SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી વિજય ભટ્ટ શ્રી ખુરશીદ નાટકના લેખક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી વિજય ભટ્ટે એફ. નરીમાન ચલચિત્રોના મહાન દિગ્દર્શક તરીકે સિનેમા ક્ષેત્રમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું હતું. ઈસુના ૧૯૦૮ના વર્ષે પાલિતાણામાં જન્મેલા વિજય ભટ્ટે ૨૦ વર્ષની વયે રંગભૂમિ માટે કલમ પકડી નાટ્યક્ષેત્રે પ્રવેશ કર્યો તે વર્ષ હતું ઈ.સ.૧૯૨૮નું. તેમણે લખેલાં નાટકો રંગભૂમિ પર ભજવાવાં માંડ્યાં. એક પછી એક નાટકને સફળતા પ્રાપ્ત થતી રહી. તે જ વર્ષમાં તેમણે ઊપડના સિનેમાક્ષેત્રે પ્રવેશ કર્યો. મૂંગી ફિલ્મોના એ યુગમાં ‘ઇમ્પિરિયલ’, ‘શારદા' માટે કથાઓ લખી. તે પછી પ્રકાશ પિકચર્સનો પ્રારંભ તેમના હસ્તે થયો. તેમણે લખેલી કથાઓ કચકડે મઢાવા લાગી. તે સાથે તમામ ચિત્રોનું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું, જેમાં ‘ખ્વાબી દુનિયા’, ‘સ્ટેટ એક્સપ્રેસ’, ‘લેધર ફેસ’, ‘એક હી ભૂલ’, ‘નરસી ભગત’ ચિત્રે તેમને સફળ અને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે ભારતના અગ્રગણ્ય દિગ્દર્શકોની હરોળમાં મૂકયા. નરસીભગત' મહાન ચિત્ર તરીકે પ્રેક્ષકોના હૃદયમાં રમતું રહ્યું. પરિણામે તેમનો ભવ્ય સત્કાર થતો રહ્યો. ભારતભરમાં આ ભવ્ય ચિત્રે વર્ષો સુધી ડંકો વગાડ્યો. એ અભૂતપૂર્વ સિધ્ધિએ વિજય ભટ્ટને ‘ભરતમિલાપ’ ચિત્રના નિર્માણની પ્રેરણા આપી. તેમણે તે અંગેની ત્વરિત તૈયારીઓ આરંભી. દરમ્યાન અન્યચિત્રોના નિર્માણને થંભાવી ભમિલાપમાં પોતાની દિગ્દર્શક તરીકેની કુશળતાને કેન્દ્રિત કરી તૈયાર કરી રિલિઝ કર્યું ત્યારે આર્ય સંસ્કૃતિની ભવ્ય ભાવના પ્રગટ કરતાં ચલચિત્રોએ સિનેમા ક્ષેત્રની પ્રતિષ્ઠા વધારી મૂકી. ‘માલા’ ચિત્ર, જેરિલિઝ થવાની રાહ જોતું હતું તે ચિત્ર પણ રજૂઆત પામ્યું. ‘નરસી ભગત’ અને ‘ભરતમિલાપ' હિન્દી અને ગુજરાતી ભાષામાં રજૂઆત પામેલાં. વિજય-ડંકો વગાડતા સૌરાષ્ટ્રના આ સાહિસક અને સૂઝ સમજવાળા દિગ્દર્શકે ‘રામરાજ્ય’ પર નજર ઠેરવી. ઓગણીસસો ચાલીસના વર્ષની સિધ્ધિ પછી ઉત્તમ ચિત્ર તરીકે 'રામરાજવૈ' વિજય ભને સુવર્ણ મુટ પહેરાવ્યો. - એક પછી એક સફળતાનાં સોપાન સર કરતાં ચઢતાં અનેક કપરાં ચઢાણો પણ ચઢવાં પડેલાં. અનેક વિટંબણાઓ અનેક આંટીઘૂંટીઓને ઉકેલતાં ઉકેલતાં તેમણે પોતાનો દિગ્દક તરીકેનો દિગ્વિજય મેળવ્યો. એ એક વિરલ ઘટના હતી. વિખ્યાત થયેલી અભિનેત્રી મીનાકુમારીને કરારબધ્ધ કરી બૈજુ બાવરા' ચિત્રનું સંગીતસભર નિર્માણ કરી અવિસ્મરણીય ચિત્ર આપ્યું. સૌરાષ્ટ્રના એક નાનકડા નગરમાંથી બહાર નીકળી અટપટા અને અધરા ઉદ્યોગમાં હરણફાળ ભરતાં ભરતાં અજોડ અને અભૂતપૂર્વ સિધ્ધિ પ્રાપ્ત કરનાર બાંધવ બેલડી શ્રી શંકરલાલ ભટ્ટ અને શ્રી વિજય ભટ્ટનાં નામ સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં ચિર સ્મરણીય રહેશે. નોંધ : શ્રી વિજય ભટ્ટ સાથે આ કુલમલેખકને વડોદરામાં ઊજવાયેલી રવીન્દ્ર દવે ષષ્ઠીપૂર્તિ સમયે મુલાકાત થયેલી. ઉક્ત કાર્યક્રમનું આયોજન ઉપેન્દ્ર ત્રિવેદી ફાઉન્ડેશન દ્વારા થયેલું, તેનું સંચાલન આ કોલમલેખકે કરેલું. Jain Education International એમ.એ., એલએલ.બી. (વીર નરીમાન) વીર નરીમાન મુંબઈની સંગ્રામસમિતિના પ્રથમ પ્રમુખ હતા. તેમને પહેલી સજા તા.૭-૪-૧૯૩૦ના રોજ એક મહિનાની થઈ હતી. તા.૨૩-૫-૩૦ના રોજ ચાર મહિનાની કેદ થઈ હતી. તા. ૧૫-૧૦-૩૦ના રોજ છ મહિનાની કેદ થઈ હતી. ત્રીજી વખત એમને કરાયેલી સજા હાઇકોર્ટના રૂલિંગ પ્રમાણે ગેરકાનૂની હતી, તેથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. કરાંચીના કર્તવ્યનિષ્ઠ સેવક ડો. પોપટલાલ અ. ભૂપત www.MON પથપ્રદર્શક ભાવનગરમાં મોભાના મહાજન ગણાતા અમરશી વાલજીના આ પનોતા પુત્રનો જન્મ તા.૭ જુલાઈ ઈ.સ.૧૮૮૯માં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું હતું. ઈ.સ.૧૯૧૩ના વર્ષમાં મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. ની પરીક્ષા પસાર કરીને તબીબી પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ અખંડ ભારતના એક ભાગ ગણાતા સિંધમાં ગયા. ત્યાં તેમણે કરાંચી શહેરમાં પ્રેકટિસ શરૂ કરી. ૨૪ વર્ષના આ ઊગતા જુવાનમાં ઉત્સાહ અને ખંતનો સંગમ રચાયો હતો. તેમાં સેવાવૃત્તિએ આસપાસમાં સુવાસ ફેલાવી. ઈ.સ.૧૯૨૧માં મ્યુનિસિપલ ચૂંટણીમાં વિજયી થઈ સેવા ક્ષેત્રે પ્રથમ પ્રવેશ કર્યો. ને પછી શહે૨વનના એક પછી એક દ્વાર ઊબડતાં ગયાં. કરાંચી જિલ્લા કોંગ્રેસ કમિટિના પ્રમુખ તરીકે વરણી થઈ. ઈ.સ. ૧૯૩૭માં સિંધ ધારાસભામાં ચૂંટાઇને ગયા. તેમણે પચાસ ઉપરાંત ખરડો રજૂ કરીને કાયદાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. સારાએ સિંધમાં તેમનું વિશ્વ વ્યક્તિત્વ વિસ્તર્યું હતું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy