SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પથપ્રદર્શક રીબાતા જોયાં, ઘૂંટાતાં અને પીડાતાં જોયાં. અને છતાંયે કશીક ખેવના સાથે જીવતાં જોયાં છે. એમની વ્યથા. વેદના મારા અંતરમાં ઉભરાયાની સઘન અનુભૂતિ મને થઈ છે. હૃદય રૂંધાયું છે અને શબ્દો સરી પડ્યા છે. આમ એમની શબ્દ-ચેતનામાંથી પ્રગટતું જોમ તળપદ વાતાવરણ, લોકહૈયાની વાતો, જીવતરનો ખાલીપો, ગાંમડાંની માટીમાંથી પ્રગટતા ખમીર અને ગૌરવવંતા પાત્રો વર્ણનો શબ્દશેલી અને વેધક સંવાદો. આ બધું તેમની નસ-નસમાં વહે છે. એટલે જ ભાઈ રાઘવજી માધડને કાઠિયાવાડી સુગંધ વહેંચતો સર્જક કહું છું. ભાઈ રાઘવજી માધડ વિશે કેટલું લખું!? ખરો પરિચય તો તેમની કલમના કસબની પ્રાપ્ત થયેલ કૃતિઓ, લેખો તેમજ દૈનિક–પત્રોમાં આવતી કોલમનાં સ્પર્શથી થઈ શકે. હાલ રાઘવજી માધડની કોલમ ઇતિહાસનું સોનેરી પાનું' નામે સંદેશ દૈનિકની રવિપૂર્તિમાં નિયમિત પ્રગટ થાય છે. તે ઉપરાંત ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં તેઓએ કામ કર્યું છે. અત્યારે તેઓ ગુજરાતી ફિલ્મની કથા-પટકથા, સંવાદ લખી રહ્યા છે. - સંપાદક મિત્રતા ધોમ ધખતો વૈશાખ ગયો અને જેઠ આવીને ઊભો રહ્યો. મનેખના મોં પર આશાના દીવડા ટમટમવા લાગ્યા. બસ, હવે તો મારો વાલો મહેર કરે એટલે ભયો ભયો ! જેડુડી બીજ ચમકી, વાદળો ઘેરાયા. આભ ગાજ્યો. મેઘો મંડાણો. સૂપડાધારે વરસવાનો હોય એમ ગડહડાટી બોલાવવા લાગ્યો. મનેખ જીવ કોળ્યા. પણ ટંક બે ટંક થાતાં તો વાદળાં વિખેરાઈ ગયા. આભ સાવરણો ફેરવેલ ફળિયા સમું થઈ ગયું. દિવસ આખો કોરો ધાકોર નીકળી ગયો. દુકાળીયા વરસના એંધાણ મંડાતા હોય એમ, પ્રાગટ્યનો પહોર ફાટતા જ કાગડાએ કાંવકારો કર્યો અને આપા વાજસૂરની આંખ ફડાક કરતી ઊઘડી ગઈ. માંડ માંડ આંખો મળી હતી, ઊંઘ આવી હતી ત્યાં કાગડાએ ઠણક મારીને જાણે ઊંઘ રિસાઈને ભાગી! જેઠ માસમાં તો આભને ફાડી નાખે તેવો ગરમાવો થવો જોઈએ તેના બદલે ટાઢનો ચમકારો? આપા વાજસૂરના શરીરે હળવું લખલખું આવી ગયું. આ પ્રજા વત્સલ રાજવીના જીવને છેલ્લા કેટલાય દિવસોથી અજંપો ઘેરી વળ્યો છે. માયાળુ જીવને ક્યાંય નિરાંત થાતી નથી. તેમના મનમાં એક જ વાતનો રવૈયો ફરે છે, વરસાદ નહીં થાય, ભયંકર દુષ્કાળ પડશે! દુષ્કાળના લીધે રૈયત રાંકડી બનશે. ભૂખ અને તરસના લીધે ટળવળશે. સૌના રૂદિયામાંથી થા રામ ઊઠી જાશે. પછી ન બનવાનું બનશે! આ ચિંતા આપા વાજસૂરના આળાં દિલમાં કાંટાની માફક વાગવા લાગી છે. -પ્રજા વરસાદ વગર દુઃખી દુઃખી હશે ને, પોતે કાંઈ કરી નહીં શકે? મૂંગા મોએ જોયા કરશે! ? રાજની રૈયતના ભાવિ દુઃખથી પીડાતો આ નાનકડા એવા હડાળા ગામનો રાજવી ચિંતાગ્રસ્ત ચહેરો લઈને ઊઠ્યો. પથારીમાં બેઠો. ઘડીભર આંખો બંધ કરી. પોતે છેલ્લા ઘણાં દિવસોથી બહારગામ ગયા નહોતા. ગામતરું કર્યું નહોતું. નહીતર તો આપો વાજસૂર લગાતાર આઠ દિવસ ગામમાં રહે તેવું ભાગ્યે જ બને! તેમનો એક પગ લાઠી ગામના પાદરમાં હોય અને બીજો પગ વડીયા ગામની સુરવો નદીમાં હોય. બાકી હડાળામાં આમ પડ્યા રહે ઈ વાતમાં માલ નહીં. હડાળા ગામના દરબાર વાજસૂરવાળા, વડીયા ગામના દરબાર બાવાવાળા અને લાઠી ગામના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. આ ત્રણેય રાજવીઓની મિત્રતા ચારેય દિશાઓમાં મોગરાની સુગંધ માફક પ્રસરી ગયેલી. આ ત્રિપુટીના ખોળિયા જ જુદા. બાકી પ્રાણ એક. સૂરજ નારાયણને ઊગવામાં ફેર પડે તો ભલે પડે પણ આ ત્રિપુટીને મળવામાં ક્યારેય ફેર ન પડે. મળે જ અને હૈયાના હેતથી મળે. આખા મલકમાં આ વાત ગળથૂથીમાં પાઈ હોય એમ સૌના ગળે ઊતરી ગયેલી. ત્રણેય રાજની રૈયત પેટ ભરીને સમજે. આ બાજુ વરસાદના વાવડ નથી. વિજોગી ધરા મેહુલિયાના વિરહમાં ઝૂરે છે. તાપમાં તપે છે. પણ ધરા કરતા Jain Education Intemational ation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy