SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૬ સ્વપ્ન શિલ્પીઓ જાગૃતિ લાવી રહ્યા છે. શ્રી રત્નત્રયી ટ્રસ્ટ, શ્રી વર્ધમાન સંસ્કાર ધામ, શ્રી અખિલ ભારતીય સ્વાધ્યાય પીઠ શ્રી જિનકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ તથા અહમ્ સુંદરમ્ ટ્રસ્ટ વ. દ્વારા આયોજિત પરીક્ષાઓનું સફળતાપૂર્વક સંચાલન કરવાની સાથે પરીક્ષા પણ આપે છે. આ લેખમાળાના સંકલનમાં વિશેષ સહ્યોગી બનનાર શ્રી પ્રવીણભાઈનો પરિચય જોઈએ શ્રી પ્રવિણકુમાર માનચંદલાલ શાહ-બેંગ્લોર (ઉણ) ગરવી ગુજરાતની ધરતી જેવું ગુજરાત રાજ્ય જે રાજસ્થાનની સરહદ પાસે આવેલ છે બનાસકાંઠા જિલ્લો તેમાં કાંકરેજ તાલુકામાં આવેલ ઉણ ગામે રહેતા શ્રી માનચંદલાલ નગીનદાસ શાહના ઘેર કેશરબહેનની કુક્ષિએ કંકાવટી નગરીથી પ્રચલિત કાકર ગામે સંવત ૨૦૧૧ના જેઠ વદ ૧૦ના શુભ દિવસે સુપુત્રનો જન્મ થયો તેનું નામ પ્રવીણ પાડેલ. ધર્મમય જીવનમાં સંસ્કારો સિંચન કરાવનાર વડીલ તરીકે માબાપ સાથે સાથે વયવૃદ્ધ દાદીમાં મણિબહેન એ ઘરમાં દરેકનું જીવન ધર્મમય બને તેથી તેમની જીવન જીવવાની શૈલી અનેરી હતી. તેથી પરિવાર ધર્મમય બનાવેલ અને સાચી રાહ બતાવેલ. વ્યાવહારિક અભ્યાસ અર્થે પાટણ ખાતે સમાજની બોર્ડિગમાં રહી શ્રી બી.ડી. હાઇસ્કૂલમાં ધોરણ ૮ સુધી અભ્યાસ કરેલ ત્યારબાદ પાલનપુર ખાતે પાલનપુર હાઇસ્કૂલમાં s.s.c. સુધી અભ્યાસ કરેલ સાથે સાથે ધંધાની જાણકારી માટે સર્વિસ લગભગ ૧૦ વર્ષ કરી. ત્યારબાદ દિઓદર ખાતે પોતાની સુરેશ નોવેલ્ટી સ્ટોર્સના નામની પેઢીની શુભ શરૂઆત કરી. ધીમે ધીમે પ્રગતિનાં સોપાન સર થવા લાગ્યાં. જેમ જેમ સમય બદલ્યા તેમ ધંધાની પ્રગતિ બદલ્યા એ સમયે પહેલાં લીલો દુષ્કાળ પછી સૂકો દુષ્કાળ પડવાથી ધંધાની પ્રગતિ નબળી પડતી ગઈ ત્યારે ગૃહસ્થ જીવનગ્રંથિથી જોડાયેલ કલાસબહેને તેમજ સાસરેપક્ષ અને અમારા પરિવારજનોએ સાથ સહકારથી હિંમત આપી કે હિંમતવાન બનો તો જ ધનવાન બનશો. એ સલાહને સ્વીકારી બેંગ્લોર જવા માટે કહ્યું. બેંગ્લોર ખાતે રહેતા મારા નાના ભાઈ સુરેશભાઈ ધાર્મિક અધ્યાપક તરીકે હતા. તેમના સહયોગથી બેંગ્લોર આવવા માટે પ્રયાણ કર્યું. બેંગ્લોરમાં આવતા જ પ્રથમ સર્વિસ શ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટમાં મેનેજર તરીકે જવાબદારી મળેલ તે ફરજ એકધારી ૨૩ વર્ષથી સંભાળી રહેલ છે. થોડા સમય પછી ગાંધીનગર ખાતે આવેલ શ્રી હીરાચંદ નાહર જૈન ભવનમાં મેનેજર તરીકે નિમણૂક થયેલ તે કાર્ય થોડા સમય સંભાળેલ. તે સમયે નાનો પરિવાર સુખી પરિવાર સાથે સુખદુઃખ સાથે જીવન ચાલી રહ્યું હતું. જેમ જેમ સમય બદલાયો તેમ કાર્યક્ષેત્ર બદલ્યા ત્યારે એકાઉન્ટ (નામા)ની લાઇન લીધી અને ધીરે ધીરે કામનો બોજો વધતો ગયો તેમ કામગીરી વધતી ગઈ. નામા (એકાઉન્ટ)માં પ્રવીણતા કેળવી પ્રગતિનાં સોપાન સર થવા લાગ્યાં. વિશેષમાં અત્રે બેંગ્લોરમાં આવ્યા પછી ધર્મ પ્રત્યે વધારે રૂચિ લાગી, સાથે સાથે જીવદયા, અનુકંપાદાન, સામાજિક કાર્ય, ધાર્મિક કાર્ય, શૈક્ષણિક કાર્ય આગળ રહી સમાજનું કાર્ય દીપાવવા તત્પર રહી સમાજના સહભાગી બની રહેતા. શ્રી કાંકરેજ જૈન પ્રગતિ મંડળના નેજા હેઠળ સમેતશિખર સ્પેશિયલ ટ્રેન દ્વારા યાત્રા પ્રવાસ નીકળેલ તે વખતે સુંદર કામ કરેલ. અત્યારે તે જ મંડળમાં સહમંત્રી તરીકે હોદ્દો સંભાળી રહેલ છે. શ્રી ગુજરાત સોસિયલ સોસાયટીમાં ભૂતપૂર્વ મંત્રીપદ તરીકે ફરજ બજાવી હતી. કાર્યક્રમની વ્યવસ્થા તેમ જ અલંકારી ભાષા દ્વારા લખાણો તૈયાર કરવાં અને મોકલવાં જેવાં કે શાંતિશ્રમ-દીઓહર-દક્ષિણદર્શન બેંગ્લોર સ્વરાજય-પાલનપુર વગેરે સાપ્તાહિક અંકમાં પ્રગટ થતાં હતાં અને આ ગ્રંથમાં દક્ષિણ ભારતના વરિષ્ઠ કાર્યકરોના લેખ માટે સંકલન કરવાનો ચાન્સ મળ્યો તે બદલ ધન્યવાદ. શ્રી કાંકરેજ જૈન પ્રગતિ મંડળની “પરિવાર પરિચય પુસ્તિકા' તેમજ “જીવન દર્પણ” પુસ્તકનું સંકલન કરેલ. સમાજ ઉપયોગી કાર્યમાં હરહંમેશાં હાજરી અવશ્ય આપતા રહે છે. ધન્યવાદ. - સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy