SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પથપ્રદર્શક શ્રી નગીનદાસ ટી. માસ્તર બી.એ., એલએલ.બી. સોલિસિટર આ કિશોરને સિદ્ધિના શિખરે ચઢાવ્યા. ભાગીદાર સાથે દવાના ધંધાને વિકસાવવા ‘બી.એ.બ્રધર્સ'ના નામે ચાલતી દવાની દુકાને મુંબઈ અને કલકત્તામાં પ્રતિષ્ઠિત પેઢી તરીકે નામના મેળવી. રાષ્ટ્ર સેવાના વ્રતે તેમને મુંબઈની જનતામાં સેવક તરીકેનું આદરણીય સ્થાન અપાવ્યું. ઈ.સ. ૧૯૨૧થી રાષ્ટ્રીય રંગે રંગાયેલા આ યુવાને ભૂલેશ્વર જિલ્લા કોંગ્રેસના આગેવાન અને ઈ.સ.૧૯૪૦થી પ્રમુખપદે રહીને અંગ્રેજ શાસન સામે લડત લડતા રહેલા. ઈ.સ. ૧૯૩૦માં તેમણે કારાવાસ વેઠેલો. કાઠિયાવાડ પ્રજામંડળના ખજાનચી જૂનાગઢ પ્રજામંડળના મોવડી તરીકે સેવા આપેલી. ઊનામાં જ્ઞાતિ છાત્રાલય ઉપરાંત અન્ય રીતે તન, મન અને ધનથી સેવા આપનાર મુંબઈમાં મહેક ફેલાવનાર ગુજરાતના ગૌરવરૂપ હતા. માસ્તર બહિષ્કારસમિતિના પ્રમુખ તરીકે લાંબા સમયની લડત આપી રહ્યા હતા. તેઓ મુંબઈ સંગ્રામસમિતિના નવમા પ્રમુખ થયા હતા. સંગ્રામસમિતિને સરકારે ગેરકાનૂની ગણાવી તેમની ધરપકડ કરી હતી. છ મહિનાની કેદ કરવામાં આવી હતી. પાછળથી હાઇકોર્ટના રૂલિંગ અનુસાર એમને કરાયેલી સજા ગેરકાયદેસર ઠરતાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. બહિષ્કારસમિતિના પ્રમુખ. મુંબઈ પ્રાંતિકસમિતિના ઉપપ્રમુખ. ૧૯૪૧માં પણ તેમને કારાવાસ મળ્યો હતો. *ોની રાજરા રામજીભાઈ માણી કામce w શ્રી ભવાનીશંક્ર ઓઝા મુંબઈમાં જેમણે સ્વબળે જ્વલંત કારકિર્દી ઘડી રાષ્ટ્ર અને સમાજને સેવાની સુવાસથી સભર કર્યું તે શ્રી ભવાનીશંકરભાઈનો જન્મ ઊના પાસેના ગરાળ' નામે ગામડામાં ઈ.સ.૧૯૦૧ના વર્ષમાં થયો હતો. કલેજુ કંપાવી મૂકે એવો કષ્ટમય કપરો કાળ બાલ્યાવસ્થાથી જ બાઝી પડેલો. પાંચ વર્ષની વયે માતાએ વિદાય લીધી અને તે પછી તુરત પિતાનું છત્ર ગયું. એકલા અટુલા બાળક ભવાનીશંકરે સગાંસંબંધી અને મંદિરને આશરે સેવાચાકરી સ્વીકારી ભણતર તરફ ધ્યાન આપ્યું. કિશોર વયે ચાલીસ માણસની રસોઈ કરતાં કરતાં શિક્ષણ લેવા માંડ્યું. તેમાં ઇનામો મેળવવા માંડ્યાં. સંઘર્ષનો સામનો કરતાં કરતાં તેણે મુંબઈની વાટ પકડી. ‘લેડી નોર્થકોટ હિન્દુ ઓર્ફનેજ'માં પ્રવેશ મેળવી કેળવણીની કેડી કંડારતા રહ્યા. માત્ર દસ વર્ષની વયે દવા બજારમાં દવાની દુકાનમાં નોકરી લીધી. ત્રણ વર્ષના અનુભવને અંતે તેમણે નાનકડી દવાની દુકાન માંડી. આત્મબળ ઉત્સાહ અને સાહસે શેતલ સરિતાના સંગમ પર આવેલા ધારીમાં જન્મેલા આ ઉદ્યોગ અને દાનવીર રામજીભાઈની સમાજપરસ્તી પ્રસંશનીય છે. કલકત્તા પહોંચીને એમણે એલ્યુમિનિયમના વાસણોની ફેરી કરીને પોતાના વ્યવસાયની કેડી કંડારી. ત્યાં તેમણે ચોરવાડના વતની અને વાસણના વ્યવસાયમાં પડેલા શ્રી જીવણલાલ મોતીચંદની સાથે સહકાર સાધીને ભાગીદારીમાં વાસણની દુકાન કરી. ભાગ્યદેવીએ ભાલે તિલક કર્યું. ‘જીવનલાલ કંપની'ના નામે એલ્યુમિનિયમના વાસણ બનાવવાનું કારખાનું શરૂ કર્યું. અનેક આરોહ- અવરોહ વચ્ચે રામજીભાઈએ ખંત અને ઉત્સાહ દાખવી કારખાનામાં નિર્માણ થતાં વાસણોની ઊંચી ગુણવત્તા આપી. પરિણામે પેઢીને પ્રતિષ્ઠા મળી. એ પ્રતિષ્ઠાએ બ્રહ્મદેશ અને લંકા જેવા દરિયાપારના દેશોમાં વાસણોની નિકાસ અપાવી. કલદાર અને કીર્તિના કળશ ગંગારા દેવા માંડ્યા. આ દરમ્યાન દેશમાં સ્વદેશીનો મંત્ર ફૂંકાયો. ગ્રામોદ્ધાર અને જનસેવાની જ્યોત પૂ.ગાંધીજીએ પ્રકટાવી. શ્રી રામજીભાઈની ઉદારતાએ એ જનસેવાની જયોતનાં અજવાળાં ઝીલ્યાં. વતનમાં દુષ્કાળપીડિતોની વહારે ધાયા. ખાદી ઉત્પાદન પ્રવૃતિને વેગવંતી કરવા અમરેલીમાં આસન વાળ્યું. ભવ્ય ખાદી કેન્દ્ર ધમધમતું કર્યું. ધંધાના વિકાસનો પ્રત્યક્ષ અનુભવ લેવા ઈ.સ.૧૯૨૭ના વર્ષમાં વિલાયતના પ્રવાસે ગયા. પરિણામે જીવનલાલ લિમિટેડ (૧૯૨૯) કંપની અસ્તિત્વમાં આવી. આ કંપનીને અમેરિકાની એલ્યુમિનિયમ કંપનીએ સહયોગ આપ્યો. શ્રી રામજીભાઈનું ચિત્ત સૌરાષ્ટ્રમાં સેવા કરવામાં રત રહેવા લાગ્યું. કલકતા છોડીને અમરેલીમાં પુનઃ પ્રત્યક્ષ પ્રવૃતિમાં જોડાયા. જાહેર જીવનને જાગ્રત કર્યું. સાહિત્ય, કેળવણી, પુસ્તકાલય, મહિલા પ્રવૃતિઓ વેગવંતી બની. સૌરાષ્ટ્ર સેવા સંઘની સ્થાપના કરી. ખેતીના વિકાસમાં પણ તેમણે પોતાનું પ્રદાન કર્યું. “રામબાગ’ની રચના કરી. Dી - Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy