________________
૬૪૬
સભામાં ચાર નવી યોજના જેમ કે ૧. વૃદ્ધાશ્રમ, ૨. મહિલા બેંક, ૩. કોમ્પ્યૂટર તાલિમ કાર્યક્રમ. ૪. ઉદ્યોગ ભવન શરૂ કરવાની નવી દૃષ્ટિ આપી. સંસ્થાના સુવર્ણ જયંતી વર્ષ દરમિયાન ઉપરોક્ત ચાર નવાં કાર્યક્રમો શરૂ કરવા વિચારણા મૂકી જે તમામ સભ્યોએ વધાવી લીધી. પરંતુ અચાનક પાલિતાણાની નારીઓ માટે વજ્રધાન સમી નીવડી. મુ. શ્રી લીલાબાએ અચાનક અંતિમ વિદાય લીધી. અંતિમ વિદાય પણ પોતાની ઈચ્છા મુજબ દેહદાન— ચક્ષુદાન કરી લીધી. પોતે પહેલાથી જ કહેતા કે મારું બધું જ સમાજ માટે છે જે તેણે યથાર્થ કર્યું. સ્વર્ગસ્થની તમામ ચાર યોજનાઓ આજે ભગિની મિત્ર મંડળ—પાલિતાણા દ્વારા શરૂ થઈ ચુકી છે. આજે પણ શ્રી ભગિની મિત્ર મંડળ—પાલિતાણા સ્વર્ગસ્થનાં તમામ સ્વપ્રા પૂરાં કરવા કટીબદ્ધ છે. સમાજને નવો રાહ ચિંધનાર, સમગ્ર નારી સમાજના ગૌરવસમા પૂ. લીલાબહેન કપાસીને કોટી કોટી વંદના. લીલબહેનનો આ સેવાનો સંસ્કાર વારસો તેમના પુત્રી શ્રી ડોલરબહેન કપાસી સાચવી રાખ્યો છે. લીલાબહેને ઊભી કરેલી પગદંડી ઉપર મહિલા ઉત્કર્ષના કાર્યક્રમો પાર પાડી રહ્યા છે. બહારથી દાનવીરોને બોલાવી ઘણા આયોજનોને આખરી ઓપ આપ્યો છે.
ધર્મારાધના અને સેવા સમર્પણથી શોભિત સ્વ. નિર્મળાબહેન શશીકાન્તભાઈ મહેતા
જયવંતા જૈન શાસનમાં
પ્રત્યેક સમયે સમયે આદર્શ નારીરત્નોનું ઉત્તમ યોગદાન નોંધાયેલું છે.
પિતાનું આંગણું અજવાળે, પતિનો ઉંબરો સાર્થક કરે અને છેલ્લે મોક્ષના રાહની ચાહ જગાડનારી આ શ્રાવિકાઓ હમેશા સેવા અને
સમર્પણથી શોભિત બની જૈન પરંપરાને હંમેશા ઉજાગર કરતી રહી છે.
શીલ સંસ્કાર અને વિનય વિવેકની ઉજળી પરંપરાનો વિશાળ પ્રવાહ અવિરતપણે વહેતો રહ્યો છે. ધર્મારાધનાના પ્રત્યેક પગલામાં આ નારીશક્તિને હમેશા ભાવથી સહાય કરી છે અને પરંપરાને એ જાળવી રાખી છે.
Jain Education Intemational
સ્વપ્ન શિલ્પીઓ ભાવનગરમાં ૧૯૩૮ના ઓક્ટોબરની ૧લી તારીખે ટાણાવાળા હુકમચંદ ત્રિભોવનદાસને ત્યાં ચંપાબહેનની કુંખે પુત્રીનો જન્મ થયો. નિર્મળા નામ રખાયું. નિર્મળ આચારશુદ્ધિ જેવા સદ્ગુણો ધર્મનિષ્ઠ માતા-પિતા પાસેથી મળ્યાં.
બચપણમાં જ માતાનું અવસાન થતા જીવનના પૂર્વાર્ધમાં નિર્મળાબહેને અનેક સંઘર્ષો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અનેક તાણાવાણામાંથી પસાર થવા છતાં મુશ્કેલીઓ સામે નિર્મળાબહેન અણનમ-અડગ રહ્યાં. ઘરકામની વ્યવસ્થિત તાલીમ બચપણથી જ મળી હતી, કુટુંબપ્રેમી અને વ્યવહારકુશળ પણ હતા જ. સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.
સૌરાષ્ટ્રના વતની પણ મુંબઈ ધંધાર્થે વસવાટ કરતા શ્રી શશીકાન્ત મોહનલાલ મહેતા સાથે તા. ૭-૨-૫૫ના લગ્નગ્રંથિથી જોડાયા. રંભાબહેન મોહનલાલ મહેતાના સૌથી મોટા પુત્રવધૂ આ કર્મશીલ નારી નિર્મળાબહેનનું દામ્પત્યજીવન પણ આનંદ અને પ્રસન્નતાથી પસાર થયું. જેના ફલસ્વરૂપે ચાર પુત્રીઓ અને બે પુત્રો થયાં.
નિર્મળાબહેનના કુમકુમ પગલા પછી શ્રી શશીકાન્તભાઈ મહેતાનને ધંધામાં ઠીક બરકત મળતી રહી. જે સંપત્તિનો ઉપયોગ વધુને વધુ ધર્મકાર્યોમાં વપરાયો. ગુજરાતનાં ઘણા ધાર્મિક સ્થળોમાં દાનગંગા વહેતી રાખી. વલસાડ પાસે સીમંધરસ્વામી જૈન મંદિર-નંદીગ્રામમાં, પાલિતાણામાં ચંદ્ર દીપક જૈન ધર્મશાળામાં, મહેસાણા જિલ્લામાં મહુડી મુકામે એમ વિવિધ સ્થાનોમાં નિર્મળાબહેનની ઈચ્છા મુજબ ઠીક-ઠીક રીતે દાનનો પ્રવાહ ચાલુ રહ્યો. પરિવાર સાથે તીર્થયાત્રાઓ પણ ધણી કરી, તપસ્યાઓ પણ હોંશે હોંશે કરતા પણ છેલ્લા સમયમાં શરીરે સાથ ન આપ્યો.
૨૦૦૬ના જૂન મહિનામાં પરિવાર સાથે ધાર્મિક વાતો કરતા કરતા જ અરિહંત શરણ થયાં. નિર્મળાબહેન આજે આ દુનિયામાં નથી પણ પોતાના મિલનસાર સ્વભાવને કારણે સૌના પ્રીતિપાત્ર બન્યા. વિવિધ સામાજિક વ્યવહારોમાં પણ હમેશા પતિની સાથે રહ્યાં. પોતાના સંતાનોના સંસ્કાર અને ચરિત્ર બાબતમાં સતતપણે ચિંતાશીલ અને જાગૃત રહ્યાં. અનેક અગવડો અને અંતરાયો પાર કરીને પણ સમાજને કાંઈક વિશિષ્ટ પુદાન આપી ગયા છે અને તેથી જ વિશાળ પરિવારમાં પણ સૌની પ્રશંસા પામ્યા હતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી અરિહંતના જાપનું ભાવથી સ્મરણ કરતાં રહ્યાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org