SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પાળિયાદમાં દેણગીમાં ગઢડા પાછું પડે તો બાપુના નામને બટ્ટો લાગે. ઉજળી આબરૂ માથે કાળો લીટો તણાઈ. અમરોખાચર સાબદા થઈ ગયા. પણ સાબદા થતા પહેલાં ખૂબ જ વિચાર કરીને એક અસવારને વડતાલ મોકલ્યો. વડલાતના મહારાજ પાસેથી એક હાથીને નકદ વીસ હજાર રૂપિયા લઈને તે પાળિયાદના પાદર ઊભો રહે. એમ બન્યું. અને અમરોખાચર પાછળથી જાનમાં આવ્યા. બાવા ખાચરના મોં પર મેશનું લીંપણ લપાઈ ગયું. તેમને થયું કે આ મારો ભાઈ વેર વાળશે અને મને ભૂંડો લગાડશે! પણ કાંઈ બોલાઈ એમ નહોતું તે અબોલ જ રહ્યા. અમરાખાચરે સાજન માજનની વચ્ચે બેસીને આખીય પરિસ્થિતિનો ક્યાસ કાઢી લીધો. જાનૈયા સૌ કાળાકઠણ થઈને બેઠા હતા અને સાનિયા સૌ હરખના માર્યા વાતુંના ગોબારા છોડતા હતા. કવિઓએ બિરદાવલીની શરુઆત કરી હતી. તેમાં બેઉ બાજુથી કવિજનોને ભાતભાતની બક્ષીસોથી નવાજવામાં આવતા હતા. નવાજવાની એક પ્રકારની હોડ ચાલી હતી. પોતાના દરબારનું કે ગામનું નબળું ન કહેવાય અને માથેથી સવાયું લાગે તે સારું ગામનું અઢારેય વરણ યથાશક્તિ બક્ષીસ આપવા લાગ્યું હતું. સામે પક્ષે જાનૈયા પણ ઓછા ઉતરતા નહોતા. પાળિયાદ પાશેર આપે તો ગઢડા અધશેર આપે! અને ગઢડા અધશેર આપે તો પાળિયાદ સવાશેર આપીને ઊભું રહે! છેલ્લે છેલ્લે તો ગામવાળાઓ ગાય, ભેંસ, ઘોડા અને છેવાડાનું વરણ બકરીઓ પણ કવિજનોને બક્ષિસમાં આપવા લાગ્યું હતું. અને એક વખત એવો આવીને ઊભો રહ્યો કે, ગઢડા તળિયા ઝાટક થઈને, ખાલી હાથ બતાવતું ઊભું રહ્યું. સાથે હતું તે દરદાગીના, ઘોડા, સાંઢિયા બધું જ ખૂટી ગયું! અને બાવા ખાચર કોણ? દાદાખાચરના દીકરાને! બાપુ દાદાખાચરનું નામ બોવાળા બેઠું એ વખતે જ અમરા ખાચરે કહ્યું : ‘કવિરાજ! બિરદાવલી કરતાં ભણ્યું અટકી કાં ગયા!?' ‘બા, પોરહ ચડાવવાનું તો કાં'ક.....' ‘હાથી દીધો. વિરાજ!' હાથી!?!' Jain Education International પથપ્રદર્શક ‘હા’ કહીને અમરાખાચરે પોતાના માણસને હાથી દોરી લાવવાનું કહ્યું. અમરાખાચરના માણસોએ હાથીને ડેલી પાસે ઊભો રાખ્યો. લો!’ ‘દાદો સૂરજ નારણ્ય આપે છે કવિરાજ, હાથીને વધાવી અમરા ખાચર તરફથી હાથીની બક્ષિસ સાંભળીને પાળિયાદવાળાના મોં પડી ગયા સાથે કવિરાજ પણ પળભર સ્તબ્ધ થઈ ગયા. તે બોલ્યા : બા, કૂબે તે કાંઈ હાથી હોય!? એને સાચવવો કેમ ! ?' અમરો ખાચર હાથીની સાથે ગાડામાં ભરીને વીસ હજાર રૂપિયા પણ લાવ્યા હતા. એટલે કહ્યું : ‘કવિરાજ એમ આકળા થાવમાં હારે વીસ હજાર રૂપિયાય આપું છું.’ ત્યાં બીજા કવિરાજે કહ્યું: ‘બા, હાથી તો ગણપતિ કે'વાય અને ગણપતિ સારું તો....' ‘લાડવા જ જોઈને!' કવિરાજની વાત અડધેથી જડકી લઈને અમરાખાચરે કહ્યું : તે સારું સો વીઘા જમીન અને પચીસ દુઝણી ભેંસો.....’ કવિરાજ આખી વાતને પામી ગયા તેમણે ઊભા થઈ સૌ ડાયરાને હાથ જોડીને કહ્યું : ‘બા, તમે તો ઘો છો પણ મારું ગજુ નહી. તે હું હાથી, રૂપિયા અને જમીન ઉનડ બાપુની જગ્યાને અર્પણ કરું છું.’ પાળિયાદનો ડાયરો કવિરાજની દાત્તારી આગળ ભોંઠપ અનુભવવા લાગ્યો. ઉનડબાપુ હાજર હતા એટલે તેમણે જાહેર કર્યું : ‘અમારું તો નાનું મંદિર કહેવાય, નાના મંદિરમાં હાથી નો પાલવે....' સૌ ઉનડ બાપુની વિમળવાણી સાથે વહેવા લાગ્યા. તેમણે બે હાથ જોડીને કહ્યું : ‘હું આ સઘળું જ સ્વામીનારાયણ મંદિરને આપું છું.' અમરા ખાચર અને બાવોખાચર બન્ને ભાઈઓ અદકા હેતથી એકબીજાને ભેટી પડ્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy