SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૨. શ્રી દિલખુશભાઈ દીવાનજી. ડિસેમ્બર માસની ૧૦-૧૧ તારીખોમાં દાંડીયાત્રા તીર્થનાં દર્શન કરવાની મને વિશેષ તક મળી. આ પહેલાં બેત્રણ વખત હું ત્યાં જઈ આવ્યો છું. આ વખતે વિશેષ પ્રસંગ હતો-શ્રી દિલખુશભાઈ બ. દીવાનજીની જન્મ શતાબ્દીનો. એ નિમિત્તે એમનો સ્મૃતિગ્રંથ પ્રગટ કરવાનો હતો, જેનું સંપાદન કાર્ય આ સેવકને હાથે થયું હતું. વિશ્વની સ્વાતંત્ર્યની ચળવળોમાં દાંડીયાત્રાનું પણ અનેરું નામ છે. ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ સાબરમતીથી પોતાના ૭૯ સત્યાગ્રહી સૈનિકોને, સાથીદાર બનાવી ૧૨ મી માર્ચ ૧૯૩૦ એ આ ઐતિહાસિક કૂચ કરી હતી. બાપુ કરાડીની જે કુટિરમાં રહ્યા હતા, ત્યાં દિલખુશભાઈ જ્યારે રહેતા હતા ત્યારે તેમના સાંનિધ્યમાં ૧૯૫૦માં મને તેમની સાથે એક સપ્તાહ રહેવાની તક મળી હતી. એ મારું પ્રથમ સ્મરણ. આજે બધી સંસ્થાઓને સાચા, કાર્યક્ષમ નિષ્ઠાવાન સેવકો મળતા નથી, એ સૌની ફરિયાદ રહી છે. જેવા ગર તેવા જ શિષ્યો થાય. દિલખુશભાઈએ જે પ્રેમ અને હંફ આપ્યાં, તદન ઓછું ભણેલ છતાં નિષ્ઠાવાન સેવકો આપ્યા છે તે ખાદી અને રેંટિયાના ક્ષેત્રે અજોડ જેવા બની રહ્યા હતા. રેંટિયાની ભક્તિ આજે ક્યાં છે? તેઓ કોઈપણ વાત કરે તો ગાંધીમાંથી ખાદીમાં લઈ જાય અને ખાદીની વાત કરે તો ખાદીમાંથી ગાંધીમાં લઈ જાય. અખંડ સૂત્ર એટલે ગાંધી વિચાર. બીજી વાત એ કહી કે જેમના કુટુંબની બબ્બે પેઢીઓએ અરી ધએ પેટીઓએ સૂરતના નવાબને સમયે દીવાનપદું ભોગવ્યું, જ્યારે સૂરત સોનાની મૂરત હતી, અને અંગ્રેજ સરકારે જાણે કે યાવચંદ્રો દિવાકરો જેવું પેન્શન બાંધી આપેલ. તેમ છતાં તેમના સાહિત્યમાં કે લેખનમાં ક્યાંય મને નાગરકુળનું અભિમાન કે દીવાનપદનું ગૌરવ જોવા મળ્યું નથી. અને તેઓ શરૂઆતમાં માત્ર ૧૫ રૂપિયા જેવા નજીવા પુરસ્કારમાંથી પોતાની જીવનચર્યા ચલાવી, શૂન્ય રૂપિયો શૂન્ય આનો, શૂન્ય પાઈનો સંસ્થા ચલાવવાનો આદર્શ તેમણે આપ્યો. કાંઠા વિભાગના લોકો તેમને માનસરોવરથી ભૂલો પડેલ કોઈ હંસ' કહેતા. મેં તેમાં ‘રાજ’ ઉમેરી “રાજહંસ'થી નવાજયા. જેમણે આ વિસ્તારની સમગ્ર પ્રજાને સફેદ ખાદીનાં ઊજળાં વસ્ત્રો ધારણ કરાવી, તન અને મનથી નિર્મળ કર્યા. કાર્યક્રમ તેમની ગાંધી કટિરમાં યોજાયો હતો. અહીં ૧૩૧ કરાડી-મટવાડ-દાંડી બધાં ગામો એકમેકમાં ભળી ગયાં હોય એમ હાથની આંગળીઓ જેમ ગૂંથાયેલ હતાં. દાંડીમાં સરકાર તરફથી સુંદર દર્શનીય સ્મારક બન્યું છે. વાંકા વળીને જમીન ઉપરથી ચપટી મીઠું ઉપાડતા બાપુનું ચિત્ર એ તેમની આશ્રમ પ્રસ્થાનની યાત્રા જેટલું જ જાણીતું ચિત્ર છે. તાજેતરમાં વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકોનો જે કોશ પ્રગટ થયો છે, તેનું મુખપૃષ્ઠ આ ચિત્રથી શોભી ઊઠ્યું છે. નવસારીથી દાંડીનો આખો માર્ગ વૃક્ષ આચ્છાદિત પાકો અને બંને તરફ લીલી કુંજોથી નયનરમ્ય લાગે છે. ૧૯૩૪ થી ૧૯૯૧ના અવસાન સુધી તેઓ અહીં ગાંધી કુટિરમાં રહ્યા હતા. ૩. ભાઈદાસ પરીખ બાલગોવિંદ પ્રકાશનના સ્તંભરૂપે શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે, સર્વોદય પ્રવૃત્તિ, અને લોકકેળવણી ક્ષેત્રે, આરોગ્ય, અંત્યોદય, નશામુક્તિ અને માનવરાહત ક્ષેત્રે, નાગરિક જાગૃતિ અને નૂતન નાગરિકોના ઘડતર ક્ષેત્રે, સર્વોદય-ગાંધીસાહિત્યના પ્રચાર અને પ્રકાશન ક્ષેત્રે જેમણે કદી પણ પોતાના નામને આગળ આવવા દીધું નથી, એવું મૂંગું બળ આ માસની ૧૦મી તારીખે એકાએક અલોપ થઈ ચૂક્યું છે. ગુજરાતના સેંકડો રચનાત્મક સેવકોના હૃદયમાં જેમનું સ્થાન એક ખરેખરા ‘ભાઈ’ તરીકેનું હતું અને અણીને વખતે ઊભા રહી સદાય ટેકો આપતા એવા અનેક સ્નેહાળ અને સૌમ્ય મિત્રના મૂંગાબળનું વિલીન થઈ જવું એ ખરેખર એક ભારે મોટા આધાત સમું છે. બાબુ જયપ્રકાશજી, રવિશંકર દાદા, સ્વામી આનંદ, જુગતરામભાઈ, દર્શક અને બબલભાઈ જેવા પીઢ રચનાત્મક સેવકોના તેઓ નિકટના સાથીદાર હતા. સંસ્થા સંસ્થાઓ વચ્ચેના કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે મનમુટાવ થતાં આ બધી વ્યક્તિઓ પોતાના મધ્યસ્થી તરીકે તેમને મૂકીને નચિંતતા અનુભવતી. આ શ્રેષ્ઠ ગુણ તેમણે પોતાની મહાજન પરંપરામાંથી મેળવ્યો હશે, તેમ છતાં તેને અનેક રીતે પોતે કેળવી બતાવ્યો હતો. વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓના વિચારોને સહિષ્ણુતાપૂર્વક ઝીલવા અને તેને મિતભાષી અને હિતભાષી બનાવી સમ્યગુ રીતે હૃદયમાં સંધરી, યથા સમયે સામા પક્ષે રજૂ કરવાનું કાર્ય તેમના મૂંગાબળનો એક અજોડ નમૂનો હતો. પ્રેમ અને અનુકંપાથી ભર્યું ભર્યું હૃદય કોઈના ય કામને ઇન્કારી શકતું નહોતું. ક્યારેક આ બોજો ગજા ઉપરવટનો પણ ' Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy