SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૧૧ એવાં હતાં મનેખ રાઘવજી માધડ દરેક પ્રદેશને પોતીકી ઓળખ અને ઇતિહાસ હોય છે. ગુજરાત પાસે પણ આગવો ઇતિહાસ છે. માણસને પોતાનો કે પૂર્વજોનો ઇતિહાસ વાગોળવો ગમતો હોય છે. સર્વરંગી ઇતિહાસ માણસને મલ્યબોધ આપતો હોય છે, જીવતરની આંટીઘૂંટી ઉકેલવામાં માર્ગ બતાવતો હોય છે. તે દ્વારા માણસ સામાજિક મૂલ્યોનું પ્રદાન કરતો હોય છે. પ્રસ્તુત કથાપ્રસંગો દ્વારા ગરવી ગુજરાતના માનવ રત્નોના જીવનના મહત્વપૂર્ણ અંશને આમ શબ્દસ્થ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે ઇતિહાસમાં આવ્યા નથી પરંતુ ઇતિહાસ સર્જ્યો છે તેવા મૂઠી ઊંચેરા મનેખના જીવનમાંથી એકાદ ખોબો ભરીને અહીં છાંટ્યો છે. તેનાં થકી આપણી લોક સંસ્કૃતિના આગવા ઉઘાડા સાથે જીવનના મૂલ્યો ઉજાગર થશે ને આવિર્ભાવ પામશે તેવી અપેક્ષા છે. કાઠિયાવાડી સુગંધ વહેંચતા આ લેખમાળાના સર્જક શ્રી રાઘવજીભાઈ માધડ– અમરેલી પાસેનાં દેવળિયા ગામનાં વતની શ્રી રાધવજી માધડનો જન્મ તા. ૧-૬-૬૧ માં થયો છે. એમ.એ. બી.એ. અને પીએચ.ડી. સુધીની ઉચ્ચ લાયકાત ધરાવનાર ભાઈ રાઘવજી માધડનું સાહિત્ય ક્ષેત્રે મોટું નામ અને કામ છે. ગામડાની પ્રાથમિક શાળાના શિક્ષક આટલી નાની ઉંમરમાં કાઠિયાવાડની સુગંધને ખમીરવંતા શબ્દો દ્વારા ટુંકી મુદતમાં અઢાર પુસ્તકો પ્રગટ કરીને એક અસાધારણ સાહિત્યકાર તરીકે નામના મેળવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે પોતે પ્રાથમિક શાળામાં કામ કરતાં હતા. તે સમયે તેઓની વાર્તાકૃતિ કોલેજના એમ.એ.નાં અભ્યાસક્રમમાં ચાલતી હતી. પ્રથમ વાર્તા સંગ્રહ ‘ઝાલર’ ૧૯૯૧માં પ્રગટ થયો. તેને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું. અને પછી તેમની સર્જક શક્તિને કુલ છ એવોર્ડ પ્રાપ્ત થયા છે. આજે પણ તેઓ ધમકદાર કલમે કાઠિયાવાડની સુગંધને વહેચવાનું કાર્ય અવિરત પણ કરી રહ્યા છે. આકાશવાણી અને દૂરદર્શન પર (ટી. વી.) તેઓનાં ઘણાં નાટક પ્રસારિત થયા છે. તેમાં “બાલુ બોલે છે' નામે ગુજરાતી સિરીયલ ખૂબ જ લોકપ્રિય નીવડેલી. “ધીરી બાપુડીયા” નામની સિરિયલ એટલી જ લોકપ્રિય નીવડી હતી. ભાઈ રાઘવજી માધડની કારકિર્દીના શરૂઆતનાં પંદર વર્ષ અમરેલી જિલ્લામાં શિક્ષક તરીકે સેવાઓ બજાવ્યા પછી છેલ્લા સાત વર્ષથી પાટનગર ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની જી.સી.ઈ.આર.ટી. ઓફિસમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપે છે. શિક્ષણ જગતમાં પણ તેઓનું મુઠ્ઠી ઉંચેરું નામ છે. ધોરણ ૪ થી ૭નાં ગુજરાતી વિષય તેમજ પી.ટી.સી.નાં પુસ્તકોનાં તેઓ સમીક્ષક અને લેખક છે. અનેક શૈક્ષણિક કાર્યક્રમોમાં તેઓ ખૂબ જ રસપૂર્વક સતત વ્યસ્ત રહે છે. શ્રી રાઘવજી માધડ કાઠિયાવાડના નાના ગામડામાં અનેક સંવેદનાઓના આધારે પોતાના સાહિત્યસર્જનમાં ગામડું અને ગ્રામજીવન કેન્દ્રસ્થાને રાખીને પોતાનાં હૈયાની વાત સમગ્ર સમાજને સુંવાળા છતાં વેદનાસભર શબ્દોથી રજૂ કરતાં હોઈ તેવું તેમનાં સર્જનમાં સ્પષ્ટ દેખાય છે. તેઓએ કહેલું કે જીવતર માટેનો ખાલીપો અને ઝંખનાએ મને શબ્દ સૃષ્ટિ તરફ વાળ્યો છે. માંહ્યલાની વેદનાએ મને મારી આજુબાજુ વાર્તાઓનાં પાત્રોને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy