SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ K ૯૮ પથપ્રદર્શક શેઠ ત્રિભોવનદાસ મંગળદાસ નાથુભાઈ જે.પી. કૃષ્ણકૃપાએ કિસ્મતે કાઠિયાવાડી જુવાનીને યારી આપી. ઠાકરશી શેઠ બનેલા ભાટિયા ગૃહસ્થનાં ગુણગાન ગવાવાં લાગ્યાં. શેઠ ઠાકરશીભાઈએ ઈ.સ.૧૮૫૩માં મેસર્સ પીટર કબાલી નામની અંગ્રેજ પેઢીનું દલાલીનું કામ મેળવ્યું. પુરુષાર્થ અને પ્રામાણિકતાના પગથિયે પગલાં ભરતાં ભરતાં પ્રગતિનો પંથ પકડી લીધો. એ પછી થોડા જ સમયમાં માણેકજી નસરવાનજી પીટીટ નામના પારસી ગૃહસ્થ સાથે નજીકના સંપર્કમાં આવ્યા. તેમની સાથે ભાગીદારીમાં જોડાયા. શ્રી નસરવાનજી પાછળથી દેશભરમાં નામાંકિત વ્યક્તિ તરીકે જાણીતા થયેલા બેરોનેટ સર દીનશા પીટીટના દાદા થતા હતા. ઈ.સ. ૧૮૭૧માં તેમણે ઠાકરશી મૂળજીની પેઢીની સ્થાપના કરી. વરવાળાના આ વહેવાર કુશળ ગુજરાતીએ મુંબઈને મહામૂલુ નજરાણું ભેટ ધર્યું. તેમની દીર્ધદષ્ટિનો આજે પણ આપણને ખ્યાલ આવે છે. તે નજરાણું છે મુંબઈની મૂળજી જેઠા મારકીટ, મૂળજી જેઠા કાપડ મારકીટ ઊભી કરવામાં શેઠ ઠાકરશીભાઈએ પોતાની શક્તિ અને સંપત્તિનો સહયોગ કર્યો. રૂપિયા આઠસોની નુકશાની ભોગવી મુંબઈમાં હામ હાર્યા વગર વેપાર ખેડી જાણનાર, મૂળજી જેઠા કાપડ મારકીટનું નિર્માણ કરનાર આ ગુજરાતી નામાંકિત નરને મુંબઈ કદી ભૂલી શકશે નહીં . શેઠ ઠાકરશીભાઈના ચારેય દીકરાઓ દામોદર, ગોવિંદજી, પ્રાગજી અને નારણદાસે નવા વેપાર-ઉદ્યોગને વિકસાવવામાં પોતાનું લક્ષ લગાડી દીધું હતું. શેઠ શ્રી વીરચંદ પાનાચંદ શાહ શ્રી શાહ મુંબઈ સંગ્રામ - સમિતિના આઠમા પ્રમુખ તરીકે પસંદગી પામ્યા હતા. મુંબઈની વેપારી આલમમાંથી જેલ જવાનું પહેલું માન તેમને મળ્યું હતું. તા. ૨-૧૦૩૦ના દિવસે પાંચ મહિનાનો કારાવાસ મળ્યો હતો. જન્મભૂમિ: મુંબઇ, જન્મદિવસ : સંવત ૧૯૧૨ના આશ્વિન વદિ ૩૦, જ્ઞાતિ : કપોળ વાણિયા. તેઓએ સેંટ ઝેવિયર્સ સ્કૂલ અને કોલેજમાં અંગ્રેજી ભાષાનો ઊંચા ધોરણ સુધી અભ્યાસ કર્યો, તેમજ વિદ્યાના શોખમાં જાહેરમાં ભાષણો આપી વિદ્યા ઉપરનો પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો. લગ્ન જેવો શુભ અને આનંદમય પ્રસંગ હિંદુ લોકોમાં બીજો કોઈ મનાતો નથી. સન ૧૮૭૫ સાલમાં એમનાં ઘણી ધામધૂમ સાથે લગ્ન થયાં હતાં. તે પ્રસંગે મહારાણીશ્રીના પાટવી કુંવર પ્રિન્સ ઓફ વેલ્સ અને સર બાર્ટલ ફિયર તેમજ તે વેળાના ગવર્નર તથા બીજા મોટા અમલદારો પધાર્યા હતા. સન ૧૮૮૦માં તેમને જસ્ટિસ ઓફ ધી પીસના ખિતાબનું માન મળ્યું હતું. તે જ વર્ષમાં, જો કે તે વખતે કોઈને પણ ૨૫ વર્ષની ઉંમર વગર કોર્પોરેશનના મેમ્બર કરવામાં આવતા નહોતા, તો પણ તેઓ જસ્ટિસ ઓફ ધી પીસ હોવાને લીધે નાની વયમાંજ મેમ્બર નિમાયા હતા. એ વોર્ડના બીજા સર્વે ઉમેદવારો કરતાં તેમને વધારે મત મળ્યા હતો. ત્યાર પછી દરેક વખતે વોર્ડ તરફથી તેમને પસંદ કરવામાં આવેલા. કોર્પોરેશન ઓનરરી સર્જન સંબંધીની ખટપટમાં એમણે સારો ભાગ લઈને આખરે એ રીતે દાખલ કરાવી હતી અને એવાં જ બીજાં કામોમાં તેઓ મનથી ભાગ લેતા હતા. દરેક કામમાં સ્વતંત્ર રીતે પોતાનો મત આપવાનું ચૂકતા ન હતા. તેમની પ્રામાણિક અને પ્રતિષ્ઠિત વર્તણૂકને મુંબઈની હાઇકોર્ટના એડવોકેટ જનરલે શેઠ કહાનદાસ નારાયણદાસ ધર્મખાતાના ફંડના ટ્રસ્ટી નીમ્યા. તથા સર મંગળદાસ નાથુભાઈ કપોળ નિરાશ્રિત ફંડ, ઠાકોરજીનું ફંડ, કવિ દલપતરામ ડાહ્યાભાઈનું મેમોરિઅલ ફંડ, મોતીચંદ અમીચંદનું ગુજરાત ચેરિટી ફંડ, દાક્તર અમીદાસ મનજીનું ટ્રસ્ટ ફંડ એ સર્વમાં તેઓ ટ્રસ્ટી તરીકે જુદા જુદા લોકો તરફથી નિમાયા. બોમ્બે પ્રેસિડેન્સી એસોશીએશનમાં તેઓ મૂળથી સભાસદ તેની કાઉન્સેલના મેમ્બર નિમાયા અને પહેલી કોંગ્રેસમાં તે સભા તરફથી બિરાજવાનું માન તેમને આપવામાં આવ્યું હતું. વળી શેઠ ગોકળશા તેજપાળ ધર્મખાતાની મેનેજિંગ કમિટિ તથા તેને લગતી એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ તથા બોર્ડિંગ સ્કૂલની સબ કમિટિ, સર ફીરોજશાહ મહેતા કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. મુંબઈ મ્યુ.ના પ્રમુખ, મહાસભા કોંગ્રેસના પ્રમુખ, મહાન દેશભક્ત. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy