________________
સ્વપ્ન શિલ્પીઓ
બેતાલા. દક્ષિણભારતમાં કોઈ આ ધર્માનુરાગીના નામથી અજાણ નથી. સેવાના ભેખધારી અને બહુમુખી પ્રતિભાસંપન્ન શ્રી માણેકચંદજી વીસા ઓસવાળનો જન્મ રાજસ્થાનના નાગોર જિલ્લાના અંદરના ધ્યેહ” જનપદમાં સં. ૧૯૬૫માં ફાગણસુદ પૂનમના રોજ થયો હતો. પિતાશ્રી પૂનમચંદજીની સમતા–સેવા અને માતુશ્રી રાજીબાઈની મમતા-ભક્તિથી ઘડાયેલાશ્રી માણેકચંદજી જીવનને ધાર્મિક અને સામાજિક કાર્યથી સુવાસિત બનાવી ગયા. તેના સુપાત્રદાન–વૈયાવચ્ચ ભક્તિમાં તેમના ધર્મપત્ની શ્રીમતી કુસુમબાઈ સાચા અર્થમાં અર્ધાંગની પુરવાર થયેલાં. સવારના નવકારશીથી સાંજના ૫ સુધી લગાતાર તેમને ત્યાં સાધુ-સાધ્વી ભગવંતો તથા સાધર્મિકો અને મહેમાનોની આવનજાવન રહેતી હતી. પૂરા ચેન્નાઈમાં બિરાજિત પૂ. ગુરુભગવંતોની ભક્તિ-સેવાના પ્રસન્નતાપૂર્વક તત્પર રહેતા શ્રી માણેકચંદજીને બે પુત્રો અને એકપુત્રી છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે દક્ષિણના મદ્રાસ શહેરમાં હૈયામાં હામ અને હિંમતથી આવેલા શ્રી બેતાલાજીએ શ્રી બહાદુર મલજી સમડિયાનાં નેતૃત્વમાં વ્યવસાયનો અનુભવ શરૂ કર્યો. ૧૯૩૫માં કચ્છભૂજ નિવાસી શ્રી દેવરાજ નેણસી સાથે દેવરાજ માણેકચંદ ફર્મમાં પ્રતિષ્ઠિત થયા, જે ૪૦ વર્ષ સુધી ભાગીદારી રહી.૧૯૭૫ના મદ્રાસમાં ‘શ્રી માણેકચંદજી બેતાલા એન્ડ કું।’ અને મુંબઈમાં ‘ગૌતમ બ્રધર્સ'થી ઝવેરાતનો ધંધો કર્યો, જેમાં ઘણા સફળ થયા અને સફળતાને સામાજિક તથા ધાર્મિક કાર્યોનો પર્યાય બનાવ્યો. તેમનાં કરકમલોથી અનેક પ્રતિષ્ઠાનોનું ઉદ્ઘાટન થયેલું, જેમાં વિમલનો શો રૂમ મંગલદીપ, જે મદ્રાસ અને કોયમ્બુરમાં પ્રસિદ્ધ છે, પોતાના વતન નાગોરમાં ‘અમરચંદ માણેકચંદ બેતાલા જૈનભવન' નિર્માણ કરી શ્રી તપાગચ્છ જૈન સંઘને સમર્પિત કર્યું. બિહારના રાજગૃહીમાં જૈન શ્વેતાંબર મંદિરના મુખ્ય માર્ગનું નામ ‘માણેકચંદ બેતાલા માર્ગ’ તેમની યશોગાથાને હંમેશને માટે અમર કરે છે.
આવા સેવાભાવી, નિરાભિમાની શ્રી માણેકચંદજી બેતાલાને આજે પણ ચેન્નઈમાં સૌ યાદ કરે છે. પરિવારમાં અન્ય ધર્માનુરાગી મિત્રો વિ. ને પણ સદાય ઊચી સેવાની પ્રેરણા આપતા જ હતા. તેઓ સૌના આદર્શ, માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત હતા.
જીવદયાપ્રેમી
શ્રી ઉત્તમચંદજી દુગ્ગડ
જગતનિયંતાના સર્વશ્રેષ્ઠ સર્જન મનુષ્યની પણ ચોક્કસ મર્યાદાઓ છે. ત્યાં મૂક પ્રાણીઓ તો પોતોની વેદના અને
Jain Education Intemational
૩૧૫
મજબૂરી કોને કહે? આવા અબોલ મજબૂર પ્રાણીઓનો સહારો બનીને તેમને માટે સતત કાર્યશીલ રહેતા જીવદયા સમર્પિતજીવ શ્રી ઉત્તમચંદજી દુગ્ગડનું જીવન આપણા સૌ માટે પ્રેરણારૂપ બની રહે તેવું છે.
રાજસ્થાનના પાલી જિલ્લાના ગુડાચુથરા ગામમાં તેમનો જન્મ થયો હતો. પિતા પ્રભુલાલજી તથા માતા જસાબાઈના જીવનમાં જીવદયા વણાયેલી જ હતી. તેમના સંસ્કાર અને ઘડતરના શ્રી ઉત્તમચંદજીમાં ઊતરી આવ્યા. બેંગલોરમાં પોતાના કાપડનાં વ્યવસાયમાં પુત્રો સાથે વ્યસ્ત રહેવા છતાં ગૌરક્ષા અને જીવદયા અને પશુબલિને રોકવા તેઓ સદાય જાગ્રત રહે છે. બેંગલોરના કન્નડ ભાષી ડૉ. નારાયણને ઘણાં વર્ષો પહેલાં જીવદયાનું કાર્ય કરતા જોઈને સ્વભાવે કરુણાસભર શ્રી દુગ્ગડજી તેમના કાર્યમાં જોડાયા. કોરમંગલા બેંગલોર ખાતે શ્રી અખિલ કર્ણાટકા પ્રાણીદયાસંઘ જે કાર્ય કરી રહ્યા છે તે પ્રશંસનીય અને અનુમોદનીય છે. કર્ણાટકના ગદગ નજીક બોમ્બસાગરા પાસે ૪૦ હજાર બકરીનાં પશુબલિના કાર્યને ઘણી જ જહેમત પછી રોકીને જીવોને છોડાવ્યાનો આત્મિક સંતોષ અનુભવે છે. મૈસુર પાસે ટી નરસીપુરા નજીક ખુલેલા કતલખાનાને બંધ કરાવવામાં પણ તેઓ સફળ થયા કે જ્યાં ૫૦૦૦ પશુઓની કતલ થતી હતી. શ્રી ઉત્તમચંદજીનું બીજું નામ અબોલ જીવ સમર્પિત જીવ એમ કહી શકાય તેવું તેમનું કામ જેની વિશ્વ હિંદુ પરિષદે પણ નોંધ લીધી છે. વિ.હિ.પ.ના પ્રમુખ શ્રી અશોક સિંઘલ તેમના કાર્યથી પ્રભાવિત થયા છે. તેઓ પોતે જ્યાં હાજર રહેવાના હોય તેવી કેટલીક પરિષદોમાં શ્રી ઉત્તમચંદજીને પણ નિમંત્રણ મળતું હોય છે. જેમણે ૧૯૮૩ માં શ્રી રાધાકૃષ્ણબજાજ દ્વારા આયોજિત કૃષિ ગૌ સેવા સંઘની બેઠકમાં તથા ૧૯૯૪માં નાગપુરમાં ભારતીય ગૌવંશ રક્ષણની બેઠકમાં ૧૯૯૧માં કર્ણાટકમાં શ્રી બંગરપ્પાની સરકાર સમયે શાળામાં મધ્યાહ્ન ભોજનમાં ઇંડાના વિતરણની જાહેરાતની માત્ર ૨૪ કલાકમાં જ રદ કરાવવાનું શ્રેય તેમને મળે છે. તેઓશ્રીનાં આવાં ઉમદા કાર્યોમાં શ્રી દયાનંદ સ્વામી સતત ૧૫ વર્ષથી સહકાર આપી રહ્યા છે.
જૈનાચાર્ય પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. જ્યારે દક્ષિણભારતમાં વિચરી રહ્યા હતા ત્યારે બેંગલોરમાં મોટું કતલખાનું શરૂ થવાની હિલચાલ શરૂ થયેલી, જ્યાં રોજના ૭૦૦૦ પશુઓની કતલ થવાની યોજના અને ગણતરી હતી. તે સમયે પૂ. આચાર્યજી પાસે સતત મહિનાઓ સુધી સંપર્કમાં રહી તેમના માર્ગદર્શન હેઠળ અને આશિષથી કુનેહપૂર્વક
For Private & Personal Use Only
www.jainelibrary.org