SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પ્રતિભાઓ શેઠ દામોદર ઠાક્રશી મલજી જન્મભૂમિ : વરવાળા (જિ. જામનગર), જન્મદિવસ : સંવત ૧૯૦૭ના ચૈત્ર વદ ૧૪, જ્ઞાતિ : ભાટિયા તેઓએ પહેલાં ગુજરાતી કેળવણી લીધા પછી અંગ્રેજી ભાષાનું પણ સારું જ્ઞાન મેળવ્યું. તેઓ પહેલ-વહેલાં સંવત ૧૯૧૭માં એટલે ચૌદ વર્ષની કુમળી વયથી જ પોતાના વેપાર-મંડળમાં જોડાયા હતા. તેમની પેઢીએ સંવત ૧૯૩૦ની સાલમાં મેસર્સ ગાડમ કંપનીની દલાલી કરવા માંડી હતી, તે વેળાએ ગામઠી કાપડ, સૂતરનો રોજગાર મુંબઈમાં સારો ચાલતો હોવાથી, “ધી હિન્દુસ્તાન સ્પિનિંગ એન્ડ વિનિંગ મિલ'ને નામે રૂ વણવાનું કારખાનું શરૂ કર્યું હતું. ત્યારથી શેઠ દામોદર પ્રજાની જાણમાં દિવસેદિવસે વધારે આવતા ગયા અને મુંબઈની નામદાર સરકારે તેમને સને ૧૮૭૬માં ‘જસ્ટિસ ઓફ ધી પીસ' તરીકેનું માન આપેલું હતું. હિંદુસ્તાન મિલ પછી સંવત ૧૯૩૬માં ‘ધિ મેનચેસ્ટર એન્ડ બોમ્બ મિલ' માર્ગેજ રાખી હતી, તે વેચાતી લઈને તેને “ધી વેસ્ટર્ન ઇન્ડિયા સ્પિનિંગ એન્ડ મેન્યુફેક્યરિંગ મિલ'નું નામ આપ્યું. તે પછી સંવત ૧૯૩૮માં “ધી ઇન્ડિયન મેન્યુફેક્યરિંગ’ને નામે ત્રીજી . મિલ બાંધી. એ રીતે સઘળી મળી ત્રણ મિલો તેઓને હસ્તકે મુંબઈમાં ચાલે. એ ઉપરાંત શેઠ દામોદર બીજી ઘણી જાહેર કંપનીઓ અને કારખાનાંઓના પ્રમુખ, ડિરેકટર, મેમ્બર રહેલા. મુંબઈની કોર્પોરેશનના મેમ્બર પ્રજાના મોટા મતે તેઓ વારંવાર ચૂંટાયા હતા. તેઓ મિલઓનર્સ એસોશિએશનના મેમ્બર, પોતાની પેઢી હસ્તકની ત્રણે મિલોના ડિરેક્ટર અને ચેરમેન, મુંબઈના કાપડના દેશી વેપારીઓની મંડળીના ચેરમેન, નવી કાપડ બજાર, ઇન્ડિયન ફાયર ઇસ્યુરન્સ કંપનીના ડિરેક્ટર, ગૌરક્ષક મંડળીના ખજાનચી તથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, આર્યસુધર્મોદય સભા અને મૂલજી. જેરાજભાઈ લાઇબ્રેરીના લાઇફ-મેમ્બર, એશિયાટિક સોસાયટીની મુંબઈની શાખા, મુંબઈ પ્રેસિડેન્સિ એસોશિએશન તથા નેશનલ એસોશિએશન વગેરેના મેમ્બર હતા. એ રીતે શેઠ દામોદર જેમ જેમ પોતાના વેપાર વહીવટમાં વધતા ગયા તેમ તેમ મુંબઈની પ્રજા અને કાઠિયાવાડનાં દેશી રજવાડાંઓમાં ઘણા માનીતા અને જાણીતા થતા ગયા તથા પોતાના સદગુણને લીધે મોટું માન મેળવ્યું. તેઓએ જયારે સંવત ૧૯૪૩ની સાલમાં પોતાના વડા પુત્ર ભાઈ વિઠ્ઠલદાસનાં અત્રે સ્વર્ગવાસી ઓનરેબલ શેઠ મુરારજી ગોકલદાસને ત્યાં લગ્ન કર્યા, ત્યારે મોટી ધામધૂમથી તેમને ચોતરફથી માન મળ્યું હતુ અને વડોદરાના નામદાર ગાયકવાડ મહારાજ, જામનગરના જામસાહેબ, જૂનાગઢના નવાબસાહેબ, ભાવનગરના ઠાકોરસાહેબ અને કચ્છના રાવસાહેબ જેવા રાજવંશીઓ તરફથી શિરપાવ મોકલવામાં આવ્યા હતા. કેટલાંક રાજ્યના દિવાનો અને કેટલાકના મોટા કારભારીઓનાં ડેપ્યુટેશનો તેમને ત્યાં લગ્ન પ્રસંગે મુંબઈ આવ્યાં હતાં. તે વખતે પુષ્કળ ધામધૂમ, નાચરંગ તથા જયાફતો ચાલી રહી હતી. આટલાં ખાતાંઓના વહીવટમાં પડવાથી એવાં કામોમાં કાંઈને કાંઈ વધારો કે સુધારો કરીને ફાયદો થાય, એવી ઇચ્છાથી શેઠ દામોદરે એક બે એવાં કામોની કોશિશ કરી હતી, કે તેથી તેમની એક મોટા અનુભવી વેપારી તરીકેની અચ્છી ઓળખ થઈ હતી. તેમાં એક એ કે અટોના મિલઓનર્સ એસોશિએશનમાં સને ૧૮૮૩ની સાલમાં એવી દરખાસ્ત મળી હતી કે, મુંબઈની મિલોના કાપડ સૂતરના ખપને માટે હાલનાં જે બજારો ચાલુ છે, તે ઉપર જ માત્ર આધાર રાખી અત્રેની મિલવાળા બેઠા છે, તેને બદલે જો બીજા મુલકોનાં બજારો શોધી કાઢી, ત્યાં આપણી મિલોના માલનો ઉઠાવ થાય, એવી કોશિશ કરવી જોઈએ. આ દરખાસ્ત ઘણી ફાયદાકારક હતી. એ પછી શેઠ દામોદર બીજી એક દરખાસ્ત એવી લાવ્યા હતા, કે અત્રેની મિલોમાં કાપડના તાકાઓ ઉપર લંબાઈ, પહોળાઈ તથા તોલના વજનના માર્ક તદન બરાબર અને પૂરેપૂરા મારવામાં આવે એવો બંદોબસ્ત કરવો જોઈએ. શેઠ દામોદર ઠાકરશી મૂલજીની પેઢી જેમ વેપારવણજમાં અને માનમોભામાં વધી ગઈ તેમ તેમનામાં ધર્મિષ્ઠપણાનો અને પરમાર્થીપણાનો ગુણ પણ ઘણો મોટો ફેલાઈ ગયો. સ્વર્ગવાસી શેઠ ઠાકરશીના પોતાના વખતથી જ આ પેઢીએ જેમ મુંબઈ તેમજ પોતાના વતન વરવાળા, દ્વારકા વગેરે મથકોમાં ઘણાંક, ધાર્મિક મકાનો અને સખાવતનાં કામો કરેલાં, જે નીચે મુજબ છે. કવરવાળા ખાતે સદાવ્રત ચલાવવાનો ખર્ચ પૂરો પાડવા માટે કાઢેલું ફંડ, વરવાળા ખાતે ‘ઠાકરશી મૂલજી ધર્મશાળા’ અને ‘દેવીદાસ પુસ્તકશાળા'નાં મકાન બંધાવ્યાં તે ઉપર થયેલો ખર્ચ, * બેટ શંખોદ્વારમાં ‘ઘેલાભાઈ પુસ્તકશાળા’ સ્થાપી તે ઉપર થયેલો ખર્ચ, * વરવાળા ખાતે ગાય તથા બીજાં મૂંગા પ્રાણીઓને ઘાસચારો પૂરો પાડવાનો તથા પાણી પાવાનો હવાડો ભરવાનો ખર્ચ પૂરો પાડવા માટે કાઢેલું ફંડ, * કૂવા તથા વાવો બાંધવા માટે અનામત કાઢેલી રકમ, * જરૂરની જગાએ દવાખાનું કાઢી તેનો ખર્ચ પૂરો પાડવા સારુ કાઢેલું કડ, * શેઠ દામોદરનાં સ્વર્ગવાસી માતુશ્રી સાકરબાઈની યાદગીરી કાયમ રાખવા સારુ કાઠિયાવાડમાં કોઈ લાયક સ્થળે ધર્મશાળા બાંધવા સારુ અનામત મૂકેલ, ખંભાલિયા, દ્વારકા, બેટ અને મુંબઈની એક કન્યાશાળામાં પહેલા નંબરની છોડીને સ્કોલરશિપ આપવા સારુ કેળવણી ખાતાને સોંપેલું કુલ ફંડ, * સ્વર્ગવાસી શેઠ ઠાકરશીના સ્વર્ગવાસી વિદ્વાન પુત્ર પ્રાગજીએ બનાવેલ ‘પ્રમાણસહસ્ત્રી’ નામે પુસ્તક દર ચોથે વર્ષે છપાવી બક્ષિસ તરીકે વિદ્વાન અને વિદ્યાર્થી વર્ગને આપી દેવા સારુ કાઢેલું ફંડ રૂા. ૧૦,૦૦૦/-. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy