SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પથપ્રદર્શક ચિમનલાલ હરિલાલ સેતલવાડ . છે #stress - કાકામાં liliki/ A 'WSMITA મુંબઈમાં રહીને મહાન દેશભક્ત ફીરોઝશાહ મહેતા સાથે પ્રજાજીવનનો પ્રાણ છેy ધબકાવનાર શ્રી સેતલવાડ (d મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચેન્સલર તરીકે નિમાયા હતા. ઈ.સ. ૧૮૯૨માં મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા હતા, તેમજ ૧૮૯૩માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા હતા. ઈ.સ. ૧૯૩૦-૩૧માં ગોળમેજી પરિષદમાં લંડન ગયા હતા. શેઠ દામોદરદાસ તાપીદાસ જે.પી. આવ્યા. ત્યાર પછી સ્વદેશમાં નવી શોધો અને નવા હુન્નરો દાખલ કરવાની જિજ્ઞાસાને અનુસરી તેમણે ‘અલાયન્સ સિલ્ક મેન્યુફેક્યરિંગ કંપની'ના નામનું રેશમનું કારખાનું ઉઘાડ્યું. રેશમના કારખાનામાં વિવિધ જાતના દેશી નમૂનાઓ બનાવવાની ઊલટમાં પાછા પડ્યા ન હતા. દેશોત્કર્ષના ઉત્સાહ સાથે જ તેઓ બહુ દયાળુ હોઈ ધર્મ-કૃત્યમાં પણ મોટો ભાગ લેતા. સુરતમાં ભયંકર રેલથી જે નુકશાન થયું હતું, તેમાં મદદ કરવામાં અગ્ર ભાગ લઈ, એ ફંડના જોઇન્ટ ઓનરરી સેક્રેટરી તેઓ ઠર્યા હતા. ભરાયેલા ફંડમાંથી ફાજલ રહેલાં નાણાંના તેઓ એક ટ્રસ્ટી હતા. તેઓને એક સ્પેશિયલ જુ૨૨ ઉપરાંત સને ૧૮૮૬માં મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેમ્બર નીમવામાં આવ્યા હતા અને ત્યાર પછી ૧૮૮૭માં તા. ૨૪મી માર્ચ અમલદાર સુલેહના (‘જસ્ટિસ ઓફ ધી પીસ') અમલદાર નીમવામાં આવ્યા હતા. ઈ.સ.૧૮૭૨ની સાલથી આલબર્ટ પ્રેસના ડિરેક્ટર નિમાયા. એ ઉપરાન્ત એમના બહોળા અનુભવથી મગામ મેન્યુફેક્યરિંગ કંપની, બોમ્બે મેકેનિંગ બિલ્ડિંગ કંપની, ભાવનગર મિલ વગેરેના લિધેડેટર તેઓ થયા હતા તેમજ બીજી કેટલીક મિલોના તા.લેડ કંપનીના ડિરેક્ટર પણ નિમાયા હતા. ઈ.સ. ૧૮૮૬માં મિલ ઓનર્સ એસોશિએશનના મેમ્બર થયા હતા તથા તે સિવાય ઇન્ડિયન ફાયર અને બોમ્બે ફાયર ઇસ્યુરન્સ કંપનીના તથા એલાયન્સ સિલ્ક મિલ કંપનીના ડિરેક્ટર તથા સુરતની ફૂલપાડાની ધર્મશાળા અને બાબુલનાથ તથા નારણબાવાની ધર્મની જગાના ટ્રસ્ટી નિમાયા. તેઓએ સિલ્ક મિલમાં જે ખંતથી મહેનત કરી તે વિશે ૧૮૭૫ના નવેમ્બરના ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં તેમના એ ઉત્તમ કાર્યની નોંધ લઈ સારું લખાણ થયેલું. તેઓએ પોતાના પિતાના નામથી રૂપિયા પ૮૬૭ની ૨કમ લેબોરેટરી સુરત હાઇસ્કૂલને લગતી બાંધવામાં તથા રૂપિયા છ હજારની રકમ મુંબઈની વિક્ટોરિયા જ્યુબિલી કિનિક્રમ ઇન્સ્ટિટ્યૂટમાં, બે પોતાના નામની પહેલા ધોરણમાં, બે પોતાના કાકા તુલસીદાસ વ્રજદાસના નામની બીજા ધોરણમાં અને બે ત્રીજા ધોરણમાં પોતાના પિતાશ્રી તાપીદાસ વ્રજદાસના નામની સ્કોલરશિપ આપવા તથા બાકી રહે તેમાંથી પોતાના દાદા વ્રજદાસ આત્મારામના નામનું દર વર્ષે એ સ્કૂલમાં પ્રાઇઝ આપવા આપેલ હતા. શેઠ દામોદરદાસ અસલની વેપારી લાઇનમાં પડવાથી વેપારી રિવાજમાં તથા કામકાજમાં ઘણો અનુભવ ધરાવી તેમાં સારી શક્તિ સંપાદન કરેલી. સુરત અને રૂના વેપારીઓ સાથે કામકાજ લેવાની તેમની ખૂબી વખાણને પાત્ર હતી. પોતાના પિતા શેઠ તાપીદાસના ઉત્તમ ગુણોનો લાભ મળ્યાથી તેનું આ પરિણામ અમલમાં આવેલું હતું. તેમણે ગુજરાતના ઘણા ભાગમાં પ્રવાસ કરેલો. તેઓ સ્વભાવે શાન્ત, ગુણી, વિદ્યાર્થીઓને અને નિરાશ્રિતને આશ્રય આપનારા તથા તેઓએ પોતાની જિંદગીમાં જેના સંબંધમાં આવ્યા તેના સંબંધે સ્તુતિપાત્ર પ્રશંસા મેળવી હતી. . જન્મભૂમિ સુરત, જન્મદિવસ - સંવત ૧૯૦૨ના ચૈત્ર વદ ૧૩, ગુરુવાર, તા. ૨૩મી એપ્રિલ, ઈ. સ. ૧૮૪૫. જ્ઞાતિ - અમદાવાદી દશા મોઢ ધાંગવા વણિક સુરતમાં જન્મ થયા પછી તેમના પિતા મુંબઈમાં રહેતા હોવાથી તેઓ મુંબઈ આવી વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. ગુજરાતી ભાષાનું સારું જ્ઞાન મેળવ્યા પછી શેઠ માણેકચંદ લખમીચંદને ત્યાં નામું શીખવા બેઠા હતા. તે પછી અંગ્રેજી કેળવણી તેઓએ સંપાદન કરવા માંડી અને ત્યારપછી પરીક્ષા આપી તેઓ એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલમાં દાખલ થયા, ત્યાં કેન્ડિડેટ વર્ગ સુધી અંગ્રેજી ભાષાનો અનુભવ મેળવીને પ્રાઈવેટ રીતે મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપવા ગયા, પણ નિષ્ફળ થવાથી મુન્સિફની પરીક્ષા માટે ખાનગી અભ્યાસ શરૂ કીધો. પરીક્ષા વખતે સર્વે બાબતમાં પાસ ઊતર્યા, છતાં સદર અદાલતના ચાલુ વહીવટના સવાલમાં નાપાસ થવાથી તેઓ પરીક્ષામાં નાપાસ થયા. તેઓ મિ.જે. પી. કારસોરથ કંપનીમાં શીખવા ગયા, ત્યાં અંગ્રેજી કાગળપત્ર લખતાં શીખ્યા પછી, એ તથા બીજી અંગ્રેજી ઓફિસની દલાલી કરવા લાગ્યા અને રૂ વેચવા, પરખાવવા વગેરેમાં પોતે ભાગ લેવા લાગ્યા, પછી તેઓને ‘બીરાર' પ્રેસ કંપનીના સેક્રેટરી નીમવામાં મિ. કા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy