SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ વાર નહિ લાગે! પછી તો વાજસુર ખાચર અને માનસિંહ સરવૈયો ભેરુબંધ થઈ ગયા. નાની સરખી ટોળકી જમાવી અને પોતાની સીમના રખોપા કરતા રહ્યા. આમ લગભગ વીસેક વરસ સુધી જૂનાગઢના સિપાઈઓ સામે બાખડતા રહ્યા. કર્યાંય પણ સિપાઈઓની કારી ફાવવા દીધી નહોતી. આબરૂ એક બાજુ સાજન માન સામસામે આવી ગયું હતું. બીજી બાજુ મંગળિયા ગવાતા હતા. વડારણોના નરવા કંઠમાં પીઠડીયાળા પૂર ઉમટ્યા હતા. બહારના ભાગે તાંસ અને શરણાઈનાં સૂર પડઘાતા હતા. ગઢડાના બાવાખાચર ચોરીએ ચઢી ગયા હતા. તેમના મનમાં સોનેરી શમણાંના મહેલ ચણાતા હતા. ધીરે ધીરે માયરામાં પગાલાં પડતા હતા. એવા વખતે વાણોતરે આવીને સમાચાર દીધા : 'બાપુ, મોટાભા આવ્યા.... !' ‘કોણ મોટાભા!?' ‘અમરાબાપુ, બીજું કોણ!?' વાણોતર બોલ્યો. અને બાવા ખાચરના પીઠી ચોળ્યા પંડ્ય પરના અઢારેય કરોડ રુંવાડા અવળા થઈ ગયા. તેમણે ડોકનો ઝાટકો મારીને એકદમ જોયું તો, સામે અમરો ખાચર ઊભા હતા. ચાર આંખો મળી અને જાણે વજ્રના બે ટૂકડા અથડાયા! બાવાખાચરની નજરમાંથી તો રીતસરના તણખા ઝરવા લાગ્યા. અમરાખાચરે હળવું મરકતું કરીને સાજન માજનની વચ્ચે બેઠક લીધી. તે જોઈને બાવાખાચરના તો મોતિયા મરી ગયા. તેમને થયું કે, મોટાભાઈ નક્કી આબરૂ માથે હાથ મૂકશે અને મને ભૂંડો લગાડશે! ગઢડાના દાદાખાચરનો આ વસ્તાર. બાવા ખાચર અને અમરા ખાચરનું જ એક દૂધ. એક જ બાપ બેટા, છતાંય અડદ નાખય વર્ક નહિ. બોચા વહેવારની વાત તો એક કોર્ય રહી પણ આડા ઉતરેય સારાવાટ નિહ. કાપા કાપી થતા વાર ન લાગે, બાવોખાચર પાળિયાદ પરણવા આવ્યો તેમાં અમા ખાચરને પડતા મૂકેલા. જાન હારે લઈ આવ્યા નો'તા. ને પાછળથી વગર કીધે આવ્યા. અમરાખાચરને તો એકની લાખેય જાનમાં નો'તું આવવું. નાનોભાઈ હોય તો શું થઈ ગયું? જ્યાં સામે ચાલવાનોય વે'વાર Jain Education International ૧૨૦ ન હોય, અને જાન પોતાને પડતા મૂકીને પરણવા નીકળી જ ગઈ હોય ત્યાં પાછળથી જવાનું તો સપનામાંય સૂઝે નહિ અને એવું હડહડતું અપમાન કોણ વ્હોરે પણ કામદારે ભર્યા ડાયરા વચાળે કહ્યું : બા, તમો કો’ ઈ હું સઘળું સમજું છું. પણ....' પણ શું, કામદાર ' જાનમાં ન ગયા તે ખોટું જ તો થયું જ છે." 'કામદાર!' ડાયરા વચ્ચેથી કોઈક બોલ્યું હતું : “અફીણ તો અમે લીધું છે ને ચડ્યું તમને કાં!? આખો ડાયરો મોકળા મને હસવા લાગ્યો. કામદાર ક્ષણભર ખસિયાણા પડી ગયા. છતાંય પોતાની વાત છોડી નહીં. મને લાગે છે કે હવે ઉધાડું કે'વામાં વાંધો નથી. ‘તમૃતમારે કોને કામદાર' અમરોખાચર બોલ્યા : ‘ડાયરો ક્યાં પારો છે!" ‘જસદણ, જેતપુર અને બીલખાને તો આપણે જાણીએ કે નંઈ?" ‘તે જાણીએ જ ને! એને કોઈ નો પોગે.’ પણ પાળિયાદ વાળા પોગે કે નઈ?' રોમાં ! ?' ‘દેણગીમાં!' કામદારની વાત સાંભળીને આખો ડાયરો કાળો ધબ થઈ ગયો. વાત ખરી હતી. દેવા બેસે તો પાળિયાદ પાછું પડે નહિ. તે દાત્તારીમાં જસદણ, જેતપુર અને બીલખાને પણ પાછા પાડી દે. પણ તેનું શું છે કામદાર ?' ‘તેનું જ આ ખરું છે’ કામદાર બોલ્યા : ‘રૂડું લગન ટાણું છે તે ચારણ, બારોટ ને બીજા માગણ આવ્યા હશે ને!?' તે આવે જ ને!' ‘આ ટાણે પાળિયાદ દેવા બેસશે તંઈ ગઢડા પાછું પડશે.’ ‘તે ભલે ને પડે' એક જણે દાંત ભીંસીને કહ્યું : ‘બાવા ખાચરની આબરૂના લીરાં ઉડશે એમાં આપણે શું?' બાવા ખાચરની નિહ બાપુ દાદાખાચરની આબરૂનો સવાલ છે. એની વાંહે નામ તો દાદાબાપુનું લાગેને! ?' કામદારની વાત સાંભળીને આખો ડાયરો ઊંચા-નીચો થઈ ગયો. અમરાખાચરને તો બરાબરની લાગી ગઈ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy