SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૨૯ ગાંધીuથના પ્રેરક દીપકો - મનુભાઈ પંડિત અને ભારતીબેન પંડિત આ પૃથ્વી પર પ્રત્યેક જીવનું સરખું મહત્ત્વ છે. જેમ ગુરુ દતાત્રેયે અનેક ગુરુઓ કર્યા હતાં, તેમ દરેક વિચારક એમ કહી ગયા છે કે એક એક માણસનું જીવન પ્રેરણાનો સ્ત્રોત હોય છે. જીવનનાં કાયમી મૂલ્યો, જેવાં કે, ધર્મ, નીતિ, સદાચાર, સંયમ, પ્રેમ, ઉદારતા, દાન, પરોપકાર, સહનશીલતા, અહિંસા, સત્ય, સ્વાભિમાન, ધર્ય-શૌર્ય અને કર્મઠતામાંથી કોઈ ને કોઈ મૂલ્યનિષ્ઠાને વળગીને માણસ જીવતો હોય છે. એણે કોઈ શાસ્ત્રો વાંચ્યા ન હોય કે કોઈ પાઠશાળામાં પલાંઠી ન લગાવી હોય, પણ ભારતીય સંસ્કૃતિની આ વિશિષ્ટતા છે કે જાણેઅજાણ્ય માણસ આ મૂલ્યોની ખેવના કરતાં હોય છે. એ સમજતાં હોય છે કે માત્ર રોટીથી જ જીવન નથી ટકતું, એ માટે સગુણોની સ્થાપના કરવી અનિવાર્ય છે. તો જ વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર ટકી શકે છે, વિકસી શકે છે. અનેક સંતો-મહંતો-ભક્તો, અનેક ધર્મ અને સમાજના સમર્થ સુધારકો, અનેક દેશભક્તો અને ગાંધી વિચારધારાના અનેક સેવકો પોતાના રોજિંદા અને અદના જીવન દ્વારા આ સંદેશ આપતા ગયા છે. આપણા ગાંધીપથના પ્રેરક દીપકો ઉપરની આ લેખમાળા રજૂ કરનાર પંડિત દંપતી શ્રી મનુભાઈ પંડિત અને ભારતીબેન પંડિત અમદાવાદમાં જીવનસ્મૃતિ સ્વાધ્યાયમંદિરનું સફળ સંચાલન કરી રહ્યા છે. જીવનસ્મૃતિ પત્રિકામાં પ્રસંગોપાત અપાતી શ્રદ્ધાંજલિઓમાંથી અત્રે ગાંધીપથના યાત્રિકોની જે નોંધો આપેલ છે તે “ચાલો મળીએ આપણા સ્વજનોને” પુસ્તકમાંથી આપવામાં આવેલ છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે કેળવણી વિષયક, જીવન ચરિત્રાત્મક અને સ્મૃતિ ગ્રંથો દ્વારા પ્રેરણાદાયી સાહિત્ય અને પ્રકાશનમાં તેમના દ્વારા ૧૦૦ થી અધિક નાનાં-મોટાં પ્રકાશનો પ્રગટ થઈ ચૂક્યાં છે. ૧૯૯૩માં તેમની આ પ્રવૃત્તિ બદલ ના. ગવર્નર દ્વારા સંસ્કાર એવોર્ડ આપવામાં આવેલ. તેમનાં પ્રકાશનોમાં મોટાભાગનાં ગાંધીના આશ્રમવાસીઓ અંતેવાસીઓ, અથવા તેમની પરંપરામાં જીવન સમર્પિત કરનાર ગુર્જર રાષ્ટ્રપુત્રોનાં ચરિત્રો નોંધપાત્ર છે. તેઓ પોતાને લખવાની પ્રેરણા આપનાર, પોતાના ગુરુ વેડછી આશ્રમવાળા શ્રી જુગતરામ દવેને માને છે. વેડછીમાં ગ્રામસેવક દીક્ષિત થતાં શ્રી જુગતરામભાઈએ સૂચવ્યું કે, ગમે તે ક્ષેત્રમાં કામ કરો, આ માધ્યમ દ્વારા દેશના અજ્ઞાન, અક્ષરજ્ઞાન વિહોણા, લાચાર ગ્રામવાસી કે ગ્રામજનને ભૂલશો નહીં. તમે જે કંઈ પ્રવૃત્તિ કરો ત્યારે અહીંના આદિવાસીને નજર સમક્ષ રાખજો. એ રીતે તેમનાં પ્રારંભનાં દસેક પુસ્તકો શાળાના વિદ્યાર્થીઓ અને સમાજશિક્ષણને કેન્દ્રમાં રાખીને ગુજરાત નઈ તાલીમ સંઘ, તેમજ સમાજશિક્ષણ સમિતિ-સૂરતે પ્રગટ કર્યા. નવજીવન ટ્રસ્ટમાં ગાંધીજીના અક્ષરદેહ વિભાગમાં પંદર વર્ષ કામ કરતાં, તેમણે આ વિચારને પચાવવા પ્રયત્ન કર્યો. બાપુએ સાહિત્યકારોને વિનંતિ કરેલી કે એક સામાન્ય કોશિયો પણ સમજી શકે એવી સરળ છતાં બોધદાયક શૈલી તમારા લખાણોમાં હોવી જોઈએ. ૧૯૮૨માં તેમણે જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિરની સ્થાપના તેમનાં પત્ની ભારતીબહેનના સહયોગમાં કરી જેનો ધ્યેયમંત્ર- સીપ સે ટીપ બને છે. એની મારફતે 100 જેટલાં પ્રકાશનો થઈ ચૂક્યાં છે અને છેલ્લાં બાર વર્ષથી જીવનસ્મૃતિ ત્રિમાસિક પત્રિકા ચાલુ છે. આ પત્રિકા સત્સંગ-સેવા અને સ્વાધ્યાયને કેન્દ્રમાં રાખી ગુજરાતના સર્જનાત્મક ક્રિયાશીલ અને રચનાત્મક-સંસ્થાઓ તેમજ વ્યક્તિઓની પ્રવૃત્તિઓને સમાજ સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ ચાલુ છે. આ પંડિત દંપતીને ખૂબ ખૂબ ધન્યવાદ. – સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy