SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ શ્રી ઓસ્માણ સોમાણી _***********! જેના શ્રી સોમાણી મુંબઈ સંગ્રામસમિતિના દસમા પ્રમુખ તરીકે પસંદ થયા હતા. પ્રથમ મુસલમાન વેપારી પ્રમુખને માંડવીમાં નવું કોંગ્રેસભવન ખુલ્લું મૂક્યું ત્યાર બાદ ગિરફતાર કરવામાં આવ્યા હતા. તા. ૧૫-૧૦-૩૦ના રોજ આ વેપારી આગેવાનને નવ મહિનાની સન્ન કેદની સજા ફરમાવવામાં આવી હતી. સ્વદેશીના ચાક શૂરજી વલ્લભદાસ *** કચ્છના સુથરી ગામમાં જન્મેલા ભાઈ અને તેમના પરિવારનો સ્વદેશ પ્રેમ અો કે હતો. મુંબઈમાં વ્યાપારના ક્ષેત્રમાં મોભાનું સ્થાન ધરાવતો શૂરજીભાઈ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયા અને સ્વદેશી ચળવળના મુંબઈમાં પ્રણેતા-પ્રચારક અને સ્વદેશી બજાર પેઢીના સ્થાપક તરીકે અનોખું સ્થાન પામ્યા હતા. ‘કચ્છી પ્રજાકીય પરિષદ'ની સ્થાપના ઈ.સ.૧૯૨૧માં થઈ. તેમણે ગામડાનો પ્રવાસ કરી જાગૃતિની ઝળહળતી જ્યોત પ્રગટાવી. ઈ.સ.૧૯૩૧ના વર્ષમાં કચ્છ ખેડૂત પ્રજા-સંગઠન સમિતિના પ્રમુખપદે વરણી થઈ. ખેડૂતોનાં દુઃખદર્દ ટાળવા ને ખાળવા સતત સંઘર્ષ કર્યો. ઈ.સ.૧૯૩૦-૩૨ના આઝાદી-આંદોલનમાં પોતાનું પ્રદાન આપવા વ્યાપાર-વ્યવસાય અને વહેવારને વેગળા મૂકી પોતે ઝંપલાવ્યું. અનેક વખત કપરો કારાવાસ વેઠવો. ‘જન્મભૂમિ’ અને હિન્દી પત્ર ‘નવરાષ્ટ્ર'ના પ્રકાશનમાં ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. પિતાના પગલે તેમનાં પુત્રી લક્ષ્મીબોને પણ ખાદી અપનાવી. નકલી રેટિયો કાંતી સત્યાગ્રહમાં ભાગ લઈ કાજલ કોટડીમાં પુરાયાં હતાં. રંગના વેપાર ક્ષેત્રે આ રાષ્ટ્રવીરે પણ નામના મેળવી હતી અને ‘રંગના રાજા' તરીકે ઓળખાયા હતા. રંગના વેપારના વિકાસ માટે તેમણે ઈ.સ.૧૯૨૧માં ઇંગ્લાન્ડ, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, સીરિયા, ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્તનો પ્રવાસ ખેડ્યો હતો. મુંબઈના જાહેરજીવનમાં તેમનું એક જમાનામાં ઝળહળતું નામ હતું. Jain Education International .. ૧૦૫ શ્રી ગુણવંતરાય વી. કાપડિયા શ્રી. કાપડિયા મુંબઈ સંગ્રામસમિતિના ત્રીજા પ્રમુખ તરીકે પસંદગી પામ્યા હતા. ‘સોલાપુર દિન’ના પ્રથમ સરઘસની સરદારી લઈ મનાઈ હુકમનો ભંગ કરનાર આ ૨૯ વર્ષના થનગનતા નવયુવાન નેતાને તા. ૧૯-૬-૩૦ના દિવસે છ મહિનાની સન્ન કેદની સજા ફરમાવવામાં આવી હતી. www. બી.એ., એલ.એલ.બી. સોલીસિટર For Private & Personal Use Only ************ એક જમાનામાં ગુજરાતીઓને નિર્દોષ હાસ્યના રંગે રંગનાર રંગભૂમિનો ક્લાકાર ‘કાઠિયાવાડી બૂતર' આણંદજી પંડ્યા ‘કાર્ડિયાવાડી કબૂતર'એ નામથી અજાણ્યું ભાગ્યે જ કોઈ હશે. એ કાઠિયાવાડી કબૂતર તે ભાઈ આણંદજી ભગવાનજી પંડવા, સાહિત્યવાડીમાં જેના લેબી સૂરો છલકે છે, એ 'કલાપી' નરેશ સૂરસિંહજીના લાઠી રાજ્યના ભાયાત લીમડા (હનુભાના) ગામના મૂળ વતની અને ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો સમવાયની ગણાતી જ્ઞાતિના કારોલિયા પડતા પરમ સ્માર્ત બેચર પંડ્યાના કુટુંબમાંથી ભગવાનજી લીલાધર પંડ્યાના પુત્ર થાય. શ્રી ભગવાનજી પંડ્યાને ત્રણ પુત્રો (૧) ગોવર્ધનરામ (૨) માસ્તર શામળજી (૩) માસ્તર આણંદ. ભાઈ શ્રી આણંદજીનો જન્મ સંવત ૧૯૨૧ એટલે ઈ.સ.૧૯૦૫માં મોતીબાની કુખે લીમડા મુકામે થયેલ હતો. માસ્તર આણંદજી સાથે તેમના મોટાભાઈ શ્રી માસ્તર શામળજી હારમોનિયમ માસ્તર તરીકે કાયમ રહે. બંને ભાઈઓ વર્ષોથી નાટ્ય પ્રદેશમાં ખીલી રહ્યા હતા. તેમાં શ્રી માસ્તર આનંદનું નામ મુંબઈની શોખીન પ્રજામાં અને ગુજરાત - કાઠિયાવાડમાં મશહેર હતું. તેઓશ્રીએ આ ધંધામાં ઈ.સ. ૧૯૧૫થી શ્રી સૌરાબજી મહેરવાનજી કાગક જેવા બાહોશ ડાયરેક્ટરની દેખરેખ નીચે ધીમે ધીમે કેળવણી થઈ ઈ.સ.૧૯૨૩ સુધી એટલે કે સાત વર્ષે સારો અનુભવ મેળવ્યો. ત્યાર પછી ઈ.સ.૧૯૨ ૩ની સાલમાં શ્રી મોરબી આર્ય સુબોધ કંપનીમાં એટલે શ્રી છોટાલાલ મૂળચંદની કંપનીમાં પગારના સારા વધારાથી આણંદજીને વધુ અનુકૂળતા મળી. તે એ કે કવિરાજ શ્રી મૂળશંકર મૂલાણીની કસાયેલી કલમની લખાયેલી ‘વિક્રમ અને રાતિ`ના ખેલમાં www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy