SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૮ વિશાળ ક્ષેત્ર તેમને જોઈતુ હતું. ફરી પાછા મુંબઈ ગયા અને ત્યાંથી ગોવા પહોંચ્યા. મેંગેનિઝની ખાણોમાંથી નીકળતા મેંગેનિઝના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેમાં પણ ચડતીપડતી જોઈ. દરમ્યાન ગાંધીજીની સ્વાતંત્ર્ય-ચળવળમાં પણ મન આકર્ષાયું. ખાદીનો આજીવન સ્વીકાર કર્યો. ગાંધીજી સાથેના સંપર્કમાં બહુ નજીક આવ્યા. રાષ્ટ્રીય નેતાઓના પણ સતત સંપર્કમાં રહ્યા. દરમ્યાન અમદાવાદ આવીને ત્યાંથી ધ્રાંગધ્રામાં મીઠાના ઉદ્યોગમાં પણ ઝંપલાવ્યું. તે પછીના ઘણા તાણાવાણાને અંતે ગ્રામોફોન કમ્પનીના ક્ષેત્રમાં પણ પગરણ માંડ્યાં અને જાપાનની સફર કરી. ત્યાં અન્ય ઉદ્યોગની પણ જાણકારી મેળવી. ધનની લાલચમાં ક્યારેય લપેટાયા વગર સાદું જીવન અને ઉચ્ચ વિચારોને જ શ્રી દુલેરાયભાઈ ખરું ધન માનતા હતા. મુંબઈમાં આવીને નેશનલ ગ્રામોફોન કમ્પનીની સ્થાપના કરી, જેનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુના હાથે થયું. આ એક નવા જ રાષ્ટ્રીય ઉદ્યોગનાં મંગલાચરણ થયાં. આ કમ્પનીની કેટલીક રાષ્ટ્રીય ભક્તિવાળી રેકર્ડ ખૂબ જ લોકપ્રિય બની. કલાકારો, ગવૈયાઓ અને સંગીતકારોને કાંચન અને કીર્તિ અપાવવામાં નેશનલ ગ્રામોફોન કમ્પની અને શ્રી દુલેરાયભાઈનો ફાળો અદ્ભુત રહ્યો. તેમને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો. આ કમ્પનીની રેકર્ડનાં ગીતોએ ગુજરાતને ઘેલું કર્યું. દેશબાંધવોનો પ્રેમ મેળવ્યો. ખાસ કરીને ‘રામરાજ્ય’ની રેકોર્ડોથી તેઓ જગમશહૂર બન્યા. શ્રી નરભેરામ હંસરાજ ક્માણી અમરેલી જિલ્લાના ધારીના નરરત્ન નરભેરામભાઈએ જમશેદપુરમાં ૨૩ વર્ષની વયે ‘બોમ્બે સ્ટોર' નામે નાનકડી દુકાન માંડીને વેપાર ક્ષેત્રે પ્રારંભ કર્યો. ધારીથી તેઓ પોતાના બંધુ રામજી હંસરાજને ત્યાં માંદગીના કારણે હવા ફે૨ ક૨વા આવેલા. જમશેદપુરે તેમને આકર્ષી રાખ્યા ને જીવન જરૂરિયાતની વસ્તુના વેપારથી શરૂઆત કરનાર આ કુશળ વેપારીએ ધી - કો ઓપરેટિવ સોસાયટી લિ.નો વિશાળ સ્ટોર ખરીદી લઈ એનું કુશળતા અને પ્રામાણિકતાપૂર્વક સંચાલન કર્યું. તેથી પ્રતિષ્ઠા અને પ્રભાવ પથરાવા લાગ્યો. તરત જ મોટરકાર અને તેના સ્પેર પાર્ટનો સ્ટોર ખોલ્યો. બર્મા ઓઇલ ફાં.ની કેરોસીન, પેટ્રોલની એજન્સી પણ પ્રાપ્ત કરી લીધી. આ ધંધાનો વિકાસ માત્ર ઈ.સ.૧૯૨૬થી ૨૮નાં બે વર્ષના સમયગાળામાં કર્યો. Jain Education International પથપ્રદર્શક ઈ.સ.૧૯૩૦નાં બીજાં બે વર્ષમાં તેમણે ઝડપી વિકાસ સાધ્યો. નરભેરામ એન્ડ કાં.લિ.ની સ્થાપના કરી બિહાર અને ઓરિસ્સા માટે ધી જનરલ મોટર ઇન્ડિયા લિ.ની ડીલરશીપ મેળવી વ્યાપારનો વ્યાપકપણે વિસ્તાર કર્યો. વેપાર-ક્ષેત્રમાં સફળતાએ ઉદ્યોગ-ક્ષેત્રની ક્ષિતિજને આંબવાનું પ્રેરણાબળ પૂરું પાડ્યું. ભાઈઓની ભાગીદારીમાં તેમણે મેટલના ઉદ્યોગમાં પદાર્પણ કર્યું. તે વખતે કલકત્તામાં (આજનું કોલકત્તા) અંગ્રેજ માલિકીનું સો વર્ષ જૂનું કારખાનું ખરીદી લીધું. તેનું નામ અપાયું ‘કમાણી મેટલ રિફાઇનરી એન્ડ મેટલ ઇન્ડસ્ટ્રીઝ’. ઉદ્યોગ ક્ષેત્રે કમાણી બંધુઓએ બહોળો ફેલાવો કર્યો. લાહોરમાં ટુલ્સ ઉત્પાદનનું કારખાનું ખોલ્યું. મુંબઈ પાસે કલ્યાણમાં કમાણી ઇનેમલ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. પ્રામાણિકતાએ એમને પ્રતિષ્ઠા અપાવી અને સમાજસેવાએ સુવાસ વિસ્તારી. જમશેદપુરમાં શ્રી નરભેરામ હંસરાજ ગુજરાતી એ.વી.સ્કૂલ સ્થાપી. અમરેલી, ધારી વગેરે સ્થળે તેમની ઉદારતાનો હાથ લંબાયેલો હતો. રેલસંકટ, દુષ્કાળ, ધરતીકંપ જેવી કુદરતી આફતો સમયે તેમનો પૈસો પીડિતોની પડખે આવી પહોંચતો હતો. આમ જાહેર અને ગુપ્તદાન દ્વારા કમાણીકુટુંબની સુવાસ બંગાળમાં ફેલાઈ રહી. શ્રી નરભેરામભાઈનો જન્મ તા. ૨૫ નવેમ્બર ૧૮૯૩ના રોજ થયો હતો. દશાશ્રીમાળી જૈન વણિક હતા. શ્રીમતી લીલાવતી નૈયાલાલ મુન્શી મુંબઈ સંગ્રામસમિતિના ઉપપ્રમુખ હતાં. તા.૧૯-૬૩૦ના રોજ ત્રણ મહિનાનો કારાવાસ મળ્યો હતો. તેમણે મુંબઈમાં સ્ત્રીજાગૃતિનું નોંધપાત્ર કાર્ય કર્યું હતું. શ્રીમતી ઊર્મિલા ભાસ્કર મહેતા બી.એ. દિવાનબહાદુર અંબાલાલ સાકરલાલનાં પૌત્રી મુંબઈ સંગ્રામસમિતિના બારમા પ્રમુખ તરીકે પસંદ થયાં. જાણીતાં આ સમાજ સેવિકાએ તા.૨૬-૧૧૧૯૩૦ના રોજ નવ મહિનાની કેદ સ્વીકારી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy