________________
»
હALS &
ALRDC
સૌંદર્યમય પાસું તેની તમામ ખાસિયતો સાથે અત્રે આલેખિત થયું છે,
જે તે રેખાંકનનું ચાક્ષુષ મૂલ્ય તો છે જ, પણ એને અનુલક્ષીને ચિત્રકારે કરાવેલ આસ્વાદનની સાહિત્યિક, સાંસ્કૃતિક, સામાજિક, ઐતિહાસિક મહત્તા પણ છે. જે તે રેખાંકનને આલેખકશ્રી સાંગોપાંગ-સમગ્રતાથી જુએ છે. એના એકાધિક સંદર્ભો સ્પષ્ટ કરે છે, બહુ જ ઓછા શબ્દોમાં પૃષ્ઠભૂમિ બાંધી આપે છે, અનુરૂપ અવતરણો ટાંકે છે, ઉપકારક અન્ય સામગ્રીની સહાય લે છે અને પોતાનો મૌલિક અભિપ્રાય આપે છે કે મૌલિક ચિંતન રજૂ કરે છે. એ માટેની એમની શૈલી એટલી રસાળ અને પ્રાસાદિક છે કે લેખન રસાત્મક કલાઘાટ પામે છે. લાઘવ અને સચોટતા આસ્વાદનના આગવા ગુણો છે. અભિવ્યકિતની આવી ઉપલબ્ધિ બહુપાર્શ્વય કલાનુભવ બની રહે છે.
શ્રી સવજી છાયાનું વાચન અને મૌલિક ચિંતન એક અલાયદી સંપદા બની રહે છે. જે તે આલેખનના ઉદઘાટનમાં એમણે આપેલી માહિતી, સંદર્ભો અને તારણો કલાનુભવની પૂર્ણતા સાધવામાં ખાસ્સાં ઉપકારક નીવડે છે. કયાંયમાહિતીનો ખડકલો નથી કે શકતા નથી. લેખકની વિવેકશકિતનું એ પરિણમન છે. કલાકૃતિની અડખેપડખેની અદીઠ ભૂમિમાં જાણે કે શ્રી સવજી છાયા ભાવકને આંગળી પકડીને દોરે છે. આવું સાંગોપાગ દર્શન અનેક અધ્યાસો રચી આપે છે.
વિષયની પસંદગીમાં, રજુઆતમાં અને નિરૂપણમાં વૈવિધ્ય હોવાને કારણે એકેક રેખાંકન નવ્ય સૌંદર્યન ભવ બની રહે છે. ક્યાય નથી એકવિધતા કે નથી પુનરાવર્તન. બહુ ઓછી રેખાઓ હોવા છતાં ચિત્ર સંપૂર્ણ બને છે. તેમ બહુ જ ઓછા શબ્દો વડે શ્રી સવજી છાયાએ અનેકસ્તરીય અને બહુઆયામી રસસૃષ્ટિનું આલેખન કર્યું છે. સર્વ કલારસિકોને શ્રી સવજી છાયાનો આ ઉપક્રમ ગમશે. તેઓશ્રીની કલાયાત્રા ઉર્ધ્વગામી રહે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. નિસર્ગ આહીર-અમદાવાદ
શ્રી સવજી છાયા અને શ્રી મણીભાઇ મિસ્ત્રીના અત્રે મુકાયેલા રેખાંકન ચિત્રોના મોટાભાગના સંક્ષિપ્ત જીવનપરિચયો અમારા આગળ પાછળના ગ્રંથોમાં આવરી લેવાયાં છે, જે વાચકોની જાણ માટે, આ ગૌરવવંતાં નરરત્નો આ ધરાના સાચા ઘરેણાં છે. સમાજજીવનના વિવિધ ક્ષેત્રોના કીર્તિકળશ સ્વરૂપ, શોભાયમાન આ સિધિપ્રાણ પ્રતિભાઓને અમારી લાખ વંદનાઓ.
સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org