________________
સ્વપ્ન શિલ્પીઓ
૫૭૯
વીસાવા સવાઈ મુન્શી સ્થળશિલ્પીઓ : એક મરણયાત્રા
પ્રસ્તોતા : પ્રા. ડૉ. મહાકાન્ત જે. જોશી
ગુર્જરધરાનું નામ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં રોશન કરનાર અનેક ગુર્જરભક્તો છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણથી પ્રારંભી ૨૦મા સૈકાના અવિનાશ વ્યાસ અને એ પછીના અનેક વિવિધ ક્ષેત્રના ગુર્જર સ્વપ્નશિલ્પીઓ આજે ૨૧મી સદીમાં પણ દૃષ્ટિગોચર થાય છે. સ્વકીય પસંદગીનાં ક્ષેત્રોમાં તે તે મહાનુભાવોએ કરેલા પદાર્પણથી ગુર્જરધરાની આન-બાન અને શાન સમગ્ર વિશ્વફલક ઉપર સ્થપાઈ છે, પથરાઈ છે. આ ગુર્જરધરામાં કેટલાક એવા ચહેરાઓનાં પ્રતિબિંબો પણ છે કે જેઓ નથી ગુજરાતમાં જન્મ્યા કે નહોતા તેને જાણતા, છતાંય ગુજરાતને જ જેમણે સ્વકર્મભૂમિ બનાવી ગુજરાતમાં જ સ્થાયી બન્યા અને “સવાઈ ગુજરાતી તરીકે પ્રસ્થાપિત થયા. આવા કેટલાક વિસરાતા સવાઈ ગુજરાતી સ્વપ્નશિલ્પીઓને અવલોકવાનો એક સ્વલ્પ ઉપક્રમ આ લેખ દ્વારા કરાયો છે. જે ગુજરાતી નહોતા છતાંય ગુજરાતને જેમણે તન-મન-ધનથી સોહામણું કરી દીધું અને ગુર્જરધરાને વિશ્વમાં નામાંકિત કરી, એવા વીસરાતા સ્વપ્નશિલ્પીઓને આવો આપણે સ્મરીને કૃતકૃત્ય થઈએ. આ સ્મરણયાત્રામાં પરદેશી ગુર્જરસાહિત્યપ્રેમી ફાર્બસસાહેબથી પ્રારંભી આપણે અલ્પપરિચિત એવા કેટલાક (અને કહો કે આજે વીસરાતા જતા એવા) સ્વપ્નશિલ્પીઓને સ્મરીશું, એક શ્રદ્ધાંજલિરૂપે શબ્દાંજલિ અર્પીશું. કોઈ પણ પ્રજા તેના ગૌરવની સભાનતા વગર પ્રગતિ કરી શકતી નથી. કાળબળે પછી એવું પણ બની શકે અસ્મિતાની વિસ્મૃતિ થઈ જાય, પણ પછી પુનર્જાગૃતિ ભાવી પ્રજાને વધુ સમૃદ્ધ બનાવવા અચૂક સમર્થ નીવડે છે.
રત્નોની ખાણ સમી આ ભૂમિનાં કેટલાંક માનવરત્નો પૈકી વિસ્મૃતિ થતી જતી વિવિધ ક્ષેત્રની કેટલીક પ્રતિમાઓ ભલે તેઓ ગુજરાત બહારના કોઈ પણ, ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી હોય તેવા પ્રભાવકોના પરિચયોથી ભાવી પેઢીને પરિચિત કરાવવાનો આ લેખમાળાનો શુભાશય છે. ઇતિહાસ, સાહિત્ય, સ્વાતંત્ર્યસંગ્રામ કે સમાજસુધારણા જેવાં વિવિધક્ષેત્રની વિભૂતિઓએ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં સારું એવું પ્રદાન નોંધાવ્યું છે.
આ લેખમાળાનું પ્રસ્તુત પુષ્પ રજૂ કરે છે સંસ્કૃત ભાષાના સ્વાધ્યાયી ડો. મહાકાન્તભાઈ જયંતીલાલ જોશી, જેઓ ઉત્તર ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે મહેસાણાના કડી મુકામે પ્રમુખસ્વામી સાયન્સ-આર્ટ્સ કોલેજમાં ફરજ બજાવે છે. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ છે.
તા. ૨૫-૫-૧૯૬૯ તેમની જન્મ તારીખ છે. અત્યાર સુધીમાં પચાસથી વધારે સ્થાનિક, રાષ્ટ્રીય અને ત્રણેક આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ કોન્ફરન્સમાં ભાગ લઈ પેપરરીડિંગ કર્યું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org