SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ પ્રતિભાઓ સોરઠના સરકાર છો. તમારી આગળ મારી શું હસ્તી !?' બહાદુરખાનને આ બાબત જ દઝાડતી હતી. પોદળામાં કીડો સળવળે એમ મનમાં સળવળ્યા કરતી હતી. તેથી આંખ ત્રાંસી કરીને બહાદુરખાને કમાલુદ્દીન કહ્યું હતું. હું પણ એમ જ કહું છું કે, જૂનાગઢની રિયાસત આગળ તમે શું? તમારી શું હેસિયત?” કમાલુદ્દીન સાંભળતા રહ્યા હતા. ‘ઝાડની સામે તમે તણખલું કહેવાય. તેથી ઝાડ સામે તણખલાએ ઊડાઊડ ન કરવી જોઈએ.' બહાદુરખાનનો હુંકાર કમાલુદ્દીનને બરાબરનો આભડી ગયો. ઝેરની માફક રગેરગે ચઢી ગયો. પણ અબોલ રહ્યા. સક્કરબાગની આગળ થોડું ચાલ્યા પછી ફકીર ખીરલશાના તકિયા પાસે આવીને ઊભા રહ્યા. કમાલુદીને બહાદુરખાન સામે જોયું. તેના મોં પર ઊગેલી બડાઈને નજર વડે તપાસી. પછી મક્કમતાપૂર્વક બોલ્યા : ‘સરકાર! આજ સુધી મેં આપની અદબ જાળવી છે.' બરાબર છે!' ‘પણ હવે કહ્યા વગર રહી શકતો નથી.' કહોને....' બહાદુરખાને તુચ્છકારના ભાવ સાથે કહ્યું. આપ સોરઠના સરકાર છો. બડી રિયાસતના હાકેમ છો પણ દિમાગ કમાલુદ્દીનનું નથી. બોલો શું કહેવું છે આપનું??' “શું વાત કરો છો !?' ‘હા..હા..... હું ખરું જ કહું છું.’ કમાલદીને કહ્યું. પછી કમાલુદ્દીને ગરવા ગિરનાર સામે જોયું. જ્યાં નવનાથના બેસણાં છે. સંત અને સિદ્ધ પુરુષોની તપોભૂમિ છે. અહીંથી આહલેકની લે લાગે છે. અડીખમ અવધૂત ગિરિકંદરામાં અલખનો આરાધ માંડે છે. “મારા માણાવદરની રિયાસત ખીલશા ફકીરને આપી દેવા માગું છું.” બહાદુરખાને ડોકનો ઝટકો મારીને કમાલુદ્દીન સામે જોયું. કમાલુદ્દીને કહ્યું : “આપ પણ જૂનાગઢની રિયાસત ફકીરને આપી દો. પછી આપણે બંને અહીં ફકીરી લઈને બેસી જાઈ!' વાત કરો છો!!' ‘હા હા ફકીરી લઈને ખુદાની બંદગી કરીએ!' એવું કેમ બને!' બહાદુરખાને કહ્યું. ન બને??' ના, ન બને' બહાદુરખાને મક્કમતાપૂર્વક કહ્યું. ‘હું પણ એમ જ કહું છું—એ ના બને!' શું??' બીજા કમાલુદ્દીન ક્યારેય ના બને.....' આટલું બોલીને કમાલુદ્દીન મરક મરક હસવા લાગ્યા. અને બહાદુરખાનનું મોં પડી ગયું. માથું લણવાનું પણ નાનકડા ગામનો ધણી વાજસુર ખાચર શિરાવીને હજી તો વાંહાઢાળ કરે ઈ પેલા વાણોતરે આવીને ખબર દીધા : “બાપુ ડેલીએ કો'ક આવીને ઊભું છે તે આપને મળવા માગે છે!' ભલે' કહીને વાજસુર ખાચર ડેલીના ખાનામાં આવ્યા. જોયું તો સામે એક અડાભીડ મનેખ ઊભો હતો. તેની દાઢીમૂછના કાતરા ફગફગતા હતા અને મોં ખુમારીથી છલકાતું હતું. ‘નો ઓળખ્યો ભા મને! ?' આવતલ મનેખ મરકીને બોલ્યો : “આમ ઓળખ્યા વગર્યના માથા શીદને વધેરશો!?' વાજસૂર ખાચરને ઓળખાણ પડી નહિ એટલે એમ ને એમ મૂંગા ઊભા રહ્યા. નો પડીને ઓળખાણ!?” તે આગળ વધીને બોલ્યો : “હું છત્રાસાનો માનસિંહ સરવૈયો! !' “હે! છત્રાસાનો માનસિંહ સરવૈયો! !?' હા, સામેથી આવ્યો છું, માથું વધેરાવા!' વાજસુર ખાચરના મનમાં વીજળી જેવો ઝબકારો થયો. તે આખી વાતને પામી ગયા એટલે તરત જ ઉત્તર વાળ્યો : હું સામેથી આવનારને મારતો નથી.” “તો પછી કર્યું મારશો ખાચર!?' ‘પડકારો કરીને.” કે દિ' કરશો પડકારો?” સમો આવે!' –બનેલું એવું કે વીસાવદરની પડખે વાજસુર ખાચરની વિડી. આ વીડીમાં માનસિંહ સરવૈયાના ઢોરે ભેલાણ કરેલું. એટલે ઢોરના ગોવાળિયા સામસામે આવી ગયેલા. એકબીજાના Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy