________________
સ્વપ્ન શિલ્પીઓ
ધરી બહેનો—દીકરીઓને પગભર થવામાં બહુ જ મદદ કરી રહ્યાં છે. ચાર ભાઈઓ-ભાભીઓના કુટુંબને એક જુથમાં બાંધી રાખીને કુટુંબ તથા સમાજની ઉત્કૃષ્ટ સેવાઓ કરતાં ભાવનાબહેન પતિશ્રી વિનોદભાઈને હંમેશ દરેક કાર્યમાં ખૂબ જ સાથ-સહકાર આપીને સમાજની અમૂલ્ય સેવાઓ કરતાં રહે એવી અભ્યર્થના.
સમાજને ખૂબ જ સહાય કરનારાં યુવા પેઢીની પ્રેરણા એવાં સત્ય વક્તા આદર્શ વ્યક્તિત્વ ધરાવતા જૈનોની એકતાના આધારસ્તંભ, લક્ષ્મીનો સદ્ઉપયોગ કરનારાં ઈમાનદાર દાતા, ઝાલાવાડ તથા શેઠ પિરવારનું ગૌરવ એવાં કરુણાથી ભરેલું હૃદય ધરાવનાર સમાજપ્રેમી શ્રી વિનોદભાઈ ગુજરાતનું ગૌરવ છે.
પરમકૃપાળુ પરમાત્મા તેઓશ્રીને તથા તેમના કુટુંબીજનોને લાંબુ નીરોગી આયુષ્ય આપે અને સમાજની ખૂબ– ખૂબ સેવા કરવાની શક્તિ આપે એજ અભ્યર્થના.
‘Simple living and high thinking' એટલે કે સાદું જીવન અને ઉન્નત વિચાર. આ વારસો તેમણે જાળવ્યો અને શોભાવ્યો છે. ‘સાહસે વસતે લક્ષ્મી' એ ન્યાયે સાહસ કરીને વેપારના ક્ષેત્રે ઝંપલાવ્યું. પ્રચંડ પુરુષાર્થ....પ્રકૃતિદત્ત પ્રતિભા......પ્રામાણિકતા.......આત્મવિશ્વાસને લીધે તેમણે
સફળતાનાં સુવર્ણ શિખરો સર કર્યાં.
તેમનાં ધર્મપત્ની અ.સૌ. ભાવનાબહેન ઉદારચરિત...... વત્સલ......અને સ્પષ્ટવક્તા છે. તેમના ત્રણ ભાઈઓ શ્રી હસમુખભાઈ, શ્રી રાજેશભાઈ અને શ્રી અશ્વિનભાઈ પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી ધંધામાં જોડાયા છે. આ ચારેય ભાઈઓ પિતાશ્રીના સમર્થ માર્ગદર્શનમાં વિકાસનો ગ્રાફ ઊંચો લઈ જાય છે. ટૂંક સમયમાં જ એક વિરાટ ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કર્યું. ભારતમાં જુદી જુદી પાંચ કંપનીઓ, અમેરિકામાં એક કંપની ટેક ઓવર કરીને તેમણે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. કરોળિયાની માફક કાર્યશીલ અને નેપોલિયન બોનાપાર્ટનો સિદ્ધાંત દુનિયામાં અશક્ય કશુંયે નથી તથા મહંમદ ગજનીની મહત્ત્વકાંક્ષા-૧૬ વાર હાર્યા બાદ ૧૭મી વારે પ્રભાસપાટણ જીત્યે જ છૂટકારો કર્યો. વ્યક્તિએ હારથી હતાશ ન થવું અને જીતથી સંતોષ કે હરખ ન રાખવાથી તેની પ્રગતિ અપાર રહે છે. સ્કાય ઇઝ લિમિટ.
પરસેવાથી પ્રાપ્ત કરેલો પૈસો પર–સેવામાં વાપરીને તેઓ પરમાત્માને પ્રસન્ન કરે છે. અમદાવાદમાં જૈનજાગૃતિ, નવરંગપુરા જૈન સંઘ, સુલભ હાર્ટકેર ફાઉન્ડેશનમાં તેઓ ટ્રસ્ટી
Jain Education International
૬૭૩ તરીકે સેવા આપે છે. આજ સંસ્થાઓમાં મકાન માટે પણ તેમણે માતબર દાન આપેલું છે.
તેમણે વહેવડાવેલી જ્ઞાનગંગાનો ઝળહળતો અને ઝગમગતો જ્યોતિકળશ એટલે સાબરમતી અને કોબા વચ્ચે તૈયાર થતું મેરુધામ છે. તારાચંદ પોપટલાલ શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂકંપપીડિતોને પણ તેમણે આંખમાં અને પાંખમાં લીધાં છે.
ઝાલાવાડના આપણા ભાઈઓ સુખી સ્વાવલંબી અને સુગંધી જીવન જીવી શકે તે માટે તેમણે ઝાલાવાડ ઉદ્યોગની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે. માટે જ શ્રી ઝાલાવાડ જૈન. શ્વે. મૂ.પૂ. ફાઉન્ડેશનના વાઇસ ચેરમેન તરીકે તેઓ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
ફ્લેક્સિબલ પેકેજિંગ ઉદ્યોગના ક્ષેત્રે તેમને ‘વર્લ્ડ સ્ટાર’ એવોર્ડ એનાયત થયો છે. તેઓ નિરામય, દીર્ધાયુષ્ય ભોગવે અને શત શત શરદ તેમના ઉપર અમૃત તુલ્ય આશિષનો અભિષેક કરે એ જ પ્રભુ પ્રત્યે પ્રાંજલ પ્રાર્થના છે. એક કવિના શબ્દોમાં એટલું જ કહીશ કે
“હોઠ પર સ્મિત, ગળામાં ગીત,
હૈયામાં પ્રીત, એજ છે એમની જીવન જીવવાની રીત.” સ્વ. શ્રી પરમાણંદભાઈ વનમાળીદાસ શાહ
પ્રભુ પરની માન્યતા અને આત્મશ્રદ્ધા વિનાનો માનવી પાંગળો છે. એ સૂત્ર–સિદ્ધાંતમાં માનતા શ્રી પરમાણંદભાઈનો જન્મ ધોધારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિના સંસ્કારી અને ધર્મિષ્ઠ પરિવારમાં સૌરાષ્ટ્રમાં વલ્લભીપુર પાસે પછેગામમાં થયો. ૧૯૨૭માં પિતાશ્રી વનમાળીદાસ ગોરધનદાસ શાહની પ્રતિષ્ઠા સારી હતી. શ્રી પરમાણંદભાઈનો અભ્યાસ સામાન્ય પણ તેના મિલનસાર અને નિખાલસ સ્વભાવને કારણે બચપણથી સેવેલાં સ્વપ્ન સાકાર થયાં. જીવનમાં કાંઈ કરી છૂટવાના મનસૂબા સાથે મુંબઈને કર્મભૂમિ બનાવી. જીવનસંઘર્ષના તાણાવાણા વચ્ચેથી વસાર થઈને મેસર્સ ચંપકલાલ બ્રધર્સમાં પોતાની પેઢીના ઉજ્જવળ વ્યાપાર કારકિર્દીના ઘડવૈયા બન્યા. પોતાની વિચક્ષણ બુદ્ધિશક્તિ અને કુનેહથી સોઇંગ થ્રેડના વ્યાપાર વાણિજ્યના નિષ્ણાત બન્યા અને ઉત્તરોત્તર વ્યાપારમાં સારો એવો વિકાસ કર્યો.
ગજબની આત્મશ્રદ્ધા, વિશ્વાસ, હિંમત, સાહસિકતા અને શ્રમની મૂડીના પરિણામે વ્યવસાયક્ષેત્રે સંપત્તિ સાથે સુકીર્તિ પણ કમાયા. વ્યાપારમાં પ્રગતિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા સદભાગી
For Private & Personal Use Only
www.jainelibrary.org