________________
સ્વપ્ન શિલ્પીઓ
દીક્ષા અંગીકાર કરી હું તેમનો શિષ્ય બનીશ.
જરાય ગભરાયા વિના નમ્રતાપૂર્વક જ્યારે એ બાળકે જવાબ આપ્યો ત્યારે ગોંસાઈજી ખૂબ જ ખુશ થયા. તેમને થયું
કે મેં જેવો ધાર્યો હતો તેવો જ આ બળક છે. થોડી આનંદની વાતો કરી રજા આપતાં કહ્યું કે, “જ્યારે જ્યારે અહીંથી નીકળો ત્યારે મારી પાસેથી થઈને જવું. કોઈ રીતે જુદાઈ માનશો નહીં, કાંઈ પણ જોઈતું હોય તો વિના સંકોચે કહેજો.” આનંદકુમારે ખૂબ નમ્રતાથી કહ્યું, “બહુ સારું, મારે કાંઈ જોઈતું નથી.” આટલું કહીને વિદાય લીધી.
ગોંસાઈજી અને આનંદકુમારના સંવાદ ઉપરથી વૈરાગ્યની દૃઢતા, મનની નિશ્ચલતા અને નિસ્પૃહતા કેવા ઊંચા પ્રકારની છે તેની પ્રતીતિ થાય છે. મહાપુરુષના લક્ષણ બાળપણથી જ દેખાઈ આવે છે. પેલી અંગ્રેજી કહેવત પણ કહે છે ``Children shows the man as morning shows the day." અર્થાત્ દિવસ કેવો થશે તે પ્રભાત બતાવે છે. તેમ માનવ કેવો થશે તે એનું બાલપણ બતાવે છે.
માત્ર નવ જ વર્ષની ઉંમર હોવા છતાં એ ચાતુર્માસમાં ખૂબ જ સારો અભ્યાસ કરી સંયમ લેવા માટે સંપૂર્ણ તૈયાર થઈ ગયા. મુનિનો કલ્પ પ્રમાણે કારતક વદ-૧ના પૂજ્ય શ્રી હીરાજી સ્વામી આદિ ઠા. ૨ ગોંડલથી વિહાર કર્યો. તેમની સાથે ભાવિ મહાપુરુષે પણ વિહારનો અનુભવ લીધો. માતા કંકુબાઈએ પુત્રને પૂજ્યશ્રીની સાથે ફરવાની અનુમતિ આપી પોતે આચાર્યજી સાથે અભ્યાસ કરવા રહ્યા. થોડા સમયમાં જ ચારિત્ર્યની દુષ્કરતાનો અંગત અનુભવ મેળવી વૈરાગ્યના રંગને પરિપક્વ બનાવી દીક્ષાની અનુજ્ઞા લેવા માતા-પુત્ર પોતાના ગામ પડાણા આવ્યાં.
તેમના સગાંવહાલાઓ કે જેઓ ધર્મમાં ઊંડા ઊતરેલા ન હતાં છતાં સરલ હતાં. એ લોકોનાં હૃદયમાં જ્યારે ધર્મ એ આપણું કર્તવ્ય છે અને સંયમ લેવો એ એક ઉચ્ચ આદર્શ અને ઉત્તમોત્તમ પગલું છે.” એ વાત પ્રમાણો આપી સમજાવવામાં આવી ત્યારે રાજીખુશીથી બન્નેને દીક્ષા લેવાની આજ્ઞાપત્રિકા લખી આપી. તે આજ્ઞાપત્રિકામાં મોટા સાધુ અને આગેવાન શ્રાવકોની સહી કરાવી દીક્ષા લેવાનું પ્રમાણપત્ર મેળવ્યું.
હું તો અરિહંત અરિહંત જપું મોરી મા, મારું મન લાગ્યું છે સંયમમાં...
૧૦ વર્ષની ઉંમરના આનંદકુમાર દીક્ષા લેવા માટે
Jain Education International
૭૪૩
થનગની રહ્યા છે. માતાને કહે છે, હવે જલદી દીક્ષિત થઈએ. પૂજ્ય ગુરુદેવને પણ વિનંતી કરી, છૂપાં ત્વા ટીમાં વેદી । કૃપા કરી દીક્ષા આપી મારો ઉદ્ધાર કરો.
પૂજ્ય શ્રી હીરાજી સ્વામી તથા ગુરુદેવ શ્રી કાનજી સ્વામી ફરીને ગોંડલ પધાર્યા ત્યારે શ્રાવકોના ચડતા ઉત્સાહની સાથે અત્યાગ્રહથી ગોંડલમાં જ દીક્ષા મહોત્સવ ઊજવવાનો નિશ્ચય કર્યો. વિ.સં. ૧૮૧૯ના મહા સુદિ પાંચમના દિવસે ચડતે પહોરે, શુભ મુહૂર્તે પૂજ્ય શ્રી હીરાજી સ્વામીએ આનંદકુમારનું નામ અજરામરજી સ્વામી રાખી મ. શ્રી કાનજી સ્વામીના શિષ્ય બનાવ્યા અને પવિત્રાત્મા કંકુબાઈ આર્યજીને મહાસતીજી શ્રી જેઠીબાઈ આર્યાજીના શિષ્યા તરીકે જાહેર કર્યાં. સાથે આશીર્વાદ પણ આપ્યા.
શાસનોદ્ધારક પૂજ્ય આચાર્યશ્રી
અજરામરજી સ્વામીના પ્રભાવક પ્રસંગો
(૧)
શાસનોદ્વારક પૂજ્ય આચાર્ય શ્રી અજરામરજી સ્વામી પ્રકાંડ વિદ્વાન હતા અને એ વિદ્વત્તાની છાપ માત્ર પોતાના જ સંપ્રદાયમાં નહીં પણ ઈતર સમાજમાંય હતી, તેનો એક પ્રસંગ જાણવા જેવો છે. એક વખતની વાત છે કે જ્યારે પૂજ્ય શ્રી લીંબડીમાં સ્થિરવાસ હતા તે દરમ્યાન અમદાવાદથી પાલિતાણા જવા માટે એક સંઘ નીકળેલો. તે સંઘમાં ૩૦૦ વિદ્વાન અને ભક્તિશાળી યતિઓ પણ હતા. સંઘ ફરતો ફરતો લીંબડીના પાદરમાં આવ્યો. લીંબડીમાં સંઘે મુકામ કર્યો તે વખતે તે યતિઓને કોઈકે સમાચાર આપ્યા કે આ શહેરમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સાધુ પૂજ્યશ્રી અજરામરજી સ્વામી બિરાજમાન છે, તેઓશ્રી ઘણાં શાસ્ત્રોનાં જ્ઞાતા તથા સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન છે.
આ સાંભળીને યતિઓએ કહ્યું કે સ્થાનકવાસી સાધુમ શું વિદ્વત્તા હતી? તેમણે નિશ્ચય કર્યો કે ચાલો આપણે તેમન જરા મજાક ઉડાવીએ. આવો વિચાર કરીને તે યતિઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીને તો શાસ્ત્રીય જ્ઞાનની સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ હતું તેથી તરત જ તેમનો આશય સમજી ગયા અને તેઓ પોતાનો આશય રજૂ કરે તે પહેલાં જ પૂજ્યશ્રીએ તેમન સાથે સંસ્કૃતમાં જ વાર્તાલાપ શરૂ કરી દીધો અને તે એટલી હદ સુધી કે ન્યાયશાસ્ત્રની પંક્તિઓ ઉપર ચર્ચાત્મક રીતે સંસ્કૃત ભાષામાં વક્તવ્યની રજૂઆત શરૂ કરી દીધી.
For Private & Personal Use Only
www.jainelibrary.org