SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૯૩ મુક્તિ મેળવી. ઈ.સ. ૧૮૯૨માં તેઓ ઉદેપુરના દિવાન નિમાયા. ૧૮૯૫માં તેઓ જૂનાગઢના દીવાન થયા. એ નિયુકિતમાં સાક્ષરશ્રી મનસુખરામ ત્રિપાઠીની સિફારસનો હિસ્સો મોટો હતો. પણ આવી હરિયાળી જીવન-કારકિર્દીમાં જૂનાગઢની રાજખટપટે કાંટા વેર્યા. ત્યાં લાંચરુશ્વત અને ચશ્મપોશીનો પાર નહોતો અને બધું નિર્મૂળ કરવા જતાં એમને ઇતરાજી વહોરવી પડી. પરિણામે એમની વિરુધ્ધ કાવતરાં રચાયાં. એ પ્રકરણ બહુ લાંબું અને અધમ છે. પરિણામે ઈ.સ. ૧૮૯૬માં એમને ‘બરતરફ' થવું પડ્યું. ફરી ઉદેપુર ગયા. ત્યાંયે આ વિષચક્ર પાછળ પડ્યું. શ્યામજીએ એ સામે સફળ લડત આપી. એમણે જૂનાગઢ રાજ્ય સામે એવાં દેઢ ને સખત પગલાં ભર્યા, કે પરિણામે, જેને એમણે જ જૂનાગઢમાં નોકરી અપાવી હતી તે એમના જૂના અંગ્રેજ મિત્ર અને પાછળથી એમની પોતાની વિરુદ્ધ કાવતરાં કરનાર મિત્રદ્રોહી મેકોનોકીને જૂનાગઢ છોડી બ્રિટિશ નોકરીનો આશરો લેવો પડ્યો. પણ હવે દેશી રાજયોની ખટપટો અને કાવતરાંઓથી એમનું દિલ ખાટું થઈ ગયું. પોતાની રચનાત્મક બુદ્ધિ-શક્તિ અને સેવામાં એ હર પળે અંતરાયરૂપ લાગ્યાં. બાર વર્ષના આ વિષમય અનુભવોએ એમને, પુનઃ ઇંગ્લેન્ડ જઈ ત્યાં સ્થિર થવા પ્રેર્યા અને ઈ.સ. ૧૮૯૭માં પત્ની ભાનુમતી સાથે એમણે ભારતનો કિનારો છોડ્યો. પણ માત્ર એ જ કારણ નહોતું. કદાચ પ્રધાન કારણ એ હતું કે દયાનંદ સરસ્વતીને ચરણે બેસી વૈદિક ધર્મનું તેજ અને રાષ્ટ્રવાદનો જે નવો પયગામ એ મેળવી શક્યા હતા તેને પાંગરવાની તક નહોતી મળતી. હવે લોકમાન્ય ટિળક ભારતીય રાજમંચ પર પધાર્યા હતા. ટિળક મહારાજની વિદ્વતા, ઇતિહાસ-જ્ઞાન અને રાજકીય દૃષ્ટિથી શ્યામજી એમના પ્રતિ આકર્ષાયા. તેમાં વળી જૂનાગઢની ખટપટ અંગે એમને પોતે ‘હાઇટ હોલ' સીમલા, રાજકોટ અને મુંબઈમાં જે કડવા ઘુંટડા ગળવા પડ્યા હતા, તેને લઈને અંગ્રેજ પ્રત્યે અને એમની ન્યાયનિષ્ઠા પ્રત્યે એમને નફરત થાય એ ય સ્વાભાવિક હતું. આમ નિરાશા, નિત્સાહના પરોક્ષ પરિણામે એમને રાષ્ટ્રવાદ આચરણ - પણ થયો અને એમણે ઇગ્લાંડ જઈ ભારતીય સ્વાતંત્ર્યની લડત ચલાવવાનો નિર્ધાર કર્યો. શ્યામજીએ હવે ઇંગ્લાંડમાં પગ સ્થિર કર્યો. એ ગાળો બંગભંગ અને સ્વદેશી આંદોલનોનો હતો. ઈ.સ. ૧૯૦પના જાન્યુઆરીમાં એમણે ‘ઇન્ડિયન સોયોલોજિસ્ટ' નામનું અંગ્રેજી સામયિક કાઢવું એ વેળા એમની ઉંમર પાકટ, ઉડતાલીસ વર્ષની હતી. એમણે એને ‘સ્વતંત્રતા અને રાજકીય, સામાજિક તથા ધાર્મિક સુધારણાના મુખપત્ર’ રૂપે ઓળખાવ્યું. પત્રની નીતિ સ્પષ્ટ કરતાં એમણે લખ્યું : • બ્રિટન અને હિન્દના રાજકીય સંબંધોથી હિંદમાંના હિંદીઓ બ્રિટિશ અમલ પરત્વે કેવી લાગણી ધરાવે છે એની જાણ પ્રિટનને કર વા નિષ્ઠાવંત હિંદી દુભાષિયાની બ્રિટનમાં ખાસ જરૂર છે, હિંદ માટે સિફારસ કરવાની અમારી ફરજ છે અને એ અમારું ગૌરવ પણ છે." એમના પત્રને હિંદ અને ઇંગ્લાંડમાં સારો આવકાર મળ્યો. એની કિંમત પણ સસ્તી માત્ર એક પેન્સ રાખવામાં આવી. શ્યામજીએ એ પત્રમાં બ્રિટિશ રાજ્યસત્તા પર આકરા પ્રહારો કર્યા અને સાથે સાથે બ્રિટિશ લખાણોનો જ આધાર લઈ, બ્રિટિશ દમન અને જુલમ પુરવાર કર્યો, પણ શ્યામજીનું ઐતિહાસિક કાર્ય તો બીજું હતું. એમણે લંડનમાં વસતા ભારતીયજનોનું ઉદ્દામવાદી સંગઠન સાધ્યું. તે કાળે લંડનમાં - વિલાયતમાં ‘આયર્લેન્ડ માટે હોમરૂલ' સૂત્ર ગાજતું હતું. એને અનુસરીને શ્યામજીએ ‘હિન્દ માટે હોમરૂલ' સૂત્ર ચાલુ કર્યું અને ૧૯૦૫ની ૧૭મી ફેબ્રુઆરીએ ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ સ્થાપી, ખુદ ઇંગ્લાંડમાં જ તેનો ઝંડો ફરકતો કર્યો. કદાચ એટલું જ સંભવત: એમનું વધારે મહત્ત્વનું કાર્ય તે ૧૯૦૫ના જુલાઈની પહેલી તારીખે ‘ઇન્ડિયા હાઉસ'ની સ્થાપનાનું . ઈ.સ. ૧૯૦૨માં શ્યામજીના માનીતા લેખક હર્બર્ટ સ્પેન્સરનો સ્વર્ગવાસ થતાં, એમણે તેમને નામે, તેમના પ્રત્યેના પ્રેમાદરના પ્રતીક રૂપે, ‘સ્પેન્સર વ્યાખ્યાનમાળા શરૂ કરી. આ ઉપરાંત એમણે ‘હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિઅલ ફેલોશિપ’ પણ ચાલુ કરી. બબ્બે હજાર રૂપિયાની આવી પાંચ શિષ્યવૃત્તિઓ દ્વારા અનેક હિંદી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા. એ શિષ્યવૃત્તિની શરત કે ‘કોઈ પણ હિન્દી વિદ્યાર્થી હિંદમાં પાછો ફરીને બ્રિટિશ સત્તા હેઠળ કોઈ પણ જાતની નોકરી, દરજજો કે સેવા સ્વીકારી નહીં શકે''). હિંદી વિદ્યાર્થીઓને બ્રિટિશ પકડથી અસ્પૃશ્ય રાખતી હતી અને એ એમની દેશભક્તિને દીર્ઘદૃષ્ટિની પ્રતીતિ કરાવતી હતી. આ શિષ્યવૃત્તિઓ આપવાનું ઈ.સ.૧૯૦૯ સુધી ચાલુ રહ્યું હતું. | ‘ઇન્ડિયા હાઉસ' સ્થપાતાં, હિંદી વિદ્યાર્થીઓને રહેવાની , ખાવાપીવાની, આનંદપ્રમોદની, તેમની પાછળ બિછાવાતી જાસૂસી જાળમાંથી રાહતની તેમજ ઇતર સગવડો મળી. શરૂઆતમાં પચીસેક વિદ્યાર્થીઓ હતા, પણ એ સંખ્યાનું મહત્ત્વ નથી; મહત્ત્વ તો એ છે કે બધા હિંદી વિદ્યાર્થીઓને વિચાર - વિનિમય અને મસલતોનું એક સ્વતંત્ર કેન્દ્ર મળ્યું. એ ‘ઇન્ડિયા હાઉસ' ધીરે ધીરે રાષ્ટ્રવાદની પ્રવૃત્તિઓનું મંદિર બની ગયું. ત્યાં સભા-સંમેલનો, ભાષણો, પુસ્તકાલય, વાચનાલય, પત્ર-પ્રકાશન ઇત્યાદિનું કાર્ય વેગવંતુ અને સુદઢ થયું. ૧૯૦૫થી ૧૯૦૭ સુધી આ ધમધોકાર પ્રવૃત્તિ ચાલી. એમના મુખપત્રે પણ એમાં અણમોલ ફાળો આપ્યો. એ પત્ર એટલું જાણ્યું ને અંગ્રેજો માટે એવું અસહ્ય થઈ પડ્યું કે શ્યામજી પાછળ બ્રિટિશ જાસૂસી શ્રાનો ભમવા લાગ્યાં, હવે ત્રણ જ ઉપાય હતો. કાં તો બ્રિટિશની નિદ્ય શરણાગતિ, કાં તો કેદખાનું કે કાં તો નાસી છૂટવું. આ ત્રણ પિકી નાસી છુટવાનો વિકલ્પ એમણે સ્વીકાર્યો. શરણાગતિ તો એમને સ્વમાનભંગ કરનારી જ લાગે. કેદખાનાની કહેવાતી વીરતાભરી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy