SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ વિચાર આવ્યો કે કદાચ નોકરોને ચીંધ્યા જેવું કામ ન પણ હોય! ‘હા, બનવાજોગ છે.' મેઘાણીભાઈએ મન સાથે સાંત્વનનો પાટો બાંધ્યો. પણ વધુ વખત પાટો રહ્યો નહીં. એવું શું કામ હોય કે આમ વારંવાર ઓરડામાં જાવું પડે? થયું કે આ વખતે પોતે સાથે જાય પણ મને ના પાડી, રાતે કોઈની સાથે આમ ઓરડામાં ન જવાય. ‘આવા કારોબારની વચ્ચે તમને લખવાનું કેમનું ફાવતું હશે!?' ‘લખવાનું!!’ ૨. વ. હસવા લાગ્યા. ‘મેઘાણીભાઈ, તમારો પ્રશ્ન તો યથાયોગ્ય છે. આવા જડસુ કારોબારની વચ્ચે સંવેદનાને સંકોરવી, જીવતી રાખવી એ કપરું કામ છે.’ ‘છતાંય.....’ ‘પણ સંવેદના સાબૂત છે એટલે વહીવટ થાય છે. અંદરનો માહ્યલો જાગતો રહે છે એટલે માનવીય વ્યવહાર અને વહીવટ થાય છે અને સર્જનવેળાએ તો માત્ર તેને ફૂંક મારવાની હોય!' ‘વાહ!’ વળી પાછા ૨. વ. ઊભા થયા. મેઘાણીભાઈનું મન કોચવાયું. ૨.વ. ને વાતોમાં રસ નથી એવું પણ નથી. ગમે છે. પોતાની સાથે રમમાણ છે. છતાંય..... ‘આમ વારંવાર ઊભા થાવ છો તે શું છે ?' એવું મેઘાણીભાઈ ઘચરકાવીને ૨.વ.ને પૂછી લે. પણ મન મારીને બેઠા રહ્યા. આમ તમને સૌથી સર્જનકાર્યની મઝા આવી હોય.’ ‘લગભગ બધે જ.' ‘તોય પણ!' ‘અમરેલી પ્રાંતમાં!' અમરેલી પ્રાંતમાં એટલે!' એ પ્રાંતનો હું સૂબેદાર હતો.' ૨.વ. દેસાઈ અંતરના પટારામાંતી મોંઘેરી જણસ બહાર કાઢતા હોય એમ બોલ્યા : ‘અમરેલી પાસે ચલાળા ગામ છે અને તેનાથી થોડે દૂર ધારંગણી નામનું ગામ આવેલું છે!' ધારંગણી એટલે...... મેઘાણીભાઈએ પોતાની સ્મરણ Jain Education International પથપ્રદર્શક મંજુષામાંથી વસ્તુ કાઢતા હોય એમ કહ્યું : ‘રામવાળાની વાવડી પાસેનું વાળા દરબારોનું ગામ!' ‘હા એ ધારંગણી ગામ. નદીના કાંઠે આવેલું છે.' ક્ષણભર અટકીને ર.વ. બોલ્યા : નદીનો એ વળાંક, તેના કાંઠે આવેલું સરકારી આવાસ, આવાસના ઝરુખેથી ગિરનું જે નાકું છે તે વનરાઈને નીરખવાની, મન ભરીને માણવાની...' ૨.વ. આગળ બોલી શક્યા નહીં. તેની છાતીમાંથી ફળફળતો નિઃસાસો નીકળી ગયો. ૨.વ. એકદમ ઊભા થયા. મેઘાણીભાઈથી રહેવાયું નહીં તેઓએ પણ એકદમ ઊભા થયા અને કશું કહ્યા વગર ર.વ. ના પગલે પગલે પાછળ આવ્યા. પછી ઓરડાના દરવાજે ઊભા રહ્યા. શું કરવું? અંદર જોવું કે પાછા વળી જાવું?? સઘળું કોરાણે મૂકીને મેઘાણીભાઈએ તેની સંઘેડા જેવી ડોકને ઓરડામાં લંબાવી જોયું તો બે વૃદ્ધ સ્ત્રી-પુરુષ ઓરડામાં સૂતાં હતાં અને ૨.વ. તેઓને સરખું ઓઢાડી રહ્યા હતા. મેઘાણીભાઈ ફાંટી આંખે જોઈ રહ્યા. પોતાના મા-બાપને સરખું ઓઢાડીને ૨.વ. બેઉના પગ તરફ વારાફરતી નમ્યા. ચરણસ્પર્શ કર્યો. મસ્તક નમાવીને વંદન કર્યા. પછી સ્હેજ પણ અવાજ ન થાય તેમ ધીમા પગલે બહાર નીકળ્યા. દરવાજે મેઘાણીભાઈ ઊભા હતા. તેનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. હાથ જોડેલા હતા. તેમના મોંમાંથી આટલા અને શબ્દો નીકળ્યા : ધન્ય છે આ મા-બાપને કે આવા પુત્રરત્નને પામી શક્યા!' નોંધ : આજનો અમરેલી જિલ્લો (થોડા વિસ્તારની વધઘટ કરતા) ગાયકવાડની હકૂમત હેઠળ હતો. ત્યારે અમરેલી પ્રાંતના સૂબેદાર તરીકે ૨.વ. દેસાઈ નિયુક્ત થયા હતા. તેમણે ધારંગણીના આ સરકારી આવાસમાં નિવાસ કરીને ઉત્તમ કૃતિઓનું સર્જન કર્યું હતું. આ વાતની સાક્ષી પૂરતું ધારંગણીનું આ સરકારી આવાસ આજે રિત હાલતમાં ઊભું છે. ગિરાસ ‘બાપુ!’ અમરાવાળા ખિન્ન સ્વરે બોલ્યા : ‘એ ગરાસ આપણને નહિ મળે.... ! દરબાર વાજસૂરવાળાએ કુંવર અમરાવાળા સામે જોયું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy