SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ. મહમદ મોજાંવાલા * | મુસલમાન વેપારી શ્રી મોજાંવાલા મુંબઈ સંગ્રામ સમિતિના અગિયારમાં પ્રમુખપદે પસંદ થયા. તેમને તા.૨૦૧૦-૧૯૩૦ના રોજ નવ મહિનાની સદ્ધ કેદની સજા ફરમાવવામાં આવી છે કરી હતી. શ્રી ભાનુભાઈ યાજ્ઞિક મ્યુનિસિપલ કોર્પોરેશન એન્થ્રોપોલોજિકલ સોસાયટી, સોનાપુર કમેટી, ગૌરક્ષક મંડળીની મેનેજિંગ કમિટી, ઓરિએન્ટલ પ્રોગ્રેસ યુનિયન અને સ્પેશિયલ જુરી વગેરે પ્રજા ઉપયોગી સભાઓમાં તેઓ મેમ્બર તેમજ જ્ઞાનપ્રસારક મંડળીના લાઇફમેમ્બર તથા મની લેંડિંગ અને લેંડ ઇન્વેસ્ટમેન્ટ કંપની લિમિટેડના ડાયરેક્ટર તેઓ જાહેર બાબતોમાં ઉમંગથી ભાગ લેતા. લોર્ડ રીપનને માન આપવા માટે ટાઉનહોલમાં જે દબદબાભરી સભા મળી હતી, તેમાં તેમણે ઉત્તમ ભાષણ આપ્યું હતુ અને તે ભાષણનાં જાહેરમાં સારાં વખાણ થયાં હતાં. રેટ પેયર્સ એસોશિએશનની સ્થાપના વખતે તેમને ભાષણ કરવાને ફરમાયશ થઈ હતી અને તેની મેનેજિંગ કમિટીના મેમ્બર નિમાયા હતા. સર મંગળદાસ કપોળ ન્યાતના શેઠ હોવાથી તેમની ગેરહાજરીમાં સભાનું પ્રમુખસ્થાન તેમને આપવામાં આવતું. શ્રી મહારાણીની જૂબિલી પ્રસંગે ઈશ્વર-સ્તુતિ કરવા માટે હિંદુઓના એક મુખ્ય આગેવાન તરીકે તેમણે ઝવેરબાગમાં સભા બોલાવી હતી અને મહારાણીશ્રીના જીવનચરિત્રની ચોપડી મફત વહેંચી હતી તથા તે પ્રસંગની યાદગીરીમાં એક ઘડિયાળ લોકોના ઉપયોગ સારુ ઝવેરબાગના દરવાજા ઉપર મુકાવ્યું હતું. એમનો સ્વભાવ મળતાવડો, માયાળુ, સરળ અને નિરાભિમાની હોવાને કારણે તેમના સંબંધમાં જે જે પુરુષો આવતા તેમની પ્રીતિ સંપાદન કરવાની તેમનામાં સ્વાભાવિક શક્તિ હતી. ટૂંકમાં લોકહિતાર્થનાં કાર્યોમાં તેઓ પોતાનું મન, ધન અને સ્વાત્માર્પણ કરવાને ઉત્સાહ ધરાવતા હતા. આમ સવાસો વર્ષ પૂર્વે ઇંગ્લેન્ડના રાજવી કુટુંબ સાથે અંગત સંબંધો કેળવનાર પ્રથમ ગુજરાતી અને છેલ્લા ગુજરાતી હતા. શ્રી સામળદાસ લક્ષ્મીદાસ ગાંધી. ૧ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભાવનગર જિલ્લાના સલડી ગામમાં જન્મેલા આ રાષ્ટ્રભક્ત સમાજસેવક તરીકે મુંબઈમાં મહત્ત્વનું અને માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ૧૭ વર્ષની વયે તેમણે કોંગ્રેસમાં જોડાઈને જાહેર જીવનની શરૂઆત કરી હતી, મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને તેઓએ આઝાદી આંદોલનના મુંબઈના અનેક કાર્યક્રમોમાં આગેવાની ભર્યો ભાગ લઈને સી વોર્ડનું નિરંતર નેતૃત્વ કર્યું હતું. દેશ આઝાદ થયો તે પૂર્વે તેમણે સાત વખત કપરો કારાવાસ વેઠ્યો હતો. - સૌમ્ય, સરળ, સદ્ભાવના તેમનામાં અતિ ઉત્તમ ગુણો હતા. તેઓએ સી વોર્ડ કોંગ્રેસ કમિટિના પ્રમુખપદને શોભાવ્યું હતું. તેઓની લોકચાહનાએ ઈ.સ.૧૯૪૫માં મુંબઈ મ્યુ. કોર્પોરેશનમાં ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૩૬થી '૪૬ સુધી તેઓએ મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય તરીકે અનન્ય સંગઠનની કામગીરી સંભાળી હતી. ભાવનગર પ્રજામંડળના ઉપપ્રમુખ તરીકે પણ સેવા કરી હતી. આઝાદી પછી તેઓ મુંબઈ ધારાસભામાં ચૂંટાયા હતા અને મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ચૂંટાઈ મહારાષ્ટ્રમાં પોતાની પ્રતિભા અને પ્રભાવ પાથર્યા હતાં. મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે તેમને માનભર્યું સ્થાન પ્રાપ્ત થયું હતું. સૌરાષ્ટ્રના સપૂતે દીર્ધકાળ સુધી મુંબઈની સેવા કરી હતી. જાહેરજીવન દરમ્યાન તેમને ત્યાં દેશનેતાઓના ખાસ ઉતારા રહેતા હતા. શ્રીમતી ઇંદિરા ગાંધી અને શ્રી જગજીવનરામ પણ તેમના નિવાસસ્થાને ઊતરતાં હતાં. તેમનાં ધર્મપત્ની શ્રીમતી પ્રમિલાબહેન યાજ્ઞિકે પણ જાહેરજીવનમાં સંપૂર્ણ સહયોગ કર્યો હતો. તેઓ પણ મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળમાં આદરભર્યું સ્થાન પામ્યા હતા. પાપ છે? મુંબઈમાંથી ‘વંદે માતરમ્' ગુજરાતી દૈનિક પ્રસિદ્ધ કરીને ગાંધીવાદના વિસ્તાર માટે અગનતણખા વેરતી કલમ ચલાવી જનશક્તિને ? ઝંઝેડી અને શાહી સત્તાને ચાબખા માર્યા. જૂનાગઢ, સૌરાષ્ટ્ર રાજયના મંત્રી - મંડળમાં સ્થાન પામ્યા હતા. આરઝી હકૂમતના સર સેનાપતિ બન્યા હતા. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy