SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧: પ્રતિભાઓ આ તાપ કોમળ હૃદયના રાજવીના દિલને વધુ દઝાડે છે. તેથી હડાળા છોડવું કે રાજની રૈયતથી અળગા થાવા જરીકેય ગમતું નથી. તેમને આશા છે કે, વરસાદ આજ વરસશે, કાલ વરસશે.....વરસાદ સૂપડાધારે તૂટી પડશે ને રાજની ભલી ભોમકા તૃપ્ત થાશે. રસકાબોળ થાશે. લોક હૈયામાં હરખનાં હળ હંકાશે. પોતે નિરાંતવા જીવે લાઠી જાશે. સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કવિ કલાપીને મળશે. પછી ભાઈબંધીના નિર્મળ નીરમાં ધૂબાક-ધૂબાકે-ન્હાશે! આભના રુસણાં અકબંધ છે. વરસાદ વરસતો નથી. દરબાર વાજસૂરવાળાને એક દિવસ વરસ જેવો લાંબો અને વસમો લાગે છે. મન અધીરું થઈને ચોકડા તોડાવે છે. | ન સહેવાયું તે છેવટે દરબાર વાજસૂરવાળાએ કવિ કલાપીને લાઠી ગામે સંદેશો પાઠવ્યો. વરસાદ નથી. દુષ્કાળ પડવાના માઠા એંધાણ મને વરતાઈ રહ્યા છે. આ કપરા સમયમાં રાજને રેઢું મૂકવાનું મારું મન માનતું નથી. એટલે....” હડાળાનો ખેપિયો લાઠીના દરબાર ગઢમાં આવીને ઊભો રહ્યો. લાઠીના રાજવી કવિ કલાપીએ સંદેશો ઝીલ્યો. પણ તેમના કોમળ દિલને ઘા વાગ્યો. એક તો કવિ હૃદય, પ્રણયના ઘાવ પડેલા. એની નાજુક આંગળિયુંના ટેરવાંમાંથી કવિત્વનાં ઝરણાં ફૂટે, નદીઓ છલકે. એક એક શબ્દમાં વ્યથા, વલવલાટ અને સ્નેહના ટોળે ટોળાં, પંખીડાઓની જેમ પાંખો ફફડાવે. આભને વીંઝે ! એ સ્નેહાતુર કવિના હદયમાં ઝણઝણાટી થવા લાગી. એ કલાના સાગરની ઊર્મિઓના વાધૂ બમણા વેગે ઉછળવા લાગ્યા. અંગે અંગમાંથી મિત્ર ઝંખનાની સ્નેહલ સરવાણી શબ્દો થઈને, કોરા કાગળને અંકિત કરવા લાગી. કલાપીએ કંઈ જ કહ્યું નહી પણ વળતા સંદેશારૂપે થોડા શબ્દો જ ઉતારી આપ્યા. ખેપિયો વળતો સંદેશો લઈને એના એ જ પગલે પાછા ઉપડ્યો. અરબી અશ્વ પવન વેગે દોડવા લાગ્યો. વહેલું આવે હડાળા ગામ. આપા વાજસૂરના હાથમાં ખેપિયાએ સંદેશો મૂક્યો. આપો બરાબર સમજતા હતા કે શબ્દના સ્વામી ઉત્તર આપવામાં જરા પણ ઓછો નહીં ઉતરે! ચિટ્ટીમાં સોરઠો લખ્યો હતો. પાડીશ તું દુકાળ (તો) અમે શું પીને જીવીશું, (પણ) જપશું તારી માળ, તો યે આપા વાજસૂર.!” સોરઠો વાંચીને આપા વાજસૂરની આંખો પહોળી થઈ ગઈ. શબ્દના અર્થને ઘૂંટી પી જનારો રાજવી સઘળું સમજી ગયો. ગાગરમાં સાગર સમાયો હતો. એ ખાલી શબ્દો જ નહોતા પણ લાગણીથી નીતરતા દિલના ટુકડાં હતાં. હવે વિલંબ કરવો એ તો સ્નેહી દિલને તોડવા બરાબર ગણાય. અને એક વખત દિલા તૂટ્યા પછી તે સંધાય નહીં. સંધાય તો તેની વચ્ચે સાંધો રહી જાય! આપા વાજસૂરવાળા થોડી પણ અદૂર કર્યા વગર લાઠી આવ્યા. જોયું તો સામે કવિ હૃદય વિહ્વળ વદને ઊભો હતો. તેમના દિલની વાતો વંચાતી હતી. બેઉ મિત્રો એકબીજાને ભેટી પડ્યા. બે હદય ભેગાં થયાં. હેતની હેલી વરસી. આભમાંથી ધરતીના ગર્ભને ફાડી નાખે તેવી ગર્જના થઈ. આભ ગડગડ્યો. મેઘાડંબર થયો. ઘડી બે ઘડી....ને એમ કરતાં તો મેઘ સાંબેલા ધારે ત્રમઝટુ બોલાવવા લાગ્યો. –આવી હતી એ મિત્રતાની વાતું! આજે હડાળા ગામે આ ત્રિપુટીની મિત્રતાની સાક્ષી પૂરતો વ્રજ-સૂરેશ્વર આશ્રમ અડીખમ ઊભો છે. એક વખત ત્યાં સંત્સગ, સાહિત્ય અને સંગીતની સભાઓ યોજાતી હતી. લાખાજીરાજ દીવાનખંડની ચારેય દીવાલો વચ્ચે સૂનકાર પલાઠીવાળીને બેસી ગયો છે. રજવાડી ઠાઠમાઠની વચ્ચે પણ અભેદ અબોલતા અચલ અને અખંડ ઊભી છે. લોકસાહિત્યની ખાણ એવા હડાળાના દરબાર વાજસૂરવાળા દીવાનખંડમાં આમથી તેમ ટહેલે છે. બેસે છે અને વળી પાછા ગંભીર મખમદ્રા સાથે ઊભા થઈને ચાલવા લાગે છે. પોતાના દિલોજાન દોસ્ત એવા કલાના સાગર કવિ કલાપી તેમની આંખોમાં ઊગી નીકળ્યા છે. તેની મસૂણ યાદ વિદ્વાન એવા વાત્સલ્ય મૂર્તિ વાજસૂરવાળાના રુંવે રૂંવે પ્રસરવા લાગી છે. લાઠીના રાજવી સૂરસિંહ તખ્તસિંહ ગોહિલ ઉર્ફે કલાપી એટલે પોતાના હૈયાની વહાલસોયી વાતને મૂકવાનું ઠેકાણું. સારા-નરસી વાતોની હાર કતરડી હાલે. નિરાકરણ થાય. ગાંઠ વાળવા જેવી વાતની મનોમન ગાંઠ વળે. બાકીની વાતો પંખીડાની જેમ પાંખો ફફડાવીને ઊડી જાય. પણ આજે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy