SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ સવજીભાઈની સળવળાટ લાગે છે. એટલે તો, તેઓ સૂર્યનાં ચિત્રો પણ દોર્યા જ કરે છે ! કલમનો સૂર્ય માત્ર પ્રતીક ન રહેતાં, જુદી-જુદી પાત્રસૃષ્ટિ રચનો સૂર્ય ! જગખ્યાત કાર્ટૂનિસ્ટ લક્ષ્મણની સીરીઝ ‘યુ સેઇડ ઇટ’ના પાત્ર ‘કૉમન મેન’ની જેમ સવજીભાઈની સીરીઝનું 'સૂર્ય' એ ખાસ પાત્ર બની ગયું છે. અહીં આપેલા કેટલાંક રેખાંકનોમાં એમનો કસબ માણીએ. પ્રથમ રેખાંકન સ્વયં સવજીભાઈનું; અર્જુનની જેમ, એક આંખથી લક્ષ્યવેધ કરતા હોય એમ, ત્રાટક નજરે એમના વિષયને પારખતા દેખાય છે. લક્ષ્યને સિદ્ધ કરવાની એમની આ નેમ, એમના એક એક રેખાચિત્રોમાં દેખાય છે જ ! ॥ ઇસુની અને સંતની નેહભરી આંખોનાં અમી ચિત્રને પવિત્ર બનાવે છે. ૦ મેળાના મનખની ઉત્સુક નજર સાથીની શોધ કરતી કે નેહભરી નજર પ્રિયપાત્રનો ઈનેજાર કરતી દેખાય છે ! ૦ ભરતકામ કરતી સ્ત્રીઓનાં ચિત્રો તો, સ્વયં ભરતકામના નમૂના જેવાં નકશીદાર બન્યાં છે ! આવું બારીક કામ કરતી વેળા નવી સવજીભાઈ થાકતા કે નથી એમની કલમ કંટાળતી ! ૦ એમના વતન દ્વારકાનાં વિવિધ દ્રશ્યો, પુણ્યનગરીનું પાવન દર્શન કરાવે છે. આ ચિત્રમાળાનું એક અનોખું દસ્તાવેજી મૂલ્ય છે. છે. ચિત્રકળામાં ‘સરરિયાલિઝમ' શૈલી એ એમનું આગવું પ્રદાન છે, દિવસભરના બનાવો, મનનાં અધૂરાં અરમાનો જેમ રાત્રે સ્વપ્ન બની ઉભરાતા હોય છે, તેમ આ શૈલીમાં તેમણે ફૅન્ટસીમાં આકારોથી સ્વપ્નીલ ચિત્રમાળા ખડી કરી છે. સવજીભાઈએ જળરંગી ચિત્રકામ પણ, એવી જ કમનીયતાથી કર્યું છે. જળરંગી ચિત્રોમાં, પ્રકૃતિની રંગભરી લીલાઓ જોતાં આંખો ઠરે એવું વાતાવરણ ચિત્ર-ફલક પર ઉતાર્યું છે ! ઈશ્વરને હૃદયમાં રાખી જે ચિત્ર બનાવ્યું હોય એ જ શ્રેષ્ઠ ચિત્ર' આ માન્યતાને વળગી રહીને સવજીભાઈનું ચિત્રકામ, અજબગુજબનાં કમનીય વળાંકોને રસ્તે આગળ વધી Jain Education International રહ્યું છે. એમનાં ચિત્રો દેશ તથા વિદેશમાં ખૂબ પંકાયાં છે. 'કુમાર', ‘શબ્દસૃષ્ટિ’, ‘નવનીત સમર્પણ’, ‘પરબ’ વગેરે પ્રકાશનોમાં તેમનાં ચિત્રો છપાય છે. તો, વિદેશમાં ઈંગ્લેંડ, અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, જર્મની, સ્વીટ્ઝરલેંડ, જાપાન વગેરે દેશોમાં એમનાં ચિત્રો સંગ્રાહાયાં છે. દ્વારકાની માહિતી ખાતાની કચેરીમાં સતત યોજાતા એમના ૫. દ શ ન વિદેશીઓનુ આકર્ષણ કેન્દ્ર બન્યું છે. રખા કનો અને ચિત્રોથી તૃપ્તિ પામીએ તો, પરિચય અધૂરો જ રહે એવું પ્રેમાળ અને હોંશીલા પથપ્રદર્શક સ્વભાવવાળું સવજીભાઈનું વ્યક્તિત્વ છે. અલબત્ત, કોઈ પણ કલાકારની ઓળખ તો એનું કામ જ હોય, છતાં સવજીભાઈની ચિત્રકળાને એમના સ્નેહ-ભૂખ્યા સ્વભાવની મીઠાશના ચાર ચાંદ લાગેલા છે ! ‘સોનામાં સુગંધ મળે એ આનું નામ ! તારકાધીશનાં દર્શન કરી પાવન થનાર કળાપ્રેમી આ કલાકારની મુલાકાત લેવાનું ચૂકતા નથી. દેશ-વિદેશના કેટલાયે મહાનુમાવો એમને મળ્યા છે. એ બધાનાં રેખાચિત્ર દોરીને સવજીભાઈ પ્રેમની પણ દોર બાંધે છે. દ્વારકા જવાનું ધાય ત્યારે આ દ્વારકા રહીશને અચૂક મળજો. (નોંધ : આ ગ્રંથમાંના શ્રી સવજી છાયાએ દોરેલા કોઈપણ રેખાચિત્રનો અન્યત્ર ઉપયોગ કરતાં અગાઉ તેમની લેખિત સંમતિ મેળવવી અનિવાર્ય છે.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy