SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા વર્મા કચ્છની કીર્તિવન ધરતી પરનું માંડવી નામે નગર. એ સમયમાં માંડવી બંદર તરીકેની ખ્યાતિ જગતભરમાં જાણીતી, માંડવી બંદરેથી દરિયાઈ સફરે ઊપડતાં વહાણો જાવા, સુમાત્રા અને આફ્રિકા ખંડના જંગબાર -ઝાંઝીબારનાં બારાં સુધી પહોંચતાં ને પાછાં વળતાં. આવા માંડવી નગરમાં વસતા કૃષ્ણવર્મા ભણસાળીને ત્યાં એક નવજાત શિશુએ પ્રથમ આંખ ઉઘાડી ત્યારે ઈ.સ.ના ૧૯૫૭ના વર્ષના ઓક્ટોબરની તારીખ હતી. ૫ના વર્ષમાં અંગ્રેજોનો કો કોરી કાંતિકારીનો - બળવાખોરો ઉપર વીંઝાતો હતો. મોતનો પૈગામ લઈને સોલ્જરોની સંગીનો તકાતી હતી. બંદૂકોની બઘડાટીઓમાંથી ગોળીઓની રમઝટ બોલતી હતી. ષ્ણવર્માનું કુટુંબ સામાન્ય, પણ શ્યામનો રંગ પારણામાંથી કુળદીપક તરીકે પરખાયા. કિશોર વયમાં માતાની મમતા ગુમાવનાર શ્યામજીને નાની (માતાની માતા)એ અનરાધાર વાત્સલ્ય વરસાવીને માતાની મમતાને ભુલાવી દીધી. શ્યામજીને ભણાવવામાં પણ નાનીએ કોઠાસૂઝ વાપરી નદી. મૂળાક્ષરથી માંડીને ત્રણ અંગ્રેજી સુધીનું શિક્ષણ વતન માંડવી અને ભૂજમાં અપાવ્યું. શ્યામજીએ સંસ્કૃતમાં ઊંડી દિલચસ્પી દેખાડી, તે જ્ઞાન પણ જાતે જ પ્રાપ્ત કર્યું. ઈ.સ. ૧૮૭૩માં શ્યામજી વર્મા વિદ્યાર્થીરૂપે મુંબઈ ગયા. તેમને મુંબઈ લઈ જવાનો થશે મુંબઈમાં પરમાર્થી શેઠ તરીકે પંકાયેલા શેઠ મથુરદાસ લવજીને હિસ્સે નોંધાયેલો છે. શ્યામજી વર્મા મુંબઈની વિલ્સન માધ્યમિક શાળામાં દાખલ થયા. સાથે સંસ્કૃત પાઠશાળાને પણ સેવી. શાળામાં એમનો નંબર પ્રથમ રહેતો. સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતમાં ધર્મ પર બોલીને પંડિતોને પણ મુગ્ધ કરતા, ૧૭વર્ષની વર્ષ સંસ્કૃત ભાષામાં લખાયેલાં પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરી પંડિત તરીકેનું પોતાનું સ્થાન નિર્ધારિત કરી લીધું. શ્યામજીને સંસ્કૃતના બીજા એક પંડિત, અંગ્રેજ પ્રાધ્યાપક શ્રી મેં મીએ વિલિયમ્સ સાથે પરિચય થયો. તે શ્યામથી નવા નાઈ ગથા કે એમણે એને પોતાના સહાયકરૂપે ઓક્સફર્ડ લઈ જવા ધાર્યું, ૧૮૭૫ પછી શ્યામજીએ ભારતયાત્રા કરવા માંડી. અંગ્રેજ પ્રાધ્યાપકના સત્સંગથી એના હૃદયમાં મહત્ત્વાકાંક્ષાનાં પૂર ઊભરાયાં. એનું હ્રદય Jain Education International પથપ્રદર્શક નાચી ઊઠયું. શ્યામજીએ નાસિક, વડોદરા, સુરત, ભરૂચ, અમદાવાદ, લાહોર, ઇત્યાદિ સ્થળોએ સંસ્કૃતમાં વિદ્વતાભર્યાં વ્યાખ્યાનો કર્યાં. કાશી પછી સંસ્કૃતમાં શ્રેષ્ઠ એવા મહારાષ્ટ્ર શ્યામજીને બરોબર જાણી *યો. શ્યામનાં મેઘવતાં પ્રવચનો મહારાષ્ટ્રને પણ મોહ પમાડી ગયાં. કિની ફોહનો ડંકો વાગતાં તે કાળના અગ્રણીઓ ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે, બ્રશાસ્ત્રી વિપળુકર, ગોપાળ દેશમુખ, હરિશ્ચન્દ્ર ચિંતામણિ, પ્રો.કાથવટેનાં એને પ્રમાણપત્ર મળ્યાં. ઈ.સ. ૧૮૭૩એપ્રિલમાં તેમણે નાસિકના નાગરિકો સમક્ષ ધાર્મિક અને સાંસારિક સુધારા પર સંસ્કૃતમાં પ્રવચનો આપી સૌને અચંબામાં નાખી દીધાં. પામ વર્માની વિદ્વતાની કદરરૂપે તે વખતના નાસિકના જોઇન્ટ સેશન જ રાવબહાદુર ગોપાળરાવ દેશમુખે અને અન્ય નાસિકનિવાસીઓએ તેમને ‘માનપાત્ર’ આપ્યું. તેજ વર્ષમાં તેમણે સુરત, ભરૂચ, ભૂજ, અમદાવાદ, પૂના, અલીબાગ, કાશી, લાહોર અને અમૃતસરમાં સંસ્કૃતમાં પ્રવચનોની પરંપરા સર્જી સૌને આશ્ચર્યચકિત કરી દીધાં, સૌના મનના અધિકારી થઈ માનપાત્ર પામતા ગયા. નવેમ્બર ૧૮૮૪માં તેઓ બેરિસ્ટરની પરીક્ષામાં પસાર થયા હતા અને ૧૮૮૫ના પ્રારંભમાં જે સ્ટીમરમાં લોર્ડ રૅન્ડોલ્ડ ચર્ચિલ હતો તે સ્ટીમરમાં પોતાની પત્ની સહ તેઓ સ્વદેશ પાછા ફર્યા હતા. તેઓને આવ્યા પછી રતલામના દિવાનની પદવી મળી હતી, જે માટે દેશી તેમજ અંગ્રેજી વર્તમાનપત્રોને એકસરખી પ્રસંશા કરી હતી. વળી ભૂજ તથા માંડવીનાં રહેવાસીઓ તરફથી તેમને માનપત્રો આપવામાં આવ્યાં હતાં, જેમાં એક લાયક નરની સાયક સ્તુતિ કરવામાં આવી છે. તેઓનાં પત્ની પણ ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ભાષાનું સારું જ્ઞાન ધરાવતાં. લોર્ડ ડૉન પોતાનાં પત્ની લેડી ડર્ફિન સાથે સને ૧૮૮૫માં મધ્ય હિન્દુસ્તાનને પ્રવાસે નીકળ્યા હતા. તે વખતે જ્યારે દૌર મધ્યે હોડી દિને નામદાર હોલ્ડરના મહારાણીની મુલાકાત લીધી. તે પ્રસંગે હોલ્ડરનાં મહારાણીને અંગ્રેજીમાંથી હિન્દી ભાષામાં સમજાવવા માટે પંડિત શ્યામજીનાં પત્નીને બોલાવવામાં આવ્યાં હતાં. દેશીઓમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની એમ.એ.ની પ્રથમ ડિગ્રી પંડિત શ્યામજી સિવાય કોઈ પણ દેશીએ મેળવી નહોતી. તેઓએ યુરોપ મધ્ય ફ્રાન્સ, જર્મન, બેલ્જિયમ, ઇટાલી અને ઓસ્ટ્રિયા વગેરે જાણીતા દેશોની મુસાફરી કરેલી હતી. દિવાન તરીકે માસિક રૂા.હજાર તો કેવળ પુરસ્કારરૂપે જ મળ્યા ૧૮૮૮માં તબિયત બગડતાં એમણે રાજીનામું આપ્યું. કારની મુત પૂરી થતાં પહેલાં છૂટા થયા છતાં, એમની દક્ષતા ને વિદ્વતાથી પ્રેરાઈને રાજાએ એમને રૂા.૩૨ હજાર બક્ષિસ આપ્યા ! એ પછી તેઓ અજમેરમાં વકીલાત કરવા માંડ્યા. એમણે ખૂબ કમાણી કરી ને તે કમાણી કર્મર પાસેનાં રૂનાં નોમાં રોકી સાર આવક ઊભી કરી. આમ એમણે જિંદગીભર નોકરીની ફિકરમાંથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy