SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ થઈ જતો. શરીર નાજુક, શારીરિક શક્તિની મર્યાદા છતાં તેમના હૃદયના મૂંગાબળે એમની પાસે અનેકનાં કામો કરાવ્યાં. ડઝનબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા, નામના જ નહીં, કામના છતાં પોતાની જાતને હંમેશા પાછળ રાખે. ન ભાષણ, ન લેખો લખવા, ન ફોટા પડાવવા, ન મોટા માણસોની ઓથ લઈ આગળ જવું કેવળ વિનમ્ર નાગરિક તરીકે ફરજ બજાવવી. આજનાં ધોવાતાં જતાં જીવનમૂલ્યોમાં તેમના જેવા પરહિત શ્રેષ્ઠી સાચા અર્થમાં મહાજન, કુટુંબવત્સલ, આદર્શ નાગરિક અને અનેક સંસ્થાઓના સન્મિત્ર જતાં સમાજમાં વહેતા આવા શાંત મૂંગાબળની કેટલી જરૂર છે તે જણાઈ આવે છે. મારા અંગત જીવન ઉપર અને મારા પરિવાર ઉપર ભાઈદાસભાઈની અને પૂ. રવિશંકર દાદાની મીઠી છાયા સદા રહી છે. (“વિશ્વવાત્સલ્ય'માંથી તા. ૧૬-૬-૧૯૯૭) ભાલનાં મૂકસેવિકા ૪. લલિતાબહેન નવલભાઈ શાહ (તા. ૧૮-૧૦-૧૯૯૧) સુશિક્ષિત કુટુંબમાં જન્મેલાં, રાષ્ટ્રીય અને ધાર્મિક સંસ્કારોથી સિંચાયેલાં, એવા જ સુસંસ્કારી તેમ જ શિક્ષિત કુટુંબમાં પરણેલાં, પતિના જીવનધર્મને–ગ્રામસેવાધર્મને-હૃદયથી વરેલાં અને છેવટ સુધી એને જ સ્વધર્મ સ્વરૂપે વળગી રહેલાં, લલિતાબહેન ગુજરાતનાં સ્ત્રી-કાર્યકર્તાઓમાં મૂંગું છતાં આગવું સ્થાન ધરાવતાં હતાં. કુશળ શિક્ષક, કેળવણીકાર, યંત્ર અને તંત્રવિ, લેખકપત્રકાર-નવલકથાકાર, ગોપ્રેમી અને ગ્રામોદ્યોગપ્રેમી, ચિંતક, સાધક-જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા પતિ શ્રી નવલભાઈના જીવનમાં તેઓ કેવાં આશાદીપ અને શ્રદ્ધાદીપ બન્યાં હતાં એ આ સ્મૃતિ-સુવાસ માણતાં જોઈ શકાય છે. જેમને એમના જીવનની સેવા અને સંસ્કાર–સુવાસ માણવા મળી છે એવા કુટુંબીજનો, જેમની સાથે કાર્ય કરવાની તક મળી છે એવા સહકાર્યકરો અને એમની છાયામાં વિકસેલા એમના કેટલાક વિદ્યાર્થીઓએ આ સુવાસમાં, પોતાનાં સ્મરણસુમનો ભરી આ છાબને મહેકાવી છે. પથપ્રદર્શક માધુર્યનાં ઉદ્ગાતા ૫. લાભુબહેન મહેતા (સોપાન) ગાંધીયુગની પ્રબળ પ્રેરણા અને અસર તળે આવેલ આપણી સામાજિક બેલડીઓમાં સોપાન દંપતી એમના વિચારો કરતાં જીવન માધુર્યથી વધારે પ્રેરણાદાયી બની રહ્યાં હતાં. સોપાન '૮૬માં ગયા અને લાભુબહેન ગઈ જુલાઈની ૪થી તારીખે ૧૮ વર્ષની વયે ગયાં. પણ એમનું સૌથી મધુ, અને ગમતું કામ તો એમણે સ્મૃતિ–શેષ સોપાન' નામે સોપાનના અવસાન પછી જે ચરિત્ર સમાજને ચરણે ધર્યું છે. અમદાવાદ આવ્યાં ત્યારે ઓચિંતાના અમારા વિશ્વવાત્સલ્યના કાર્યાલયે પહોંચી ગયાં. શ્વાસ માય નહીં. તે દિવસે અડધોએક કલાક રોકાયાં અને જીવનના પ્રસંગો હું જેમ પૂછતો જાઉં તેમ તાજા કરતાં જાય, સોપાનના પણ ઘણા પ્રસંગો કહ્યા. પોતાના મૃત પતિની સ્મૃતિમાં, આપણા સમાજમાં બહુ ઓછાં બહેનો એમનું ચરિત્ર કે સંસ્મરણો લખતાં હોય છે. લાભુબહેને આ કર્યું અને એક ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું. કોઈ શોકસભામાં કે શ્રદ્ધાંજલિ સભામાં મને બે શબ્દ કહેવાની તક મળતી તો એ દિવસોમાં હું એમનું દૃષ્ટાંત આપતો. એમાં એમના જીવનનું એક માધુર્યભર્યું સંભારણું કાયમ યાદ રહી ગયું છે. લાભુબહેન એટલે સૌરાષ્ટ્રના સિંહ સમા અમૃતલાલ શેઠ, જન્મભૂમિના સ્થાપક, મોટા રજવાડીનાં દીકરી, લગ્ન સાવ સામાન્ય કુટુંબમાં, સસરાને સંકોચ થાય, આપણા કુટુંબમાં આ બાઈ ભળી શકશે? પણ એવાં મળ્યાં કે એમના સસરાએ અંતિમ માંદગીમાં પાસે બોલાવીને કહ્યું, “બેટા, લાભુ! “મારા મોમાં ગંગાજળ તમે મૂકજો.” એમણે ઘણું લખ્યું છે, પણ એમનું જીવંત સર્જન તો એમની ત્રણ દીકરીઓ વર્ષાબહેન, ગીતાબહેન અને રૂપાબહેન-ત્રણેય માતા-પિતાનો વારસો સવાયો કરી સમાજને આપી રહ્યાં છે. કેટલાંક પુસ્તકો સાથે જીવનની, સ્નેહની કડી મજબૂત રીતે બંધાઈ ગઈ હોય છે. તેમણે આપેલ સોપાનનું ચરિત્ર ઋતિશેષ સોપાન' પણ એવું જ સ્મરણીય બની રહ્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy