SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मो रक्षति रक्षितः ॥ जैन धर्म और ज्ञान की ज्योत सदा जलती रहे જામનગરના શેઠ પરિવારના અવિસ્મરણીય તારકોન જૅસ્મરણાંજલિ શ્રાવિકારત્ન પૂજય મોટી બા કાન્તાબેન ડી. શેઠ જેમ પંચભૂતોમાં આકાશનું સ્થાન અમાપ છે અને સર્વવ્યાપી છે, તેમ માનવજીવનમાં ધર્મ-ધાર્મિક સંસ્કારોનું સ્થાન અમાપ છે. સામાજિક રીતરિવાજો કે આર્થિક વ્યવહારો સાથે ધર્મને સરખાવવાથી એ સ્પષ્ટ થશે. પૈસો-માનમોભોયશકીર્તિના મર્યાદિત દાયરા સામે ધાર્મિક સંસ્કારોનું સ્થાન જોઈએ છીએ ત્યારે તેની મહત્તા સમજાય છે. જે ઘર-કુટુંબમાં ઉદાત્ત ધર્મભાવનાનું વાતાવરણ હોય તેની સમાજમાં સાવ અલગ છાપ પડતી હોય છે, જાણે કે માનવજીવનની સાર્થકતા એ જ છે, ધન્યતા એ જ છે એવો પ્રતિભાવ જાગે છે. એવી ઉમદા પરંપરા ઊભી કરનાર માતા શ્રાવિકારત્ન પૂજ્ય મોટી બા કાન્તાબહેન ડી. શેઠ હોય છે. માતા દ્વારા માનવદેહ મળે છે તેમ માતા દ્વારા દિવગંત તા. ૦૨-૦૫-૧૯૯૯ જ સંસ્કાર-ઘડતર થાય છે અને સાચા માનવી થવાય છે. જામનગરમાં અમારા શેઠ પરિવારના મોટી બા પૂ. કાન્તાબહેન એવાં ઉત્તમ માતા હતાં. એમના ધાર્મિક સંસ્કારોથી ઘર-પરિવાર ઉજજવળ પરંપરા ઊભી કરી શક્યો. એમની પ્રેરણાથી ધર્મ અને સમાજને ઉપયોગી અનેક મંગલ કાર્યો થયાં. પૂ. મોટીબાનાં તપ-આરાધનાની સુવાસ સમગ્ર સમાજ ઉપર પ્રસરતી રહી અને ચિરકાળ પ્રસરતી રહેશે. તેઓ પોતાનું જીવન ધન્ય કરતાં ગયાં અને પેઢી દર પેઢીને આ મંગલ માર્ગ દર્શાવતાં ગયાં. તેથી તા. ૨-૫-૧૯૯૯એ સ્થૂળદેહે નશ્વર થયાં, છતાં આજે પણ અનશ્વરપણે સૌના હ્રદયમાં આદરપાત્ર સ્થાન જાળવી રહ્યાં છે. પુણ્યપ્રભાવી શ્રી કિશોરભાઈ ડી. શેઠ અનંત કાળ સામે ગમે તેટલું દીર્ઘ આયુષ્ય સાવ અલ્પ લાગે છે, પરંતુ એ અલ્પ આયુષ્યમાં એકાદ મહાન કાર્ય થઈ શકે તો તે કાર્ય કાળજયી બની રહે છે, તે અનંત કાળ પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy