SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ પથપ્રદર્શક મનસુખ સલ્લા - ભાવનગરમાં જન્મેલા શ્રી મનસુખલાલ મોહનલાલ સલ્લા સાહિત્યક્ષેત્રે વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક તરીકે જાણીતા છે. “જીવતર નામે અજવાળું' નામના રેખાચિત્રોના પુસ્તકદ્વારા માનવજીવનની સારપને તેમણે ઉજાગર કરી છે. જીવનચરિત્રોમાં ધરતીપુત્ર’ અને ‘અનોખા આચાર્યમાં પ્રસ્તુત વ્યક્તિત્વોનું રસપ્રદ અને આકર્ષક આલેખન તેમણે કર્યું છે. લોકભારતીની લોકારાધના’ અને ‘માલપરાની ગ્રામશાળા' જેવી સંસ્થાકથા પણ તેમની કલમે અનોખી બની રહી છે. બૃહત્ કાવ્યદોહન', “લોકસહયોગથી વિકાસ ભણી’ અને ‘સમુલ્લાસ નિમ્બત’ તેમનાં વિવેકપૂર્ણ ઉપયોગી સંપાદનો છે. શિક્ષણકાર તરીકે સુપ્રતિષ્ઠિત એવા શ્રી મનસુખભાઈ ટોનોમસ કોલેજ લોકભારતી - સણોસરાના નિવૃત્ત આચાર્ય છે. હાલમાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદની ભોગીલાલ સાંડેસરા ચેર અન્વયે ગુજરાતી ઐતિહાસિક નવલકથાવિશે સંશોધન કાર્ય કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કર' દૈનિક ‘શીલ અને સંસ્કૃતિ'ના કટારલેખક તરીકે તેઓ લોકપ્રિય છે. - :: fitti ''',1) જ - મનસુખ સલ્લા મનોજ ખંડેરિયા : “મને સભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.” “એને’ શબ્દોથી પામવાની છે, એ વડે જ પામી શકાય-આવી સૂક્ષ્મ અભિવ્યક્તિના સક્ષમ સર્જક શ્રી મનોજ ખંડેરિયા. તેઓએ અધતન ગુજરાતી ગઝલમાં બારીક નકશીકામ કર્યું છે. શ્રી રમણલાલ જોશી કહે છે તેમ પ્રમાણમાં તે ઓછું લખે છે, પણ જે લખે છે તે નક્કર લખે છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ “અચાનક' અને બીજો ‘અટકળ' પ્રગટ થયો છે. આ બંને કાવ્યસંગ્રહો દ્વારા સાંપ્રત ગુજરાતી કવિતામાં તેમણે પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. તેમનાં સર્જનોમાં સૌરાષ્ટ્રની તળપદી ભાષા નવા સ્વરૂપે પ્રયોજાયેલી છે. મનોજ ખંડેરિયાએ સુંદર લયહિલ્લોળવાળાં ગીતો, ચમત્કૃતિવાળી ‘નવી' ગઝલો અને અધતન ગદ્યકાવ્યો આપ્યાં છે. તેમને ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું છે. મનોજ ખંડેરિયા યોગેશ જોશી - વીસનગરના વતની શ્રી યોગેશ ભાનુપ્રસાદ જોશી સાહિત્યક્ષેત્રે કવિ અને વાર્તાકાર તરીકે સુપ્રતિષ્ઠિત છે. “પતંગની પાંખે', હજીયે કેટલું દૂર' તેમની ગુજરાતસાહિત્ય અકાદમી પુરસ્કૃત કૃતિઓ છે. “મૃત્યુસમીપે', “તેજના ચાસ', “અવાજનું અજવાળું' તેમના નોંધપાત્ર અને ધ્યાનાહ કાવ્યસંગ્રહો છે, જેમાં “મૃત્યુસમીપે” તેમણે કરેલો અનુવાદ છે. “સમુડી”, “જીવતર', “નહીંતર', “આરપાર', વાસ્તુ' તેમની જાણીતી લઘુનવલો છે. બાળસાહિત્યમાં તેમણે રસપ્રદ અને બહોળુ સર્જન કર્યું છે. તેમની કેટલીક ઐતિહાસિક અને બોધકકથાઓ અંગ્રેજી, હિન્દી અને મરાઠીભાષાઓમાં અનુવાદિત છે. “અંતઃપુર' તેમનો નિબંધ સંગ્રહ છે. તેમણે સુંદર રેડિયો-નાટકો ઉપરાંત કેટલાક ઉપયોગી સંપાદનો કર્યા છે. તેમને નર્મદચંદ્રક તથા બ.ક.ઠાકોર પારિતોષિક જેવાં બહુમાન મળેલ છે. હાલ તેઓ ગુજરાતી સાહિત્યપરિષદના સામયિક “પરબ'ના તંત્રી તરીકે સફળ કામગીરી કરી રહ્યા છે. 'કાકા, રા યોગેશ જોશી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy