SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ૧. શતાયુ બ્રહ્મષિ સ્વામી શ્રીકાન્ત આપટેજી (૨૫ માર્ચ, ૨૦૦૩) આપટેજીએ જીવનભર માનવધર્મની ઉપાસના કરી, અને માનવધર્મનો પ્રચાર કર્યો. કેવળ શબ્દોથી જ નહીં, જીવન દ્વારા. અખિલ ભારત ભૂદાન યાત્રા તેમના નેતૃત્વમાં આખા દેશમાં ફરી. તેમણે ભારતના તમામ પ્રાંતો અને કોમોમાં કેવળ માનવધર્મનો પ્રચાર કર્યો. પોતાની આત્મકથાની પ્રસ્તાવનામાં લખે છે : “જાતીયતાનું, પ્રાંતીયતાનું, સાંપ્રદાયિકતાનું, રાષ્ટ્રીયતાનું શક્તિશાળી સીમોલંઘન કરી વૈચારિક સીમોલંઘન કરો, ઉદ્ઘોષ - કરો–મારી જાત હિંદુ, મુસલમાન, ઇસાઈ નહીં, પણ માણસ. મારો ધર્મ માણસાઈ. માણસ અને માણસાઈ વચ્ચે આવનારને હું હટાવીશ. જાત માણસ, ધર્મ માણસાઈ–માનવધર્મનિવાસસ્થાન વિશ્વ. સ્વામીજીનો જન્મ ૨૫ મે ૧૯૦૦, બચપણ પૂના શહેરમાં, કિશોરાવસ્થા રાજકોટમાં જ્યાં ગાંધી બાપુનાં પ્રથમ દર્શન તેમના પિતાજીએ કરાવ્યાં અને બાપુને તેમને અર્પણ કર્યા. તેઓ રાષ્ટ્રપિતાના રાષ્ટ્રપુત્ર બન્યા. યુવાનીમાં મહારાષ્ટ્રના ક્રાંતિકારી બોમ્બ મંડળમાં જોડાયા. સરકારથી જાત છુપાવવા જ્યાં ત્યાં ભટકયા. ગાંધીજીની અપીલે આત્મસમર્પણ કરી જાહેર થયા. વર્ષો સુધી સુરત પાસેના તાપી નદીના કાંઠે આવેલ રાંદેરમાં તેમણે કોમી એકતાને કેન્દ્રમાં રાખી અજ્ઞાત કાર્ય કર્યું. અહીં જ એમણે વિનોબાજીની જેમ ઋષિ ખેતીનો-કોદાળીનો પ્રયોગ અને કાંચનમુક્તિનો પ્રયોગ કર્યો. આ પ્રયોગે તેમને ગુજરાતભરમાં જાણીતા કર્યા. સર્વોદય સંમેલનોમાં વિશેષ જાણીતા થયા. વિનોબાના ભૂદાન કાર્યમાં લાગી ગયા. દેશભરમાં ભૂદાન યાત્રામાં તેમને ભારત જન-મનગણનું માનસ પરખાઈ આવ્યું. એમને લાગ્યું કે પંજાબની પ્રજા શૂર છે, વીર છે. અભય તેમના લોહીમાં કંઈક પડ્યો છે અને તેમણે ૧૮ વર્ષની ઉંમરે પંજાબના જાલંધર શહેરમાં સેવાશ્રમ સ્થાપી પોતાનો કાર્યક્રમ શરૂ કર્યો. અહીં વર્ષો સુધી તેમણે ગીતા ઉપર વ્યાખ્યાનો આપ્યાં. સતત પારાયણ ચાલ્યાં કર્યા. તેમના સત્સંગમાં યુવક-યુવતીઓ પણ ભળવા લાગ્યાં હતાં. ગાંધીજીએ પણ આશ્રમવાસીઓને વ્રતોની ચર્ચા કરતાં કહ્યું છે કે : “અભય વિના બીજી સંપત્તિઓ ન સાંપડે. અને પછી પૂછે છે–અભય વિના સત્યની શોધ થાય? અને હિંસક પથપ્રદર્શક શસ્ત્રો વિશે સમજાવે છે કે- તલવાર શૂરની સંજ્ઞા નથી, બીકની નિશાની છે.” આપટેજી પણ આ જ વાત તેઓ પંજાબના વીર, લડાયક અને ધર્મપ્રેમી શીખોને સમજાવતા રહ્યા. આ હિંસૂ કૂકરીકિરપાણ તમે હવે ત્યજો.” અહીં ૧૯૯૯માં પોતાની જન્મ શતાબ્દી પ્રસંગે ગાંધી આશ્રમમાં-બાપુના હૃદયકુંજમાં શ્રદ્ધાંજલિ અર્પતાં તેમણે ઉચ્ચારેલા વચનો યાદ આવે છે. તેઓ કહેતા કે હું અમારા પંજાબી ભાઈઓને સમજાવું છું કે હવે તમારું રક્ષણ આ તલવાર નહીં કરી શકે, એને છોડો અને આત્મબળને ખીલવો. સંતો સ્વભાવે મૃદુ અને કરુણાવત્સલ છે. લોકોની વેદના સહન કરી શકતા નથી. આપટેજીએ શતાબ્દી વટાવ્યા પછી, તેમના પ્રત્યેક કાવ્યાત્મક પત્રમાં હિંસા, બળાત્કાર, ભૂકંપ, યુદ્ધની વિભિષિકા માનવ-માનવ વચ્ચેના તનાવ જોઈ તેમનું દિલ દ્રવી ઊઠતું. ગીતાની ભાષામાં “સર્વ ધર્માનું પરિત્યજય’ની વાત તો તેમની અવિરત ચાલુ જ હતી. પણ શરીરનાં અંગો હવે આરામ માંગતાં હતાં. ૧૯૯૯માં તેમની જન્મશતાબ્દી પ્રસંગે જ્યારે તેઓ ગુજરાતમાં આવ્યા ત્યારે લાંબી ટ્રેન મુસાફરી છતાં થોડો વિશ્રામ કરી બીજા દિવસથી અહીંનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેમને ચાલવા માટે ટેકાની જરૂર નહોતી પડતી, સાંભળવાને કાન પૂરા સક્ષમ હતા. આંખો બરાબર નજર પારખી શકતી. ૫૦ વર્ષ પહેલાનાં રાંદેરમાં તેમના હાથે ભણી ગયેલાઓને બધાને ઓળખી કાઢતા હતા, એટલે કે સ્મૃતિ અને મેધા તેજ હતાં. પરંતુ તેમને લાગ્યું કે હવે આ શરીર મારફતે પૂરતું કાર્ય લીધું છે અને તેને બ્રહ્મને સોપવું જોઈએ. તેથી માર્ચના પ્રારંભથી તેમણે ખોરાક ઓછો કરી નાખ્યો. માત્ર દહીં લેતા. અન્નનો ત્યાગ કર્યો અને એમ મહારાષ્ટ્ર સંતધર્મ પ્રમાણે દેહશુદ્ધિ કરી ૨૫મી માર્ચે બપોરે ૩-૩૦ મિનિટે આ દેહને તેમણે બ્રહ્મને સોંપ્યો. બ્રહ્મલીન થયા. તેઓએ ડઝનેક પુસ્તકો લખ્યાં છે, તેમાં તેમની ભાષાની મધુરતા તેમની આત્મકથામાંથી મળી રહે. કાવ્ય-કથનની શૈલી કબર’માંથી. ચિત્રાંકન “મંગલમૂર્તિ ગણેશ'માં પોતાની ૯૯મા વર્ષે એક હજાર ગણેશના રેખાંકન કરી તેમણે એક અનોખો ગણેશ જ્ઞાનયજ્ઞ દેશને ચરણે ધર્યો. તા.ક. ગુજરાતી સાહિત્ય પરિષદના આ શતાબ્દી વર્ષમાં તેમની હું આત્મકથાને પસંદ કરેલ સો પુસ્તકમાં અગ્રસ્થાન મળ્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy