SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ગુજરાત બહાર ગુજરાતનું ગૌરવ દોલત ભટ્ટ - દોરી લોટો લઈને મરુભૂમિ મારવાડમાંથી નીકળેલા મારવાડી ગૃહસ્થોએ જેમ પોતાનો પ્રતાપ પાથર્યો એમ પહેર્યે લૂગડે નીકળેલા ગુજરાતીઓએ ગુજરાત બહાર તેમજ સાત સમંદર પાર પોતાની પ્રતિભા પ્રસ્થાપિત કરી ગરવી ગુજરાતનું ઉજજવળ પ્રકરણ ઉમેર્યું છે. આ લેખમાળામાં વિરલ વિભૂતિઓ અને વિરલ વ્યક્તિઓનો સમાવેશ છે, જેઓ વાણિજ્ય - ઉદ્યોગ, સમાજસેવા, દેશભક્તિના ઇતિહાસમાં પોતાની કર્તવ્યનિષ્ઠા દ્વારા સ્થાન અને માન પામ્યાં છે તો રંગભૂમિ - સિનેસૃષ્ટિમાં કલાકારોએ કીર્તિવંત નામના મેળવી છે એવા નજીકના ભૂતકાળના મહાનુભાવોનો શક્ય તેટલો સમાવેશ કરીને સાહિત્યમાં સ્મરણીય સ્થાન આપવાનો લેખકનો આ પ્રયાસ છે. ધન્યવાદ ! આ લેખમાળા રજૂ કરનાર શ્રી દોલત ભટ્ટે નવલકથા, લોકકથા, ઇતિહાસકથા, બાલકથા તેમજ લોકસાહિત્ય દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. બાલસાહિત્યનાં ચાર પુસ્તકો સાહિત્ય અકાદમીના ઇનામને પાત્ર ઠર્યાં છે. નવલકથા ‘મનનો માણીગર’ને રૂપેરી દેહ મળ્યો છે. શ્રેષ્ઠ સંવાદલેખનનો રાજ્ય સરકારનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અન્ય નવલકથાઓનાં પણ રંગીન ગુજરાતી ચિત્રો ઊતર્યાં છે. આકાશવાણીરાજકોટ - અમદાવાદ પરથી અવારનવાર વાર્તાલાપ, નાટક, વાર્તા અને રૂપક રજૂ થતાં રહ્યાં છે. તેમનાં ગેય ગીતો પણ આકાશવાણી પરથી રજૂ થતાં રહ્યાં છે. તેમની નવલકથા અને બાલસાહિત્યનાં પુસ્તકો હિન્દીમાં અનુવાદ થઈ પ્રસિદ્ધ થયાં છે. છેલ્લાં સાડત્રીસ વર્ષથી ગુજરાતી દૈનિક ‘સંદેશ’ અને પછી ‘ગુજરાત સમાચાર'ના કટાર-લેખક તરીકે અવિરત કાર્ય કરતા રહ્યા છે. ૯૧ Jain Education International જાહેરજીવનમાં પડેલા આ સર્જકને ૧૯૬૦ના વર્ષમાં જગદ્ગુરુ પૂ. શંકરાચાર્ય મહારાજશ્રીએ ‘જનસેવાભૂષણ’ની પદવીથી વિભૂષિત કર્યા છે. ૧૧૦ પુસ્તકોના સર્જક શ્રી દોલત ભટ્ટે ભારત ઉપરાંત ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો છે. સૌરાષ્ટ્ર - ગુજરાતનાં સુપ્રસિધ્ધ દૈનિકોના પત્રકાર તરીકે પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે અને કરે છે. ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ, જામનગર જિલ્લા શિક્ષણ સમિતિનાસભ્ય, જામનગર જિલ્લા પંચાયત ઉ. સમિતિના ચેરમેન, લોકસાહિત્ય સમિતિના સભ્ય, સાંસ્કૃતિક બોર્ડના સભ્ય, સાહિત્ય અકાદમીના સભ્ય તેમજ રેલવે કિમિટના મેમ્બર તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. આ લેખમાળામાં રેખાંકનો શ્રી સવજીભાઈ છાયા, દ્વારકાએ તૈયાર કર્યાં છે. For Private & Personal Use Only સંપાદક www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy