SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ જોસેફ ઇ. મેકવાન ગુજરાતીસાહિત્યના ઇતિહાસના સાતમા દાયકાથી વહેતા થયેલા દલિતસાહિત્યના પ્રવાહમાં નોંધપાત્ર ફાળો આપનાર શ્રી જોસેફ મેકવાન. શ્રમિકોના જીવનમાંથી સત્ત્વશીલ સાહિત્યસર્જન કરવાની એક નવી શક્યતાનો તેઓએ નિર્દેશ કર્યો છે. સહજ-સ્વાભાવિક રીતે થતું જીવંત પાત્રાલેખન અને સ્વયં સંચાલિત ગતિથી ચાલતી તેમની નવલકથા 'આંગળિયાત' ગુજરાતીસાહિત્યમાં એક નવું સીમા ચિહ્ન આંકે છે. તેમણે આલેખેલાં હૃદયસ્પર્શી અને ચિરસ્મરણીય રેખાચિત્રો "વ્યાનાં વીતક'માં જોવા મળે છે. દલિતો-શોષિતો પ્રત્યેની વ્યાપક સહાનુભૂતિ અને તળપદી ભાષા પરની પકડ પણ તેમાં જોવા મળે છે. આ ઉપરાંત તેઓએ ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા' નામની મનોવૈજ્ઞાનિક સામાજિક નવલકથા પણ આલેખી છે. ભાવ, ભાષા, ઉત્કટબળકટ સંવેદના અને વિપુલ અનુભવોનું ભાથું આ લેખકની વિશિષ્ટ સિદ્ધિઓ છે. CATHAR - રમેશ ત્રિવેદી Jain Education International ઈશ્વર પરમાર - સાહિત્યક્ષેત્ર બાળસાહિત્યકાર, લઘુકથાકાર, ચરિત્રકાર અને શિક્ષણકાર તરીકે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. 'બહુબીન', 'ટણટોળી', 'પછીનું પૂછશો મા', ‘છે મેં હૈં' વગેરે તેમના બાળવાર્તાસંગ્રહો છે. બાળસંભાળ અને બાળઉછેર અંગેનાં તેમના પુસ્તકો શ્રી ગીજુભાઈ પછીનું નોંધપાત્ર પ્રદાન ગણાય, ‘કહેવું છે કોઈ કાન ધરે તો' પુરતમાં બાળઉછેર અંગેનું ઉપયોગી માર્ગદર્શન છે. ‘તુલસીની માળા' લઘુકથાસંગ્રહ છે. શિક્ષણના સિતારા' પુસ્તકમાં આદર્શ શિક્ષકોનાં ચરિત્રો છે. ‘શિક્ષણક્ષેત્રે સૂર્યોદય' અને 'ભાષાશિક્ષણકળા તેમનાં શિક્ષણ અંગેનાં પુસ્તકો છે. ‘દીઠી અમે દ્વારામતી'માં તેમણે દ્વારકા અંગેનાં કાવ્યોનું સંપાદન કર્યું છે, એમ.એ.,એમ. એડ. અને પીએચ.ડી.ની પદવી ધરાવતા નિવૃત્ત અધ્યાપક શ્રી ઈશ્વર દામજીભાઈ પરમાર હાલ દ્વારકામાં જ વસે છે. જોસેફ ઇ. મેકવાન રમેશ ત્રિવેદી - કડીમાં જન્મેલા શિક્ષકસાહિત્યકાર શ્રી રમેશ શિવશંકર ત્રિવેદી. સાહિત્યક્ષેત્રે શ્રી ત્રિવેદી લઘુકથાકાર અને બાળસાહિત્યકાર તરીકે સુપ્રતિષ્ઠિત છે.પ્રથમ લઘુકથાસંગ્રહ'આઠમું પાતાળ' પુરસ્કૃત બન્યો, ત્યારબાદ ‘વેરાઈ જતી ક્ષણો', ‘આઇસબર્ગ' તેમના જાણીતા લઘુકચાસંગ્રહ છે. શ્રી રાધેશ્યામ શર્મા તેમને ‘લઘુકથાની લાડકી ઓળખ' કહીને બિરદાવે છે. તેમની લઘુકથાઓમાં પરિસ્થિતિનો વિરોધ, વક્રતા અને કરુણતા આગવા લક્ષણો છે. ‘હાલકડોલક દરિયા' તેમનો વાતસિંગ્રહ છે. ‘બસ વામાં ઊડી', 'બાવાજીની દંડીજી', ‘હાથી ગયા જાણી', 'હીંચમ્ હીંચા' વગેરે તેમની બાળકોને પ્રિય થઈ પડે તેવી કૃતિઓ છે. તેમના બાળગીતસંગ્રહોને ગુજરાતી સાહિત્યઅકાદમી અને ગુજરાતી સાહિત્યપરિષદનાં પારિતોષિકો પ્રાપ્ત થયા છે. ‘દાદીમાની ઊંદરી', 'રાક્ષસભનો ટેકરો', 'કીડી-મકોડી ગોળખાંડવાળાં' વગેરે તેમના બાળવાર્તાસંગ્રહો છે. ‘શ્રી-ઉપાસના’ હૈ માસિકના માનદ્દ તંત્રી તરીકે તેઓ કાર્ય કરી રહ્યા છે. તેમને રાષ્ટ્રકક્ષાનો શ્રેષ્ઠશિક્ષક એવોર્ડ મળ્યો છે. For Private & Personal Use Only ८७ ઈશ્વર પરમાર www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy