SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ પથપ્રદર્શક - : : વિનોદ ભટ્ટ - ગુજરાતી હાસ્યસાહિત્યની ઉવળ પરંપરામાં નામ પ્રમાણે ગુણ એવા શ્રી વિનોદ ભટ્ટ એક વિશિષ્ટ નામ છે. ૧૯૬૨માં “પહેલું સુખ તે મૂગી નાર'નુ હાસ્યઝરણું વહેતું કરનાર આ નર પછી તો હાસ્યધોધ વહાવ્યો છે. તેમણર હાસ્યના પ્રકારો ખેડવામાં જે વિશિષ્ટતા અને વિવિધતા આણી છે તે અદ્વિતિય છે. ટૂંકી કટાક્ષકથાનો પ્રકાર ‘ઇદમ્ તૃતીયમ' અને “ઇદમ્ ચતુર્થ'માં ખેડ્યો, તેને બિરદાવતાં વિવેચક શ્રી ચશવંત શુકલ કહે છે “ એ કશું લાંબુ તાણતાં નથી. એ સોંસરા ઊતરે છે અને લક્ષ્યવેધ કરે છે. ” “વિનોદની નજરે' ઊહાપોહ મચાવનાર આ પુસ્તકમાં પણ તેમની નીડર અને તેજસ્વી હાસ્યકલમ ઝળકી ઊઠી છેને‘કુમાર' ચંદ્રકનું ગૌરવ અપાવે છે. નરો વા કુંજરો વા', “ભૂલચૂક લેવીદેવી', “વિનોદ ભટ્ટના પ્રેમપત્રો', “અમદાવાદ એટલે અમદાવાદ વગેરે તેમની જાણીતી કૃતિઓ છે. ટુચકા, વિ, ચબરાકિયાં, પેરોડી,શ્લેષ તેમનાં હાસ્યશસ્ત્રો છે. તેમને ૧૯૮૯નો રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે. હું વિનોદ ભટ્ટ ચન્દ્રકાંત શેઠ - તત્ત્વજ્ઞાનચી આધુનિકતાના સીમાડા સુધી વિસ્તરતી કવિતા તથા લલિતનિબંધોના સર્જક તરીકે શ્રી ચન્દ્રકાન્ત શેઠ જાણીતા છે. ક્યાં છો ચંદ્રકાન્ત'માં તે કહે છે."ક્યાં છો ચંદ્રકાન્ત? તમે ક્યાં છો? ક્યાં છો? તમારા આ બોલાયેલા-લખાયેલા શબ્દો,એમાં તમે નથી, તમારી છે છાયા; જેને તમારું ના હેજે અભિજ્ઞાન.” એમણે આત્મશોધની કવિતામાં નાવીન્ય દાખવ્યું છે. આધુનિક ગુજરાતી કવિતામાં “પવનરૂપેરી”, “ઊઘડતી દીવાલો', પડઘાની પેલે પાર' જેવા કાવ્યસંગ્રહો - “ચાંદલીયાની ગાડી’, ‘હું તો ચાલું મારી જેમ’, ‘ઘોડે ચડીને આવું છું' જેવા બાળગીતોના સંગ્રહો અને આત્મકથાત્મક સ્મરણોની “ધૂળમાંની પગલીઓથી ચંદ્રકાન્ત શેઠ ઉલ્લેખપાત્ર છે. “ધૂળમાંની પગલીઓ' માટે તેમને સાહિત્યઅકાદમી દિલ્હીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત તેમને કુમાર ચંદ્રક, નર્મદ ચંદ્રક અને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યા છે. કાવ્યપ્રત્યક્ષ', “અર્થાન્તર', “રામનારાયણ વિ. પાઠક”, “રસ્વામીનારાયણ સંતકવિતા' જેવા તેમના અભ્યાસપૂર્ણ અને તટસ્થ મૂલ્યાંકન કરેલા વિવેચનગ્રંથો છે. ચન્દ્રકાંત શેઠ - રમેશ પારેખ - શ્રી રમેશ પારેખ નખશીખ પ્રયોગશીલ કવિ છે. કાવ્યના શીર્ષકથી માંડીને કાવ્યની રજૂઆત - સર્વ રીતે તેઓ પ્રયોગવીર છે. અવનવા અકવ્ય વિષયો તેમની કવિતાસૃષ્ટિમાં આવે છે અને વાચકને સાનંદાશ્ચર્યમાં ડુબાડે છે. વિવિધ મિજાજનાં, વિવિધ વિષયોનાં, વિવિધ શૈલીનાં કાવ્યો તેમણે રચ્યાં છે. ભાવસંવેદનોની તાજગીભરી અભિવ્યક્તિ સામાન્ય માનવીનાં પાત્રો અને પરિવેશનો ઉપયોગ કરીને તેમણે કરી છે. કવિતામાં એક રોમેન્ટિક સૃષ્ટિનો અનુભવ થાય છે. “આલા ખાચરને લગતાં કાવ્યો હળવી કટાક્ષશૈલીના નમુના રૂપે ઉત્તમ છે. આ કવિની ગઝલોમાં પણ કથનની તાજગી અને ચમત્કૃતિ અનુભવાય છે. ગઝલમાં સંસ્કૃત, માત્રામેળ, અક્ષરમેળ, છંદોના કલાત્મક પ્રયોગો તેઓએ કર્યા છે. અભિવ્યક્તિની અવનવી છટાઓ આ ગઝલમાં જોવા મળે છે. બાળસાહિત્યમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. રમેશ પારેખ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy