________________
ઝાર છMA $$
MpKc9
ઝાડી શકતો
રેખા અને શબ્દાર્થનું સંવર્ધક સાયુજય
(સવજી છાયાની કલાયાત્રા) કુણભૂમિ દ્વારકાના ચિત્રકારશ્રી સવજી છાયાનાં રેખાંકનોનાં થોડાં પૃષ્ઠ જોયાં. ખૂબ આનંદ થયો. મનની ગતિ સ્થિર થઇ, | સ્મૃતિ ઝકૃત થઈ અને તુરત જ એક પ્રસંગ દ્રષ્ટિ પટે ઉભરી આવ્યો.. વર્ષ ૨૦૦૫ના જૂન મહિનાનો સમય. દ્વારકાની શારદાપીઠ ખાતે કાવ્ય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાનોનાં વકતવ્યો પૂરાં થયાં પછી જગતમંદિર સામે જ આવેલ શ્રી સવજી છાયાના આવાસે શ્રી લાભશંકર પુરોહિત, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી નરોત્તમ પલાણ, શ્રી ધીરૂ પરીખ, શ્રી હરિકૃષ્ણ પાઠક વગેરે સાહિત્યકારો ઉપસ્થિત થયા હતા. શ્રી સવજી છાયાની પુત્રી નેહલબહેને શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું હતું. એ ઘડીનો આનંદ પ્રગટ કરી સૌ સાહિત્યકારો શ્રી સવજી છાયાની ચિત્રસૃષ્ટિમાં ભાવપૂર્વક વિહરવા લાગ્યા હતા. સર્વના ચહેરા પર રસાનુભવનો પરિતોષ વાંચી શકાતો હતો. તેટલામાં શ્રી લાભશંકર પુરોહિતે એક માર્મિક વિધાન કર્યું. દ્વારકામાં બેનું આકર્ષણ એક શામળિયાનું અને બીજું સવજીનું. રેખાંકનોના સંદર્ભે એ વિધાન કેટલ સાથે લાગે છે ! ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય સર્જકો અને વિદ્વાનો શ્રી સવજી છાયાને ત્યાં ઉપસ્થિત થયા હોય એ પ્રસંગ પણ રેખાંકનોના સંદર્ભે સૂચક છે. એમાં ચિત્રકાર શ્રી સવજી છાયાની ચિત્રકલાની સાથે સાથે સાહિત્યકલા માટેની પ્રીતિની દ્રઢ પ્રતીતિ અનુભવાય છે.
સાહિત્ય અને સાહિત્યકારોના સતત સંસર્ગ, સંપર્કને કારણે ચિત્રકાર શ્રી સવજી છાયા શબ્દસાધના માટે પ્રેરાયા એમ કહેવા કરતાં, એમ કહેવું યોગ્ય છે કે સાહિત્યપ્રીતિને કારણે એમની કલાશકિત શબ્દસૌદર્યના સાહચર્યો શોભી ઉઠી. આ બન્ને કલાની ઉપાસનાની સુભગ પરિણતિ એટલે આ રેખાંકનો. અહીં રેખા
Sોકો શિયાળામત નઈ
હતી. આ સમારોહમાયાના સર
C. ઈ
૧
-
err,
-
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org