________________
સ્વપ્ન શિલ્પીઓ
ભગવાન પધરાવી પ્રતિષ્ઠા કરાવવા ભાગ્યશાળી થયા છે. તેઓએ કુટુંબ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત-રાજસ્થાન તેમ જ સમેતશિખરજી સુધી લગભગ તમામ તીર્થધામોની યાત્રા કરી ધન્ય થયા છે.
આ રીતે
આપણા સમાજના એક બહુમુખી પ્રતિભાસંપન્ન, ગૌરવ અને શોભારૂપ, નિરાભિમાની, ધર્મિષ્ઠ, સંનિષ્ઠ સેવાર્થી એવા શ્રી પ્રવીણચંદ્રભાઈના જીવનમાં તેમના હસ્તે ઉત્તરોત્તર અનેક ચિરંજીવ શુભ કાર્યો થતાં રહે તેવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરીએ.
શ્રી હરખચંદભાઈ વીરચંદભાઈ ગાંધી
હીરાની ખાણસમી મધુપુરી નગરી ઉત્તમ નરરત્નો પ્રદાન કરનારી પ્રાચીન પ્રભાવક નગરી મહુવા શહેરમાં વીરચંદભાઈના ઘરે મોતામાની રત્નકુક્ષિમાં મોતી પ્રગટ થયું. ઈ.સ. ૧૯૧૨ના એપ્રિલ માસમાં માતાની મમતા અને પિતાની સમતાથી અવનીના આંગણે આવ્યા અને જીવનનો પિંડ ઘડાયો, નામ પડ્યું હરખચંદભાઈ. જન્મથી જ સંસ્કાર પામ્યા. પુણ્યરૂપી સૂર્યના ઉદયથી તેનું તેજ મહુવા-મુંબઈ અને ધીરે ધીરે ભારતવર્ષમાં ફેલાયું. તેઓશ્રીનાં અ.સૌ. પત્ની પ્રભાવતીબહેન પણ સુશીલ, વ્યવહારકુશળ છે. તેમના એક મોટાભાઈ જયંતીલાલભાઈએ આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. શુદ્ધ રીતે ચારિત્ર્ય પાળતાં શ્રી તારંગાજી તીર્થે યાત્રાર્થે આવતા વાઘના શિકારનો ભોગ થઈ પડ્યા હતા. બીજાભાઈ શ્રી શાંતિલાલભાઈ મુંબઈમાં લોખંડના વ્યાપારની લાઇનમાં છે. શ્રી હરખચંદભાઈએ વિદ્યાભ્યાસ કરી મુંબઈ તરફ પ્રયાણ કર્યું. મહુવાથી મુંબઈ આવ્યા ત્યારે હાથમાં કાંઈ ન હતું પણ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની અનુપમ આસ્થા અને હૈયામાં હામ અને હિંમત તેમ જ સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના હતી. મુંબઈ આવી કાપડ માર્કેટમાં વ્યાપારનો અનુભવ મેળવવા નોકરીથી પ્રથમ જીવન શરૂ કર્યા બાદ ત્યાંથી છૂટા થઈ શ્રીયુત બાબુભાઈ મૂળચંદના સહકારથી ઝવેરીબંધુને ત્યાં રહ્યા અને ત્યાં ઝવેરાતના ધંધામાં નિષ્ણાત થઈ ઝવેરાતના ધંધામાં ઝુકાવ્યું. તેઓશ્રીના સરળ સ્વભાવી, માયાળુ હોવા સાથે અનેક ચડતીપડતીનાં ચક્રોમાંથી પસાર થતાં દેવગુરુ-ધર્મ પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવ અને શુભ ભાવનાના પ્રભાવે ધંધામાં પ્રગતિ થવા લાગી અને જેમ જેમ લક્ષ્મી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ગુપ્તદાન દેવા સાથે મહુવા બાલાશ્રમમાં રૂા. ૫૦૦૧, મહુવામાં થયેલ છેલ્લી પ્રતિષ્ઠા વખતે ૨૦૦૭માં રૂા.
Jain Education Intemational
૬૯૧
૧૫૦૦૦ તથા અનેક ઉછામણીના આદેશો લીધા. મુંબઈ નજીક અગાશી ગામમાં રૂા. ૧૫૦૦૦ ખર્ચી દરેક રૂમમાં ૧૫૧ ચીજો સામગ્રી સહિત સેનેટોરિયમ પોતાના પ્રિય પુત્ર બંધાવ્યું અને બિપિનકુમારની જન્મગાંઠના દિવસે જૈન નરરત્ન શેઠ રમણભાઈ દલસુખભાઈ J.P.ના વરદ મુબારક હસ્તે ઉદ્ઘાટન કરાવ્યું. પાલિતાણા, કČમિગિર, કુંડલા, બોટાદ, ગિરનારજી, મહુવા, સમેતશિખરજી, ભોંયણી, તળાજા વગેરે સ્થળે ઉદારતાપૂર્વક સખાવતો કરી ગુપ્તદાનનો પ્રવાહ તો ચાલુ જ છે. તેમના પરિવારમાં ત્રણ પુત્ર બિપિનચંદ્ર,
દીપક, પ્રકાશ અને ત્રણ પુત્રી બીપીનચંદ્ર હ. ગાંધી છાયાબહેન, સરલાબહેન તથા પ્રવીણાબહેન છે. ધાર્મિક સાહિત્યમાં પંચપ્રતિક્રમણ, જૈન નિત્યપાઠ સંગ્રહ વિદ્યાર્થીઓ માટે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલ લક્ષ્મીનો આત્મકલ્યાણ માટે સદ્યય કરે છે. શ્રી
અગાશી જૈન તીર્થ–મુંબઈ, પ.પૂ. મુનિ વરૂણાબહેન બી. ગાંધી સુવ્રતસ્વામી દેરાસરમાં આજીવન કાર્યકર્તા ટ્રસ્ટી તરીકે સેવા આપેલ હતી. સૌરાષ્ટ્રભરમાં જેની આગવી પ્રતિભા તથા પ્રતિષ્ઠા છે એવા મહુવા યુવક સમાજ –મુંબઈના કે જેણે મહુવામાં બાલમંદિરથી કોલેજ સુધીની સંસ્થાઓના નિર્માણમાં ધનનો પ્રવાહ વહેવડાવી અમૂલ્ય યોગદાન આપ્યુ છે તેના પ્રમુખપદે રહી ચૂક્યા છે. શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ-મહુવામાં કાર્યવાહક કમિટીમાં જીવનભર રહ્યા અને સેવા આપી. શ્રી મુંબઈ ઘોઘારી વિશા શ્રીમાળી જૈન સમાજના મંત્રી તરીકે સેવા આપી છે. શ્રી મુંબઈ જૈન મહાસંઘ, જૈન કેળવણી મંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, ભારત જૈન મહામંડળ
For Private & Personal Use Only
પ્રભાવતીબહેન હ. ગાંધી
વિશાલ બી. ગાંધી
નિલેશ બી. ગાંધી
www.jainelibrary.org