SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પથપ્રદર્શક એમ” “હું પણ નાનકડા રાજનો ધણી છું. રાજા છું.... જામસાહેબ એક શબ્દ પણ આગળ બોલી શક્યા નહિ અને અમરુવાળાની ગરવાઈભરી વાતે શરમ અનુભવતા મોં ફેરવી ગયા.” બાપુ!” ‘અને એટલે આપણને ગરાસ આપવામાં નથી આવ્યો અને અંગ્રેજ સરકારના સમર્થક એવા દીવાન વીરાવાળાને......” દરબાર વાજસૂરવાળા આગળ બોલી શક્યા નહિ. આ વાત અહીંથી અટકી નહિ. -ઝવેરચંદ મેઘાણી, દરબાર વાજસૂરવાળાને ખૂબ ચાહતા હતા. તેઓ અવારનવાર હડાળા આવતા અને લોકસાહિત્યના રતનની ખાણ સમાન દરબાર વાજસૂરવાળા પાસેથી હકીકતો મેળવતા. આ હકીકત ઝવેરચંદ મેઘાણીએ કનૈયાલાલ મુનશી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પહોંચાડી. | ‘આ તો હળાહળ અન્યાય કહેવાય. દરબાર ગાંધીજીના સમર્થક હોવાના લીધે જ ગિરાસ મળે નહિ !' સરદાર બિમાર હતા. માંદગીમાં પટકાયા હતા એટલે મુંબઈ હતા. તેમણે મુનશી કહ્યું : વાત તમારી વાજબી છે. આ અન્યાય કહેવાય. પણ હું સાજો થઈને દિલ્હી જાઉં ત્યારે મને યાદી આપજો' પણ પછી ક્યારેય યાદી અપાઈ નહિ અને આ વાતની માથે કાયમને માટે પડદો પડી ગયેલો. ‘મને ગાંધીના હિમાયતી કહ્યા ને! તેનો મને આનંદ છે.” દરબાર વાજસૂરવાળા હરખભેર આમ કહેતા. એક વખત જામનગરના મહારાજા, જૂનાગઢના દીવાન મહમદભાઈ, પીઠડીયા દરબાર મૂળવાળા મિત્રભાવે હડાળાના મહેમાન બનેલા. હડાળા તો નાનકડું રાજ. વાટકીમાં શિરામણ. પણ રાજની સાથે પ્રજાનો હેત ઘણેરો. પ્રજાએ આખું ગામ શણગારેલું અને હૃદયના અઢળક ઉમળકા સાથે મહેમાનોની આગતા સ્વાગતા કરેલી. જામસાહેબ ખુશ થઈ ગયા અને ખુશી વ્યક્ત કરતા બોલ્યા : ‘અમરુભા! માગી લ્યો જે જોઈએ તે.' ‘અમરુવાળાની ડોક ટટ્ટાર થઈ ગઈ. “હું જામનગરનો ધણી આજે તમારા પર ખુશ થયો છું.” ત્યારે ગરવાઈભર્યું મોં મલકાવીને અમરુવાળા બોલ્યા : બાપુ! આપ જામનગરના ધણી છો. આપની પાસે વધુ ગામ છે. એમ..... ધરમનું ધિંગાણું શિહોરનું પડખું વળોટીને દેવાભાઈ ગઢવીનું ગાડું આગળ નીકળી ગયું હતું. શિહોરનો ડુંગરો દેખાવો બંધ થયો હતો. દેવાભાઈએ એક પ્રકારનો હાશકારો અનુભવ્યો : “હાશ! આતાભાઈને ખબર નથી પડી તે સારું છે. નહિતર કાંડા મરડે ને પાછો ખોટીપો થઈ જાય!' ગઢવી આમ વિચારતા વિચારતા સીમાડાની લીલોતરીને આંખના ખરલમાં ઘૂંટતા જાય છે અને રાજની આમદાનીનો તાળો મેળવતા જાય છે. ત્યાં પાછળથી ભણકારા જેવું લાગ્યું. જોયું તો કોઈ અસવાર મારતે ઘોડે વયો આવે છે. અને ઊંચા હાથ કરી કરીને કહે છે : એ.... ગાડું ઊભું રાખો, ગાડું ઊભું રાખો......! ગઢવીને લાગ્યું કે, અસવાર પોતાને જ સાદ કરે છે. એટલે ગાડું થંભાવ્યું. ત્યાં થોડીવારમાં અસવાર ગાડાંની લગોલગ આવીને ઊભો રહ્યો. ‘તમે જ જેતપુરના દેવાભાઈ ગઢવી!?' ‘હા, હું પોતે જ દેવાભાઈ.. બાપુએ કે’વરાવ્યું છે કે શિરાવ્યા વગર આમ પાધર્યું વયુનો જવાય.' જે વાતની ભીતિ હતી એ વાત જ છેવટે પાછળથી આવી ને આડી ફરી. દેવાભાઈ આખીય બાબતને પામી ગયા એટલે કહ્યું : “બાપુને કેજો મારે ઉતાવળ છે તે નીકળવું પડે એમ | ‘હોય, સૌને ઉતાવળ હોય’ અસવાર બોલ્યો : ‘ઘર બાર લઈને બેઠા એટલે ઉતાવળ તો હોય જ પણ રાજની મે'માનગતિ માણ્યા વગર થોડું જવાય!?” અસવાર વાત ડાહ્યો લાગ્યો. છતાંય ગઢવીએ તેના આગળ લૂલો બચાવ કરતા કહ્યું : ‘હવે આવું કંઈ પાકું. બાકી અટાણે તો જાવું પડે એમ છે તે....” તમે બાપુને કેજો. અમે તો ચિટ્ટીના ચાકર કે'વાઈ. એટલે અટાણે તો પાછા વળો.....' દેવાભાઈ સમજી ગયા એટલે વધારે વડચડ કર્યા વગર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy