SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ભાઈ શ્રી આણંદજીનું કોમિક બહુ જ મર્યાદાભર્યું તથા અસરકારક હોઈ મહાગુજરાતની રંગભૂમિ પર હાસ્યરસના જે જે નટો અત્યાર સુધીમાં પ્રથમ પંક્તિનું નામ મેળવી ગયા છે, તેમાં આ 'કબૂતર - કપાતર'ની જોડી પણ સાચા હાસ્યરસના ખેલાડી તરીકે રંગભૂમિનાં રમણીય પૃષ્ઠો પર અસરકારક પુરવાર થઈ છે. “ઝટ જાઓ, ચંદન હાર લાવો, ઘૂંઘટ પટ નહીં ખોલુ' અને ‘ભારી બેડાં ને હું તો નાજુકડી નાર, કેમ કરી પાણીડાં ભરાય રે, ભમ્મરિયા કૂવાને કાંઠડે' અતિ લોકપ્રિય થયેલાં તેમનાં ગીતો હતાં. શ્રી લક્ષ્મીકાંત નાટકમંડળીના અજબ ખેલાડી એક્ટર કેશવલાલ કે જે 'કપાતર' તરીકે પ્રસિધ્ધ થયા હતા, તેનો યોગ થયો અને બંને એક્ટરોને સાથે રહી કોમેડિયન એક્ટર તરીકે કામ શરૂ કર્યું. એ ‘કબૂતર કપાતર'ની જોડી કોમિક પાત્ર તરીકે નાટ્યભૂમિ ઉપર છવાઈ ગઈ હતી. શ્રી કેશવલાલ શિવરામ (કપાતર) જેવા બાહોશ કોમેડિયન એક્ટરની પેરમાં ઉતરનાર શ્રી આણંદજીને પોતાના મધુર બુલંદ અવાજ અને મોહક ચહેરાથી આકર્ષાઈ 'કબૂતર'નું ઉપનામ મળ્યું અને પોતાની જન્મભૂમિ કાઠિયાવાડને ન વી.સરતાં તેણે પોતાને “કાઠિયાવાડી કબૂતર’ તરીકે જાહેર કરેલ. આથી દરેક નાટ્યકાર, સાહિત્યકાર અને શિષ્ટ સમાજ તેઓને આ રીતે પિછાનતો હતો. કવિરાજશ્રીના ઉત્તમ મનોભાવનાવાળા અને જનસમાજને અસર થાય તેવાં કોમિકો બહુ પ્રિય લાગતાં અને તેમનાં ઉત્તમ કોમિકોની અસર પણ જનસમાજ ઉ૫૨ સારી થઈ એમ કહેવાને કશી હરકત નથી. આવાં જ સુંદર અને અસરકારક કોમિકો આ પેર ભજવે. કવિરાજ શ્રી પ્રભુલાલભાઈ દ્વિવેદીની કલમમાં ચાકી રહેલું નીતિનું તત્ત્વ ‘કીર્તિસ્તંભ’, ‘સત્તાનો મદ’, ‘ચેતન યુગ’, ‘અજયધારા’ જેવા ખેલોનાં કોમિકમાં ઝળકી ઊઠતું અને જનસમાજના હૃદય ઉપર ઊંડી છાપ પાડતું અને તેવાં કોમિકો મુંબઈની સમસ્ત પ્રજાને રુચિકર લાગતાં. પ્રેક્ષક વર્ગનો કાયમ દરોડો રહેતો. ભાઈ આણંદજીએ દેશી નાટકસમાજમાં રહી પોતાનાં કાઠિયાવાડી ગામાં એટલે કે સુંદર લોકગીતો રેકર્ડમાં ઉતરાવવાનો અલભ્ય લાભ 'હીઝ માસ્ટર વોઇસ' કંપનીને આપ્યો, કારણ કે એ કંપનીના સંચાલક શ્રી ૨માકાંતભાઈ રૂપજીએ કાઠિયાવાડી ગાણાં ઉતારવા માટે શ્રી આણંદજીની પસંદગી કરી અને તે પસંદગીને માસ્તર આણંદજી (કાઠિયાવાડી કબૂતર)એ ઉચિત ઠરાવી, એમના નામથી એકપણ ગ્રામોફોન ખાલી નહોતું. ‘ભમ્મરિયા કૂવાને કાંઠડે', ‘ઝટ જાઓ, ચંદનહાર લાવો', Jain Education International પથમાશંક ‘સોહામણી સાડી’, ‘કુભાર્યાનો સંસાર', 'વિધવાનાં આંસુ' અને ‘કજોડાંની કહાણીય’ જેવાં અસરકારક અને ભાવભર્યાં ગાણાં તેમણે રેકોર્ડમાં ઉતરાવ્યાં. હીઝ માસ્ટર વોઇસ કંપની ભાઈ આણંદજીને રૂપિયા એક હજાર પ્રતિ વર્ષ વાર્ષિક ચૈતન તરીકે આપતી. એ કંપની તરફથી એક સુવર્ણ ચંદ્રક મેળવવાનું માન પણ આ મશહૂર નટને મળ્યું. કાઠિયાવાડની સમસ્ત પ્રજાને પણ આ પેરનાં કોમિકોનો અલભ્ય લાભ લેવાનું કુદરતે નિર્માણ કરતાં શ્રી પાલિતાણા ભક્તિપ્રદર્શક નાટક મંડળના માલિક શ્રી મધિક કરભાઈ ભટે આવા બાહોશ ખેલાડીને આ કંપનીમાં મુંબઈના મળતા પગારે આમંત્રણ આપ્યાં અને તે સ્વીકારી તેઓ બંને કંપનીમાં જોડાયા અને તેથી જ રાજકોટ, જામનગર વગેરે શહેરની પ્રજાએ આ પરના ોધો જેવાં સાંભળવાનો લહાવો લીધો. તેમનો મોહક અને મધુર અવાજ સુવર્ણમાં સુગંધ મળ્યા જેવો જ યોગ બતાવે તો તેમનો સરળ અને પ્રેમાળ સ્વભાવ એક અજબ વસ્તુ છે. તેઓ પોતે કાયમ જેમ વિદ્યાર્થી હોય તેમજ રહી પોતે પ્રશંસા પામ્યા છતાં જરા પણ ગર્વ ન રાખતાં કુદરત પાસે પોતાના કાર્યમાં વધારે નિપુત્તા મળે એવું ઇચ્છતા. ત્યારે રંગભૂમિ પર અજબ ખેલાડી તરીકે ગણાતા એક્ટરોમાં ભાઈ આણંદજીનું નામ પ્રથમ પંક્તિમાં આવતું. ન ભાઈ શ્રી આણંદજીનું કૌમિક બહુ જ મર્યાદાભર્યું તથા અસરકારક હોઈ મહાગુજરાતની રંગભૂમિ પર હાસ્યરસના જે જે નટો અત્યાર સુધીમાં પ્રથમ પંક્તિનું નામ મેળવી ગયા છે, તેમાં આ ‘કબૂતર - કપાતર'ની જોડી પણ સાચા હાસ્યરસના ખેલાડી તરીકે રંગભૂમિનાં રમણીય પૃષ્ઠો પર અસરકારક પૂરવાર થઈ છે. ‘ઝટ જાઓ, ચંદન હાર લાવો, ઘૂંઘટ પટ નહીં ખોલુ’ અને ‘ભારી બેડાં ને હું તો નાજુકડી નાર, કેમ કરી પાણીડાં ભરાય રે, ભમ્મરિયા દ્વાને કાંઠડે અતિ લોકપ્રિય થયેલાં તેમનાં ગીતો હતાં. સિંધ - નવાબશાહવાળા શ્રી અમૃતલાલ મોહનલાલ મહેતા કામલપુર (બજાણા સ્ટેટ) જન્મ : સં.૧૯૯૦ના દ્વિતીય જર્મષ્ઠ વદિ ૧૧, શનિવાર. જેઓશ્રીએ સિંધમાં આવેલા નવાબશાહ ગામે રાલી બ્રધર્સની પેઢીમાં આસિ. મેનેજર તરીકે કામ કરી, ખેતીવાડીનો અભ્યાસ કરી સિંધની બહોળી જમીન ઉપર ગુજરાતના ખેડૂતોને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy