SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ઘડીભર જોતા રહ્યા. પછી બોલ્યા : “શું કરવા આપણને નહિ મળે! એ ગરાસ પર આપણો અધિકાર છે. કાયદેસર આપણને મળવા પાત્ર છે. “છતાંય નહિ મળે' અમરાવાળા બોલ્યા : “ભગવાનની ઇચ્છા નથી. ભગવાનની ઇચ્છા વગર પાંદડું પણ ન ફરે!' પણ આપા તો.....' બાપુ, સૃષ્ટિના સર્જનકર્તાએ જે નિર્માણ કર્યું એજ સાચું. આપણે તો અંતે કાળા માથાના માનવી છીએ.” | દરબાર વાજસૂરવાળા કાંઈ બોલ્યા નહિ અને પાણીમાં અંગારો બુઝાય એમ છમછમી ગયા. સત્તાની લાલસા નહોતી. પણ કાયદેસર મળવાપાત્ર હતું ને પોતાને મળ્યું નહિ તેનો રંજ મનને ડંખી રહ્યો હતો. “આપણે કેસ લડવાની તૈયારી કરી એ પહેલાં જ સગુરુદેવે પત્રથી જાણ કરી હતી. સાથે લખ્યું હતું કે, તે નિમિત્તે વકીલો, બેરીસ્ટરોના તમારી પાસે લેણા છે. એથી આ વાત જાહેર કરવી નહીં તેવું મને સૂચવ્યું હતું પણ કહેવાનો સમય પાકી ગયો એટલે હું જાહેર કરું છું.' બગસરાના એક ભાગીદાર નિર્વશ મૃત્યુ પામ્યા હતા. પાંખીની દૃષ્ટિએ આ ભાગીદારનો ગિરાસ હડાળાના દરબાર વાજસૂરવાળાને મળવો જોઈએ. પણ એજન્સીએ એ ગિરાસ દરબાર વીરાવાળા (જે રાજકોટ સ્ટેટના દિવાન હતા) અને દરબાર રામવાળાને આપ્યો હતો. તેથી વાજસૂરવાળાને ભારે રંજ થયો હતો. ‘આ અન્યાય છે અને અન્યાયની સામે લડવું જ જોઈએ!' વાજસૂરવાળાના દઢનિર્ધાર સામે અમરાવાળા કશું બોલ્યા નહોતા. કેસ ચાલ્યો હતો પણ પરિણામ શૂન્ય આવીને ઊભું રહ્યું હતું. કુંવર અમરાવાળાનું એક જ કહેવું હતું, ભાગ્ય વગર કશું મળતું નથી. દરબાર વાજસૂરવાળા કુંવરની વાત સાથે સહમત હતા કારણ કે કુંવરનું જીવન આધ્યાત્મિક હતું એટલે આમ કહે તે સ્વાભાવિક હતું. પણ વાત કંઈક જુદી હતી. પોરબંદર ફર્સ્ટક્લાસનું સ્ટેટ હતું. પોરબંદરના મહારાણા નટવરસિંહજી સગીરવયના હતા એટલે બ્રિટીશ સરકારે દરબાર વાજસૂરવાળાને પોરબંદર સ્ટેટના વહીવટદાર તરીકે નીમ્યા હતા. આ દરમિયાન કુંવર અમરાવાળાનો ન્મ થયેલો. તે વખતે મદ્રાસથી એક જ્યોતિષી આવેલ. જ્યોતિષીની ખરાઈ માટે ૧૧૯ પાડોશી એવા રાજ્યના અન્ય અમલદારોની જન્મકુંડળીઓ વચ્ચે ટેબલ પર થપ્પો કરીને કુંવર અમરાવાળાની કુંડળી મૂકેલી. જ્યોતિષી એક પછી એક કુંડળી જોતા ગયા. તેમાં કુંવરની કુંડળી હાથમાં આવતાં જ તે ઊભા થઈ ગયેલા અને જન્મકુંડળીને માથે મૂકીને નાચવા લાગેલા. મહારાજ, આપ આટલા આનંદમાં આવી ગયા છે........” આ કુંડળી કોઈ મહાન વિભૂતિની છે. હવે આ કુંડળીવાળાને ફરી જન્મ લેવાનો નથી.’ ‘એ કેમ ખબર પડે?' વાજસૂરવાળાએ તાતો જ સવાલ કરેલો. આ કોઈ યોગભ્રષ્ટ તપસ્વી છે.' ખાત્રી શું?’ વિદ્વાન અને થિયોસોફિસ્ટ એવા વાજસૂરવાળાએ સણસણતો સવાલ કર્યો. પણ જ્યોતિષી સહેજ પણ ડગ્યા વગર બોલેલા : “આ જન્મકુંડળીવાળાની બન્ને કાનની બુટ જન્મથી જ વીંધેલી હશે!' અને કુંવર અમરાવાળાની કાનની બને બુટ જન્મથી જ વિધેલી હતી. ત્યારથી કુંવર અમરાવાળા પર, દરબાર વાજસૂરવાળાની એક પ્રકારની ધારણા બંધાઈ ગઈ હતી. અને તે સમયની સાથે સાચી પડ્યે જતી હતી. પણ આ રાજકાજનો મામલો કાંઈક જુદી જ હતો. ‘ગાંધીજી આપણા પાડોશી હતા.' ‘હા હતા ને બાપુ!' ‘તમે એને મામા કહેતા.' કહેતો ને બાપુ!” આટલું બોલીને ફરી એક વખત દરબાર વાજસૂરવાળા મૌન બની ગયા. પોરબંદરના વસવાટ દરમિયાન મોહનચંદ કરમચંદ ગાંધી બાજુમાં જ રહેતા હતા. તેઓની સાથેના ઘનિષ્ઠ સંબંધ થતાં મા સજુબાઈએ ગાંધીજીને રાખડી બાંધી હતી. તેથી અમરાવાળા ગાંધીજીને મામા કહેતા અને ગાંધીજી અમરાવાળાને ભાણીયાભાઈ કહીને બોલાવતા. ‘આપણે એટલે કે હું દરબાર વાજસૂરવાળા બોલ્યા : ગાંધીનો હિમાયતી છું એવી ઈગ્લેન્ડ પાર્લામેન્ટની ચેમ્બરલેનની ડાયરીમાં નોંધ છે.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy