SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ઉદારતા માણાવદરના નવાબ કમાલુદ્દીન બાબીનું નામ સાંભળતા જ જૂનાગઢના નવાબ બહાદુરખાનજી કાળાઠણક થઈ ગયા. સુગરીના માળા જેવો ચહેરો પિંખાઈ ગયો અને પેટમાં ઝીણી બળતરા થાવા લાગી. છતાંય જવાબ આપવો પડે એમ હતો એટલે મરકતા મોંએ જવાબ વાળ્યો. કુરવાઈ અને ભોપાલના નવાબો જૂનાગઢ આવ્યા હતા. તેમને જૂનાગઢ જોવું હતું. જૂનાગઢની શાહી મહેમાનગતિ માણવી હતી. સામા પક્ષે જૂનાગઢના નવાબે પણ રજવાડી આગતા સ્વાગતામાં કોઈ જાતની મણા ન રહે તે માટેની તૈયારી કરી લીધી હતી. પણ પરદેશી નવાબોએ આવીને એક જ વાત કરી કે, અમો માણાવદરના નવાબ કમાલુદ્દીનને મળવા માંગીએ છીએ! આટલું સાંભળતા જ જૂનાગઢના નવાબનો ચહેરો હોલવાઈ ગયો. મહેમાનોની અદકેરી રખાવટ કરવાનો ઉમળકો ઓસરી ગયો. મહેમાનોના કહેવાથી નવાબ બહાદુરખાને માણાવદર સમાચાર મોકલાવ્યા. સમાચાર સાંભળીને કમાલુદ્દીન તાબડતોબ જૂનાગઢ આવ્યા. ત્યાં સુધી મહેમાનોની જીભ પર આ એક જ નામ રમતું હતું. માણાવદર અને જૂનાગઢની રિયાસત વચ્ચે સંબંધ તો દૂધની તર જેવો હતો. કોઈ જાતનો ફોદો નહોતો. પણ નવાબ બહાદુરખાનને મનમાં ઇર્ષા જાગી કે, ‘હું આટલી મોટી સલ્તનતનો ઘણી અને તેની સામે માણાવદર તો ખોબા જેવડું ગણાય. સાગરની સામે એક ખાબોચિયું છલકે! નામના તો પોતાની હોવી જોઈએ. એક મહાલ જેવડા રાજના ધણીની આટલી મોટી નામના હોય તે કેમ સહન થાય! બહાદુરખાન અંદરને અંદર સળગવા લાગ્યા. દૂધની તર જેવા સંબંધમાં છાશનું એક ટીપું પડી ગયું. બહાદુરખાને કમાલુદ્દીનને એક બાજુ બોલાવીને કહ્યું : ‘તમે એવું તો શું કર્યું છે કે, ચારે બાજુ બસ તમારા નામની જ વાહવાહ થાય છે?' નવાબ સાહેબ, મેં એવું તો કાંઈ જ કર્યું નથી. પણ ખુદાતાલાની રહેમ સમજો ને!’ ‘ના પણ....’. બહાદુરખાનની ઇર્ષા બહાર આવીને ભડભડવા લાગી. તેનાથી બોલી જવાયું : જૂનાગઢની રિયાસત સામે તમારી શું હસ્તી?' Jain Education International પથપ્રદર્શક ‘આપની વાત સાચી છે નામદાર' કમાલુદ્દીને નરમાશથી નવાબને જવાબ આપતા કહ્યું : ‘જૂનાગઢની રિયાસત સામે હું કોણ? મારી શી હેસિયત ?' પણ જૂનાગઢના નવાબના મનમાં શંકાનો કીડો સળવળ્યા કરતો હતો કે, પોતાની ગેરહાજરીમાં કમાલુદ્દીને મહેમાનો આગળ બડી બડી ચલાવી હશે! માણાવદરનો નવાબ કમાલુદ્દીન એટલે અખેડીમલ રાજવી. દાત્તારોનો શિરમોડ. તેમણે ગાદીએ બેઠા ભેળો જ દેશમાં ડંકો વગાડી દીધો હતો. દાન દેવામાં પાછું વાળીને જોયું નહોતું. એટલે આખા સોરઠમાં કહેવત શરૂ થઈ ગઈ હતી કે, ન હોત કમાલ તો બાબી સબ નમાલ,’ કમાલુદ્દીન પાસે આખો દિવસ ડાયરો ભર્યો જ હોય. ઘડીભર પણ ડાયરાની હિચોળ ભાંગે નહિ. ડાયરાના લીધે ખરલમાં અફીણ ઘૂંટાતા હોય. કાવાની દેગ ઉકળતી હોય. ફુલરિયા હોકાની ગળચટ્ટી સોડમ ભર્યા ડાયરા વચ્ચે મધમધતી હોત. કવિતાના ઝકોળ બોલતા હોય. રાતે નાયકના ગાણાં બજાવા શરૂ થાય..... આમ દિવસ અને રાત લહેર લૂંટાતી હોય. –એક જ વાત મનમાં વસી ગઈ હતી કે, દીધું લીધું ને જે માણ્યું એ જ આપણું બાકી બધું મિથ્યા! માણાવદરની રિયાસત તો માત્ર ચોવીસ ગામની જ હતી. પરંતુ એમની ઉદારતા વિશાળ હતી. તેથી તેમની નામના મેવાડ મારવાડ વટીને ઠેઠ દિલ્હી દરબાર સુધી પહોંચી ગઈ હતી. રાજવહીવટ પણ સુંદર રીતે ચાલતો હતો. પ્રજા સુખી હતી. દર મહિને કમાલુદ્દીન જુદા જુદા ગામોમાં સભા ભરતો હતો અને પ્રજાના સુખ દુઃખ સાંભળતો હતો. પ્રજા પણ કોઈપણ જાતના ડર વગર પોતાના સુખ દુઃખ રજૂ કરતી હતી. અને સ્થળ પર જ તેનો ન્યાય તોળાતો હતો. આમ કમાલુદ્દીનની નામના ચારેબાજુના સીમાડા વટાવીને આઘેને આ પોગી ગઈ હતી. મહેમાનો આરામ ફરમાવીને ઊભા થયા એટલે સાંજના વખતે સૌ ફરવા નીકળ્યા. ઘોડાગાડી સક્કરબાગ સામે આવીને ઊભી રહી. ઘોડાગાડીમાં બહાદુરખાન અને કમાલુદ્દીન સાથે બેઠા હતા. બહાદુરખાનના મનમાં રહી રહીને એક જ વાત ઊગ્યા કરતી હતી કે, કમાલુદ્દીનમાં એવું તે શું છે કે, સૌ એનું જ નામ લીધા કરે છે. તે વાત વાતમાં ઉઘાડું પડી જતું હતું. આ બાબત કમાલુદીનને બરાબરની લાગી ગઈ હતી. કમાલુદ્દીને રસ્તામાં જ કહ્યું હતું : ‘હજુર! તમે તો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy