________________
સ્વપ્ન શિલ્પીઓ
જીવન
પણ હતા. ૧૯૧૮માં ‘કાવ્યકલાપ' નામનો કાવ્યસંગ્રહ, ૧૯૨૫માં જંજીરને ઝણકારે' નવલકથા ઉપરાંત ‘તાતી તલવાર', ‘આશાની ઇમારત’, ‘નસીબની બલિહારી', ‘માનવ હૈયાં', ‘મધુબિંદુ', ‘સ્મૃતિસંવેદન’, ‘જીવનઘડતર માંગલ્ય', જેવા ચિંતનલેખોનો સંગ્રહ અને ‘હૈયું અને શબ્દ’ જેવા કાવ્યસંગ્રહ આપનાર ગુજરાતી પત્રકારત્વની વીસમી સદીની પ્રેરક પરંપરામાં ઉદ્દેશીભાઈને યાદ કર્યા વગર આગળ જઈ શકાય એવું જ નથી.
ચંદુલાલ મણિલાલ દેસાઈ
(૧૮૮૨ થી ૧૯૬૮ ભરૂચ)
સ્વાતંત્ર્ય સૈનિક અને ગાંધીજીના અનુયાયી તરીકે વધુ જાણીતા એવા ચંદુલાલભાઈ દેસાઈના પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રદાન અંગે ઘણી વિગતો નોંધવા જેવી છે. તેમણે આઝાદી આંદોલનમાં પોતાની જાત અને તમામ મિલ્કત આપી દીધી. ત્યારબાદ અનેક ટ્રસ્ટોની રચના કરી. આરોગ્યસેવાના ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન કર્યું.
હોમરૂલ આંદોલનમાં ભાગ લીધો. અનેક ચળવળોને સફળ નેતાગીરી પૂરી પાડી. લોકોનું મનોબળ દૃઢ કરવા તેઓ કહેતા ‘શૂરવીરો માથું આપે નાક ન આપે.' તેમના કામ બદલ તેમને ‘છોટે સરદાર'નું બિરુદ મળ્યું હતું.
૧૯૨૯માં તેમણે ‘વિકાસ' નામનું સામયિક ચાલુ કર્યું હતું. તેમના આ ગુજરાતી સાપ્તાહિકમાં તેઓ સ્વતંત્રતા સંગ્રામનો અહેવાલ, ખાદી, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, ગાંધીજીના વિચારો, દેશનેતાઓનાં પ્રવચનો વિગતે છાપતા હતા. એ સમયે તે ઘણું લોકપ્રિય સામયિક હતું.
તેમણે ‘થાયમોસિન' નામની દાંતની દવા શોધી હતી. તેની રોયલ્ટીની રકમ તેઓ પ્રતિવર્ષ દાનમાં આપી દેતા હતા. તેઓ અત્યંત સાદું જીવન જીવ્યા. સત્તા અને સંપત્તિનો તેમને જરાય મોહ ન હતો.
આઝાદી પછી તેમણે ક્યારેય ચૂંટણીમાં ઉમેદવારી કરી
નહોતી.
પત્રકાર જુગતરામ દવે (૧૮૯૨થી ૧૯૮૫)
ગુજરાતમાં જુગતરામ દવેને સૌ કોઈ ગાંધીવિચારને
Jain Education International
ЧСС
જીવંત રાખનાર મશાલચી તરીકે જાણે, પણ ગુજરાત બહાર પણ તેમની એટલી જ બધી ખ્યાતિ હતી. ગાંધીરંગે રંગાયા એ અગાઉ તેમણે પત્રકારત્વક્ષેત્રે પણ મહત્ત્વની કામગીરી કરી હતી. પિતા ઝાલાવાડથી નોકરી માટે મુંબઈ ગયેલા. પ્લેગમાં મૃત્યુ થયું. માતા ડાહીબહેનને લઈ લખતર આવ્યા. મેટ્રિક સુધીનો અભ્યાસ થયો. .મોટાભાઈએ અમેરિકન કંપનીની નોકરી ગોઠવી આપી. એ દિવસોમાં સ્વામી આનંદનો જાદુઈ પરિચય થયો. જુગતરામભાઈની સાહિત્યની અભિરુચિ જોઈ તેમણે નોકરી છોડાવી તેમનો પરિચય હાજી મહંમદ અલ્લારખિયા શિવજી સાથે કરાવ્યો અહીં તેમને વીસમી સદી' સામયિકમાં કામ મળ્યું. લેખન અને પ્રકાશન અંગેની તાલીમ મળી.
કર્મચેતનાના પત્રકાર ઝવેરચંદ મેઘાણી
‘રાષ્ટ્રીય શાયર’ તરીકે જેમને ખુદ મહાત્માગાંધીએ નવાજ્યા હોય તેમના વ્યક્તિત્વમાંથી પત્રકારત્વને જુદું પાડવું એ ચેષ્ટા ઠીક નથી. તેમનું સાહિત્ય પત્રકારત્વની પરિપાટી પર સર્જાયેલું–તો તેમનું પત્રકારત્વ સાહિત્યની કંદરાઓમાં ઘુમી ઘુમીને આવતું હોય તેવું લાગે.
શ્રી ઝવેરચંદ મેઘાણી સર્જક, તદ્ઉપરાંત ખૂબ મોટા ગજાના સંશોધક તરીકે સદૈવ સ્મૃતિમાં અંકાયેલા રહેશે. દિવસોદિવસ તેમનો અવાજ વધુ વધુ બુલંદ થશે અને વધુ ને વધુ લોકો તેમને સમજવા તરફ વળશે. ‘સોરઠનો સાવજ’ તરીકે જાણીતા આપણા આ લાડીલા સાહિત્યકારે લોકકથાઓ, વૃતકથાઓ, સંતકથાઓ અને શૌર્યકથાઓનો ખજાનો ખોલી આપ્યો હતો. તેમણે લોકગીતો, લગ્નગીતો અને દુહાઓનો ભંડાર એકત્ર કર્યો હતો. લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને ‘ફુલછાબ’ માટે અવિરત લખતા રહેવું એજ તેમનો જીવનમંત્ર બની રહ્યો હતો.
સૌરાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિને તેમણે જીવંત કરી. તેમણે ઐતિહાસિક નવલકથાઓ પણ રચી. નાટક, ચારિત્રલેખન, પત્રકારત્વ અને વિવેચનક્ષેત્રે પણ તેમણે કલમ ગતિશીલ રાખી. કોઈનો લાડકવાયો' અને ‘છેલ્લો કટોરો' જેવી તેમની રચનાઓ આજે પણ સાંભળનારની આંખમાં આંસુ લાવી દે તેવી છે.
મેઘાણી કર્મચેતનાના પ્રતિનિધિ, સતત ઝઝૂમતા, અતિશ્રમથી થાકેલા આ સર્જકે કલકત્તાથી લખ્યું, “......અંધારું
For Private & Personal Use Only
www.jainelibrary.org