમની વાતો સાંભળી એમને બિલકુલ તપાસ્યા વિના-હાથ અડાડ્યા વિના હું એમને જે સૂચવું તેનું ચુસ્તપણે પાલન કરે....જીવનમાં છેલ્લાં અગિયાર વર્ષ તો એમણે બિલકુલ મીઠા વગરનો ખોરાક લીધો, અને ઘરની બહાર પગ પણ ન પ્રતિભાઓ ૬. કુ. અન્નપૂણબિહેન મહેતા | (તા. ૧૫-૧૨-૧૯૯૨) ૧૯૪૬માં મઢી પાસેના બેડી ફળિયામાં અન્નપૂર્ણાબહેને એક આદિવાસી ઝૂંપડાના ઓટલા પર બાલવાડીનો પ્રારંભ કર્યો, પછી તેમને મકાન મળતાં પ્રવૃત્તિ વિકસી રહી : જુગતરામભાઈ જણાવે છે કે ન જણાવે છે કે, “અન્નપૂર્ણાનો આ સ્વયંભૂ અને પોતાની જાતે વો , , ળ બાલવાડી ચલાવવાની આગવી રીત અમારા માટે પ્રેરણાસ્ત્રોત બની ગયો.” ગિજુભાઈ બધેકા અને તારાબહેન મોડકનો બાળકો માટેનો પ્રેમ અને તેમના મનોવિજ્ઞાન માટેની સૂઝ એ જુગતરામભાઈને ગમતાં, પણ તેમને આદિવાસી વિસ્તારમાં જો આ કામ કરવું હોય તો તે કેટલું અનુકૂળ પડે એ પણ સમસ્યા હતી. કારણ કે શહેરમાં કે ધનિક માટે ચાલતાં બાલમંદિરો ખર્ચાળ હોય, તેમની રહેણીકરણી પણ ભિન્ન પ્રકારની એટલે એવા દબદબાભર્યા ખર્ચાળ સાધનો ગ્રામ્ય વિસ્તારમાં અને તેમાં ખાસ કરીને નિર્ધન આદિવાસી બાળકો માટે તો એક સ્વપ્ન જ રહે. બની આવી મીઠી મૂંઝવણ અનુભવતા જુગતરામભાઈને અન્નપૂર્ણાબહેનના પ્રયોગે નવી દિશા સુઝાડી. પરિણામે બાલવાડી શરૂ કરવાનો આગવો કાર્યક્રમ તૈયાર થયો, એણે બાલવાડી માટે નવી ભાત પાડી. કન્યા આશ્રમ અને વાત્સલ્યધામની સંસ્થાઓ મારફતે તેમણે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી કન્યા કેળવણી ક્ષેત્રે મોટું પ્રદાન આપ્યું. તેમની નમ્રતા, સાલસતા, નીડરતા અને કામને વળગી રહેવાના સાતત્ય ગુણથી પોતાના દુર્બળ અને રોગી શરીરથી પણ અભુત કાર્ય લીધું અને આદિવાસી કન્યા કેળવણીના ક્ષેત્રે બહુમૂલ્ય ફાળો આપ્યો.' ૭. ત્યાગમૂર્તિ શ્રી ધીરુભાઈ મ. દેસાઈ અતિગ્રંથ છે અગાસીવાળા ધીરભાઈ દેસાઈનો. ધીરભાઈ એટલે મતિમંત ત્યાગ, સેવા અને સમર્પણની નમ્રતામૂર્તિ. તેમના મિત્રોએ એમને જે રીતે ઓળખ્યા છે તેનાં કેટલાંક શીર્ષકોથી જ એનો ખ્યાલ આવી જશે. જે ત્યાગમૂર્તિ ધીરુભાઈ જ ટ્રસ્ટીશિપનું જીવતું જાગતું ઉદાહરણ જ ઊંચાઈ, નમ્રતાની જ આજીવન આસ્તિક અને અખંડ અભ્યાસી મૂર્તિમંત સંવેદનશીલતા કે સુભગભૂષણ, પ્રસન્નમુખ સમાજસેવક જ ગાંધી વિચારને આચરનારા જ મૈત્રી–મુદિતાના પરમ સાધક–અહીં નમૂનારૂપ થોડાં જ દૃષ્ટાંતો આપ્યાં છે. મૂક્યો. એમના પરમ મિત્ર કવિ રતુભાઈ દેસાઈ લખે છે : ‘ત્યાગીને ભોગવ' એ ઉપનિષદના મંત્રને તેમણે જીવનમાં પ્રગટાવ્યો છે, અને પોતાની, પોતાના કુટુંબની સ્થાવર જમીન તથા મકાનો જેનું મૂલ્ય આજને હિસાબે લાખોનું કે તેથી વધારે થાય, થવા જાય તે સમસ્ત મિલકત સર્વોદય ટ્રસ્ટને શિક્ષણ માટે અર્પ દઈને પોતે ફકીર બની ચૂક્યા હતા....૧૯૮૮માં ૧૧મી ફેબ્રુઆરીએ, સાહિત્યિક પ્રવાસ દરમિયાન મારાં પત્ની મમતાનું અણધાર્યું અવસાન નીપજ્યું. એ એકલતાના દિવસોમાં તેમણે વારંવાર જીવન અને મૃત્યુ વિશે ચિંતનપ્રેરક પત્રો પાઠવી, મને ભારે આશ્વાસન આપ્યું હતું. સ્વ. મમતાની પુણ્યતિથિ પર દર વર્ષે પત્રો લખી અંજલિ આપનારા છે, તેમાં ધીરૂભાઈ એક વિરલ અપવાદ હતા. આ લખનાર મનુ પંડિત લખે છે : “સેવક કાર્યકર્તાનો પહેલો ગુણ મને એ સમજાયો કે કોઈપણ નાના કે મોટા તેની આગળ આવી પોતાનું દિલ નિખાલસપણે ખોલી શકે. આવો ગુણ રવિશંકર મહારાજ અને બબલભાઈ મહેતામાં આપણે જોઈ શકતા. ધીરુભાઈમાં પણ આ મૈત્રી-મુદિતાનો અનુપમ ગુણ આપણને જોવા મળતો.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy